અમદાવાદની સ્કૂલમાંથી બાળક અચાનક થયો ગુમ, બાળકના પરિવારે સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-21 14:55:22

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કુલમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો છે. 24 કલાક જેટલો સમય વિત્યા બાદ પણ વિદ્યાર્થી પરત ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીએ હોબાળો મચાવ્યો હતો. માનવ નામનો વિદ્યાર્થી છેલ્લા 24 કલાકથી પરત ઘરે નથી આવ્યો. શિક્ષકે ઠપકો આપી ક્લાસરૂમની બહાર કાઢ્યો હતો અને ત્યારથી તે ગુમ થઈ ગયો છે.   

ગુમ થયેલા માનવની તસવીર.


સ્કૂલ દ્વારા જવાબ ન મળતા કરાઈ પોલીસ ફરિયાદ 

માનવ નામનો વિદ્યાર્થી રઘુવીર શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા 24 કલાકથી વધારે સમય વીતી ગયો પરંતુ માનવ ઘરે આવ્યો નથી. એક દિવસ વિત્યા બાદ પણ બાળક ઘરે ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીઓએ હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે સ્કૂલ પ્રશાસન દોડતું થઈ ગયું છે. સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો લગાવી રહ્યા છે. પરિવારે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. 

સ્કૂલની બહાર જતા માનવના સીસીટીવી.


પહેલા થોડીવાર બાકડા પર બેઠો હતો.


માનવ ઘરે પરત ન આવતા માતા-પિતાએ શાળામાં કર્યો હોબાળો  

સવારના સમયે માનવ અચાનક સ્કુલની બહાર નીકળી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પરિવારના સભ્યો સ્કૂલમાં આવી પહોચ્યા હતા. બે દિવસ વિત્યા છતાં પણ માનવ પાછો ન આવ્યો જેને કારણે પરિવારના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માતા-પિતા આજે ફરી સ્કૂલ આવી પહોંચ્યા હતા.અને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. માનવના માતા પિતાએ સ્કૂલ પર આરોપ લગાવ્યો હતો કે સ્કૂલની બેદરકારીને કારણે તેમનો બાળક ગુમ થઈ ગયો છે. આ અંગે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.