Kutchના અંજારમાં આવેલી KEMO કેમિકલ ફેક્ટરીમાં થયો બ્લાસ્ટ, દુર્ઘટનામાં અનેક કામદારો દાઝ્યા


  • Published By :
  • Published Date : 2024-01-15 11:39:38

ઉત્તરાયણના દિવસે કચ્છના અંજારમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્ટીલ પીગળતી વખતે KEMO સ્ટીલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે દાઝ્યા છે. એવી પણ માહિતી પણ સામે આવી છે કે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે જ્યારે અનેક લોકોની હાલત ગંભીર છે. ચાર લોકોને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. આ ઘટના અંજારના બૂઢારમોરામાં બની હતી જ્યારે સ્ટિલને પીગાળવાની કામગીરી ચાલી રહી હતી.    


ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા દાઝ્યા કામદારો!

આગ લાગવાની ઘટનાને કારણે અનેક લોકો ગંભીર રીતે દાઝતા હોય છે. ત્યારે કચ્છના અંજારમાં કામદારો દાઝ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. અંજારના બુઢારમોરામાં આવેલી KEMO કેમીકલ કંપનીમાં સ્ટીલ પિગાળવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન ભઠ્ઠી ફાટી નીકળી હતી અને દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે. જે કેમિકલ બહાર આવી ગયું તે ગરમ હતું અને તે ગરમ કેમિકલને કારણે 10 જેટલા મજૂરો દાઝ્યા છે. સારવાર અર્થે કામદારોને હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે