Kutchના અંજારમાં આવેલી KEMO કેમિકલ ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા


  • Published By :
  • Published Date : 2024-01-15 11:39:38

ઉત્તરાયણના દિવસે કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટીલ પીગળતી વખતે KEMO સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે. એવી પણ માહિતી પણ સામે આવી છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. ચાર લોકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંજારના બૂઢારમોરામાં બની હતી જ્યારે સ્ટિલને પીગાળવાની કામગીરી ચાલી રહી હતી.    


ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝ્યા કામદારો!

આગ લાગવાની ઘટનાને કારણે અનેક લોકો ગંભીર રીતે દાઝતા હોય છે. ત્યારે કચ્છના અંજારમાં કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. અંજારના બુઢારમોરામાં આવેલી KEMO કેમીકલ કંપનીમાં સ્ટીલ પિગાળવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ભઠ્ઠી ફાટી નીકળી હતી અને દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. જે કેમિકલ બહાર આવી ગયું તે ગરમ હતું અને તે ગરમ કેમિકલને કારણે 10 જેટલા મજૂરો દાઝ્યા છે. સારવાર અર્થે કામદારોને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.