દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે અમદાવાદમાં કરાયું કેન્ડલ માર્ચનું આયોજન, અનેક રાજનેતાઓએ લીધો ભાગ


  • Published By :
  • Published Date : 2023-02-20 12:04:01

થોડા સમય પહેલા મુંબઈ આઈઆઈટીમાં ભણવા ગયેલા અમદાવાદના દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મામલો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં રહેતા દર્શનના પરિવારનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતક દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે ગઈકાલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.         




દર્શનને ન્યાય મળે તે માટે કરાયું કેન્ડલ માર્ચનું આયોજન 

આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે 12 તારીખે અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂક્યું હતું. પરંતુ આ મામલામાં પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. આ મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. દર્શનને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં અનેક રાજનેતાઓ સામેલ થયા હતા. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.    


ધારાસભ્યએ તપાસ કરવા એસઆઈટી રચવાની કરી માગ 

દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમનગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચમાં સામેલ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ  કહ્યું કે મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવાની માગ કરી છે. 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.