દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે અમદાવાદમાં કરાયું કેન્ડલ માર્ચનું આયોજન, અનેક રાજનેતાઓએ લીધો ભાગ


  • Published By :
  • Published Date : 2023-02-20 12:04:01

થોડા સમય પહેલા મુંબઈ આઈઆઈટીમાં ભણવા ગયેલા અમદાવાદના દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મામલો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં રહેતા દર્શનના પરિવારનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતક દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે ગઈકાલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.         




દર્શનને ન્યાય મળે તે માટે કરાયું કેન્ડલ માર્ચનું આયોજન 

આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે 12 તારીખે અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂક્યું હતું. પરંતુ આ મામલામાં પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. આ મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. દર્શનને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં અનેક રાજનેતાઓ સામેલ થયા હતા. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.    


ધારાસભ્યએ તપાસ કરવા એસઆઈટી રચવાની કરી માગ 

દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમનગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચમાં સામેલ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ  કહ્યું કે મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવાની માગ કરી છે. 





રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.