ભાવનગર-વેરાવળ હાઇવે પર બની રહેલો પુલ થયો ધરાશાયી, શું નિર્માણમાં થઈ રહ્યો હતો હલકી ગુણવત્તાવાળા સામાનનો ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-02 17:31:21

રાજ્યમાં બની રહેલા બ્રિજોની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજના નિર્માણ ચર્ચાનો વિષય બન્યો છે. હલકી ગુણવત્તાને કારણે છેલ્લા અનેક મહિનાથી બ્રિજ બંધ છે. ત્યારે રાજુલાના દાતરડી ગામ નજીક ભાવનગર વેરાવળ હાઈવે એઠઈ બાયપાસ ઉપર બની રહેલો પુલ શરૂ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. બ્રિજ હાલ નિર્માણધીન છે ત્યારે આવી ઘટના સર્જાઈ છે તો પુલની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. દુર્ઘટના સર્જાતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ચર્ચાવા લાગી છે.  



નિર્માણધીન બ્રિજ થયો ધરાશાયી 

ગયા વર્ષે દિવાળીના સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. તે સમયે અનેક બ્રિજની ગુણવત્તાને લઈ ચર્ચાઓ ચાલી હતી. ત્યારે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળો સામાન વપરાયો છે તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. રિપેરિંગને માટે થઈ છેલ્લા ઘણા સમયથી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


બ્રિજનું 50 ટકા કામ થઈ ગયું હતું પૂર્ણ 

ત્યારે એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજૂલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થતા કામગીરી તેમજ તેની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પુલ તૂટતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થવાના સમાચાર નથી આવ્યા.       




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી