Kutchના અંજારમાં આવેલી KEMO કેમિકલ ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા


  • Published By :
  • Published Date : 2024-01-15 11:39:38

ઉત્તરાયણના દિવસે કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટીલ પીગળતી વખતે KEMO સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે. એવી પણ માહિતી પણ સામે આવી છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. ચાર લોકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંજારના બૂઢારમોરામાં બની હતી જ્યારે સ્ટિલને પીગાળવાની કામગીરી ચાલી રહી હતી.    


ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝ્યા કામદારો!

આગ લાગવાની ઘટનાને કારણે અનેક લોકો ગંભીર રીતે દાઝતા હોય છે. ત્યારે કચ્છના અંજારમાં કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. અંજારના બુઢારમોરામાં આવેલી KEMO કેમીકલ કંપનીમાં સ્ટીલ પિગાળવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ભઠ્ઠી ફાટી નીકળી હતી અને દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. જે કેમિકલ બહાર આવી ગયું તે ગરમ હતું અને તે ગરમ કેમિકલને કારણે 10 જેટલા મજૂરો દાઝ્યા છે. સારવાર અર્થે કામદારોને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.