અમદાવાદની સ્કૂલમાંથી બાળક અચાનક થયો ગુમ, બાળકના પરિવારે સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-21 14:55:22

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કુલમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો છે. 24 કલાક જેટલો સમય વિત્યા બાદ પણ વિદ્યાર્થી પરત ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીએ હોબાળો મચાવ્યો હતો. માનવ નામનો વિદ્યાર્થી છેલ્લા 24 કલાકથી પરત ઘરે નથી આવ્યો. શિક્ષકે ઠપકો આપી ક્લાસરૂમની બહાર કાઢ્યો હતો અને ત્યારથી તે ગુમ થઈ ગયો છે.   

ગુમ થયેલા માનવની તસવીર.


સ્કૂલ દ્વારા જવાબ ન મળતા કરાઈ પોલીસ ફરિયાદ 

માનવ નામનો વિદ્યાર્થી રઘુવીર શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા 24 કલાકથી વધારે સમય વીતી ગયો પરંતુ માનવ ઘરે આવ્યો નથી. એક દિવસ વિત્યા બાદ પણ બાળક ઘરે ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીઓએ હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે સ્કૂલ પ્રશાસન દોડતું થઈ ગયું છે. સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો લગાવી રહ્યા છે. પરિવારે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. 

સ્કૂલની બહાર જતા માનવના સીસીટીવી.


પહેલા થોડીવાર બાકડા પર બેઠો હતો.


માનવ ઘરે પરત ન આવતા માતા-પિતાએ શાળામાં કર્યો હોબાળો  

સવારના સમયે માનવ અચાનક સ્કુલની બહાર નીકળી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પરિવારના સભ્યો સ્કૂલમાં આવી પહોચ્યા હતા. બે દિવસ વિત્યા છતાં પણ માનવ પાછો ન આવ્યો જેને કારણે પરિવારના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માતા-પિતા આજે ફરી સ્કૂલ આવી પહોંચ્યા હતા.અને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. માનવના માતા પિતાએ સ્કૂલ પર આરોપ લગાવ્યો હતો કે સ્કૂલની બેદરકારીને કારણે તેમનો બાળક ગુમ થઈ ગયો છે. આ અંગે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.