ચાઈનીઝ દોરીએ લીધો એક યુવકનો જીવ, બાળકને પણ દોરીને કારણે પહોંચી ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:22:12

ઉત્તરાયણમાં હવે ગણતરીના દિવસો બાકી છે. અનેક લોકો ઉત્તરાયણની ઉજવણી ઘણા સમય પહેલેથી જ શરૂ કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે તો અમુક લોકોના ગળા પતંગની દોરીને કારણે કપાઈ જતા હોય છે જેને કારણે તેઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદમાં એક બાળકને ઈજા પહોંચી છે જ્યારે વડોદરામાં પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે. 


ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના થાય છે મોત

ઉત્તરાયણને લઈ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણને થોડા દિવસો જ બાકી રહ્યા છે જેને કારણે અનેક લોકોએ પતંગ ચગાવાની શરૂઆત પણ કરી દીધી છે. ચાઈનીઝ દોરી પર તંત્ર દ્વારા રોક લગાવામાં આવી છે પરંતુ અનેક સ્થળો પર આનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકો મોતને પણ ભેટે છે જ્યારે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચે છે. 


વડોદરાના યુવકનો ગયો જીવ 

ચાઈનીઝ દોરીને કારણે વડોદરામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. માહિતી અનુસાર બાઈક લઈને યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. 


અમદાવાદમાં બાળકને દોરીને કારણે પહોંચી ઈજા 

ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ટૂ-વ્હીલરની આગળ બેઠેલા બાળકના ગળામાં દોરી ભરાઈ ગઈ હતી જેને કારણે તેને ઈજા પહોંચી છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય અનેક જગ્યાઓ પર જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ દોરીને કારણે વાહનચાલકોને જીવ ગુમાવાનો વારો આવે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.