ભાવનગર-વેરાવળ હાઇવે પર બની રહેલો પુલ થયો ધરાશાયી, શું નિર્માણમાં થઈ રહ્યો હતો હલકી ગુણવત્તાવાળા સામાનનો ઉપયોગ?


  • Published By :
  • Published Date : 2023-03-02 17:31:21

રાજ્યમાં બની રહેલા બ્રિજોની ગુણવત્તાને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં આવેલા હાટકેશ્વર બ્રિજના નિર્માણ ચર્ચાનો વિષય બન્યો છે. હલકી ગુણવત્તાને કારણે છેલ્લા અનેક મહિનાથી બ્રિજ બંધ છે. ત્યારે રાજુલાના દાતરડી ગામ નજીક ભાવનગર વેરાવળ હાઈવે એઠઈ બાયપાસ ઉપર બની રહેલો પુલ શરૂ થાય તે પહેલા જ ધરાશાયી થઈ ગયો છે. બ્રિજ હાલ નિર્માણધીન છે ત્યારે આવી ઘટના સર્જાઈ છે તો પુલની ગુણવત્તા પર સવાલ ઉભા થયા છે. દુર્ઘટના સર્જાતા બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતો ચર્ચાવા લાગી છે.  



નિર્માણધીન બ્રિજ થયો ધરાશાયી 

ગયા વર્ષે દિવાળીના સમયે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 135 જેટલા લોકોના મોત થયા હતા. તે સમયે અનેક બ્રિજની ગુણવત્તાને લઈ ચર્ચાઓ ચાલી હતી. ત્યારે બ્રિજ નિર્માણમાં હલકી ગુણવત્તા વાળો સામાન વપરાયો છે તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા છે. રિપેરિંગને માટે થઈ છેલ્લા ઘણા સમયથી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. 


બ્રિજનું 50 ટકા કામ થઈ ગયું હતું પૂર્ણ 

ત્યારે એક નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાના સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લાના રાજૂલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો છે. આ બ્રિજનું નિર્માણ લગભગ 50 ટકા પૂર્ણ થઈ ગઈ હતું. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થતા કામગીરી તેમજ તેની ગુણવત્તાને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પુલ તૂટતા તંત્ર દોડતું થયું છે. આ ઘટનામાં હજી સુધી કોઈ જાનહાની થવાના સમાચાર નથી આવ્યા.       




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.