અમદાવાદની સ્કૂલમાંથી બાળક અચાનક થયો ગુમ, બાળકના પરિવારે સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો


  • Published By :
  • Published Date : 2023-01-21 14:55:22

અમદાવાદના ઠક્કરબાપા નગરમાં આવેલી રઘુવીર સ્કુલમાં 9 માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ ગયો છે. 24 કલાક જેટલો સમય વિત્યા બાદ પણ વિદ્યાર્થી પરત ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીએ હોબાળો મચાવ્યો હતો. માનવ નામનો વિદ્યાર્થી છેલ્લા 24 કલાકથી પરત ઘરે નથી આવ્યો. શિક્ષકે ઠપકો આપી ક્લાસરૂમની બહાર કાઢ્યો હતો અને ત્યારથી તે ગુમ થઈ ગયો છે.   

ગુમ થયેલા માનવની તસવીર.


સ્કૂલ દ્વારા જવાબ ન મળતા કરાઈ પોલીસ ફરિયાદ 

માનવ નામનો વિદ્યાર્થી રઘુવીર શાળામાં 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. પરંતુ છેલ્લા 24 કલાકથી વધારે સમય વીતી ગયો પરંતુ માનવ ઘરે આવ્યો નથી. એક દિવસ વિત્યા બાદ પણ બાળક ઘરે ન આવતા શાળામાં જઈ વિદ્યાર્થીના વાલીઓએ હોબાળો કર્યો હતો. હોબાળાને કારણે સ્કૂલ પ્રશાસન દોડતું થઈ ગયું છે. સ્કૂલ દ્વારા યોગ્ય જવાબ ન મળ્યા હોવાના આક્ષેપો પરિવારના સભ્યો લગાવી રહ્યા છે. પરિવારે પોલીસમાં આ અંગે ફરિયાદ પણ કરી છે. 

સ્કૂલની બહાર જતા માનવના સીસીટીવી.


પહેલા થોડીવાર બાકડા પર બેઠો હતો.


માનવ ઘરે પરત ન આવતા માતા-પિતાએ શાળામાં કર્યો હોબાળો  

સવારના સમયે માનવ અચાનક સ્કુલની બહાર નીકળી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પરિવારના સભ્યો સ્કૂલમાં આવી પહોચ્યા હતા. બે દિવસ વિત્યા છતાં પણ માનવ પાછો ન આવ્યો જેને કારણે પરિવારના સભ્યોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. માતા-પિતા આજે ફરી સ્કૂલ આવી પહોંચ્યા હતા.અને સ્કૂલમાં હોબાળો કર્યો હતો. માનવના માતા પિતાએ સ્કૂલ પર આરોપ લગાવ્યો હતો કે સ્કૂલની બેદરકારીને કારણે તેમનો બાળક ગુમ થઈ ગયો છે. આ અંગે સ્કૂલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.