દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે અમદાવાદમાં કરાયું કેન્ડલ માર્ચનું આયોજન, અનેક રાજનેતાઓએ લીધો ભાગ


  • Published By :
  • Published Date : 2023-02-20 12:04:01

થોડા સમય પહેલા મુંબઈ આઈઆઈટીમાં ભણવા ગયેલા અમદાવાદના દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મામલો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં રહેતા દર્શનના પરિવારનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતક દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે ગઈકાલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.         




દર્શનને ન્યાય મળે તે માટે કરાયું કેન્ડલ માર્ચનું આયોજન 

આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે 12 તારીખે અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂક્યું હતું. પરંતુ આ મામલામાં પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. આ મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. દર્શનને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં અનેક રાજનેતાઓ સામેલ થયા હતા. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.    


ધારાસભ્યએ તપાસ કરવા એસઆઈટી રચવાની કરી માગ 

દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમનગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચમાં સામેલ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ  કહ્યું કે મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવાની માગ કરી છે. 





ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.