દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે અમદાવાદમાં કરાયું કેન્ડલ માર્ચનું આયોજન, અનેક રાજનેતાઓએ લીધો ભાગ


  • Published By :
  • Published Date : 2023-02-20 12:04:01

થોડા સમય પહેલા મુંબઈ આઈઆઈટીમાં ભણવા ગયેલા અમદાવાદના દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. આ મામલો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં રહેતા દર્શનના પરિવારનું કહેવું છે કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા છે. પરિવારે ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે મૃતક દર્શન સોલંકીને ન્યાય મળે તે માટે ગઈકાલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ, કોંગ્રેસના નેતા અમિત ચાવડા, વડનગરના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ પણ કેન્ડલ માર્ચમાં ભાગ લીધો હતો.         




દર્શનને ન્યાય મળે તે માટે કરાયું કેન્ડલ માર્ચનું આયોજન 

આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે 12 તારીખે અમદાવાદમાં રહેતા અને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરતા દર્શન સોલંકીએ હોસ્ટેલના સાતમાં માળેથી પડતું મૂક્યું હતું. પરંતુ આ મામલામાં પરિવારજનો કહી રહ્યા છે કે આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે. આ મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. દર્શનને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ચમાં અનેક રાજનેતાઓ સામેલ થયા હતા. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સહિત હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા.    


ધારાસભ્યએ તપાસ કરવા એસઆઈટી રચવાની કરી માગ 

દર્શન સોલંકીના પરિવારને ન્યાય માટે અમદાવાદના ઉત્તમનગર સ્લમ ક્વોટર્સથી સારંગપુર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા સુધી આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચમાં સામેલ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે વિધાનસભા સત્ર દરમિયાન ન્યાયિક અને આર્થિક સહાયની પણ માગ કરવામાં આવશે તેવું કહ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ  કહ્યું કે મૃત્યુની તપાસ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવાની માગ કરી છે. 





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.