ચાઈનીઝ દોરીએ લીધો એક યુવકનો જીવ, બાળકને પણ દોરીને કારણે પહોંચી ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:22:12

ઉત્તરાયણમાં હવે ગણતરીના દિવસો બાકી છે. અનેક લોકો ઉત્તરાયણની ઉજવણી ઘણા સમય પહેલેથી જ શરૂ કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે તો અમુક લોકોના ગળા પતંગની દોરીને કારણે કપાઈ જતા હોય છે જેને કારણે તેઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદમાં એક બાળકને ઈજા પહોંચી છે જ્યારે વડોદરામાં પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે. 


ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના થાય છે મોત

ઉત્તરાયણને લઈ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણને થોડા દિવસો જ બાકી રહ્યા છે જેને કારણે અનેક લોકોએ પતંગ ચગાવાની શરૂઆત પણ કરી દીધી છે. ચાઈનીઝ દોરી પર તંત્ર દ્વારા રોક લગાવામાં આવી છે પરંતુ અનેક સ્થળો પર આનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકો મોતને પણ ભેટે છે જ્યારે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચે છે. 


વડોદરાના યુવકનો ગયો જીવ 

ચાઈનીઝ દોરીને કારણે વડોદરામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. માહિતી અનુસાર બાઈક લઈને યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. 


અમદાવાદમાં બાળકને દોરીને કારણે પહોંચી ઈજા 

ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ટૂ-વ્હીલરની આગળ બેઠેલા બાળકના ગળામાં દોરી ભરાઈ ગઈ હતી જેને કારણે તેને ઈજા પહોંચી છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય અનેક જગ્યાઓ પર જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ દોરીને કારણે વાહનચાલકોને જીવ ગુમાવાનો વારો આવે છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.