ભાવનગર-વેરાવળ હાઇવે પર બની રહેલો પુલ થયો ધરાશાયી, શું નિર્માણમાં થઈ રહ્યો હતો હલકી ગુણવત્તાવાળા સામાનનો ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-02 17:31:21

રાજ્યમાં બની રહેલા બ્રિજોની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજના નિર્માણ ચર્ચાનો વિષય બન્યો છે. હલકી ગુણવત્તાને કારણે છેલ્લા અનેક મહિનાથી બ્રિજ બંધ છે. ત્યારે રાજુલાના દાતરડી ગામ નજીક ભાવનગર વેરાવળ હાઈવે એઠઈ બાયપાસ ઉપર બની રહેલો પુલ શરૂ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. બ્રિજ હાલ નિર્માણધીન છે ત્યારે આવી ઘટના સર્જાઈ છે તો પુલની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. દુર્ઘટના સર્જાતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ચર્ચાવા લાગી છે.  



નિર્માણધીન બ્રિજ થયો ધરાશાયી 

ગયા વર્ષે દિવાળીના સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. તે સમયે અનેક બ્રિજની ગુણવત્તાને લઈ ચર્ચાઓ ચાલી હતી. ત્યારે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળો સામાન વપરાયો છે તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. રિપેરિંગને માટે થઈ છેલ્લા ઘણા સમયથી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


બ્રિજનું 50 ટકા કામ થઈ ગયું હતું પૂર્ણ 

ત્યારે એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજૂલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થતા કામગીરી તેમજ તેની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પુલ તૂટતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થવાના સમાચાર નથી આવ્યા.       




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.