ચાઈનીઝ દોરીએ લીધો એક યુવકનો જીવ, બાળકને પણ દોરીને કારણે પહોંચી ઈજા


  • Published By :
  • Published Date : 2023-01-02 10:22:12

ઉત્તરાયણમાં હવે ગણતરીના દિવસો બાકી છે. અનેક લોકો ઉત્તરાયણની ઉજવણી ઘણા સમય પહેલેથી જ શરૂ કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે તો અમુક લોકોના ગળા પતંગની દોરીને કારણે કપાઈ જતા હોય છે જેને કારણે તેઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદમાં એક બાળકને ઈજા પહોંચી છે જ્યારે વડોદરામાં પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે. 


ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના થાય છે મોત

ઉત્તરાયણને લઈ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણને થોડા દિવસો જ બાકી રહ્યા છે જેને કારણે અનેક લોકોએ પતંગ ચગાવાની શરૂઆત પણ કરી દીધી છે. ચાઈનીઝ દોરી પર તંત્ર દ્વારા રોક લગાવામાં આવી છે પરંતુ અનેક સ્થળો પર આનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકો મોતને પણ ભેટે છે જ્યારે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચે છે. 


વડોદરાના યુવકનો ગયો જીવ 

ચાઈનીઝ દોરીને કારણે વડોદરામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. માહિતી અનુસાર બાઈક લઈને યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. 


અમદાવાદમાં બાળકને દોરીને કારણે પહોંચી ઈજા 

ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ટૂ-વ્હીલરની આગળ બેઠેલા બાળકના ગળામાં દોરી ભરાઈ ગઈ હતી જેને કારણે તેને ઈજા પહોંચી છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય અનેક જગ્યાઓ પર જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ દોરીને કારણે વાહનચાલકોને જીવ ગુમાવાનો વારો આવે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.