અમદાવાદની સ્કૂલમાંથી બાળક અચાનક થયો ગુમ, બાળકના પરિવારે સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-21 14:55:22

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કુલમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો છે. 24 કલાક જેટલો સમય વિત્યા બાદ પણ વિદ્યાર્થી પરત ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીએ હોબાળો મચાવ્યો હતો. માનવ નામનો વિદ્યાર્થી છેલ્લા 24 કલાકથી પરત ઘરે નથી આવ્યો. શિક્ષકે ઠપકો આપી ક્લાસરૂમની બહાર કાઢ્યો હતો અને ત્યારથી તે ગુમ થઈ ગયો છે.   

ગુમ થયેલા માનવની તસવીર.


સ્કૂલ દ્વારા જવાબ ન મળતા કરાઈ પોલીસ ફરિયાદ 

માનવ નામનો વિદ્યાર્થી રઘુવીર શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા 24 કલાકથી વધારે સમય વીતી ગયો પરંતુ માનવ ઘરે આવ્યો નથી. એક દિવસ વિત્યા બાદ પણ બાળક ઘરે ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીઓએ હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે સ્કૂલ પ્રશાસન દોડતું થઈ ગયું છે. સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો લગાવી રહ્યા છે. પરિવારે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. 

સ્કૂલની બહાર જતા માનવના સીસીટીવી.


પહેલા થોડીવાર બાકડા પર બેઠો હતો.


માનવ ઘરે પરત ન આવતા માતા-પિતાએ શાળામાં કર્યો હોબાળો  

સવારના સમયે માનવ અચાનક સ્કુલની બહાર નીકળી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પરિવારના સભ્યો સ્કૂલમાં આવી પહોચ્યા હતા. બે દિવસ વિત્યા છતાં પણ માનવ પાછો ન આવ્યો જેને કારણે પરિવારના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માતા-પિતા આજે ફરી સ્કૂલ આવી પહોંચ્યા હતા.અને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. માનવના માતા પિતાએ સ્કૂલ પર આરોપ લગાવ્યો હતો કે સ્કૂલની બેદરકારીને કારણે તેમનો બાળક ગુમ થઈ ગયો છે. આ અંગે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.