ચાઈનીઝ દોરીએ લીધો એક યુવકનો જીવ, બાળકને પણ દોરીને કારણે પહોંચી ઈજા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-02 10:22:12

ઉત્તરાયણમાં હવે ગણતરીના દિવસો બાકી છે. અનેક લોકો ઉત્તરાયણની ઉજવણી ઘણા સમય પહેલેથી જ શરૂ કરી દેતા હોય છે. ઉત્તરાયણના દિવસો દરમિયાન દોરીને કારણે અનેક લોકોને ઈજા પહોંચતી હોય છે તો અમુક લોકોના ગળા પતંગની દોરીને કારણે કપાઈ જતા હોય છે જેને કારણે તેઓ મોતને ભેટે છે. ત્યારે પતંગની ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદમાં એક બાળકને ઈજા પહોંચી છે જ્યારે વડોદરામાં પણ ચાઈનીઝ દોરીને કારણે એક યુવકનું મોત થયું છે. 


ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકોના થાય છે મોત

ઉત્તરાયણને લઈ લોકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉત્તરાયણને થોડા દિવસો જ બાકી રહ્યા છે જેને કારણે અનેક લોકોએ પતંગ ચગાવાની શરૂઆત પણ કરી દીધી છે. ચાઈનીઝ દોરી પર તંત્ર દ્વારા રોક લગાવામાં આવી છે પરંતુ અનેક સ્થળો પર આનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકો મોતને પણ ભેટે છે જ્યારે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચે છે. 


વડોદરાના યુવકનો ગયો જીવ 

ચાઈનીઝ દોરીને કારણે વડોદરામાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની માહિતી મળી રહી છે. માહિતી અનુસાર બાઈક લઈને યુવક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ચાઈનીઝ દોરી આવી જતા ગળું કપાઈ ગયું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકે અંતિમ શ્વાસ લીધા હતા. 


અમદાવાદમાં બાળકને દોરીને કારણે પહોંચી ઈજા 

ચાઈનીઝ દોરીને કારણે અમદાવાદના બાળકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ટૂ-વ્હીલરની આગળ બેઠેલા બાળકના ગળામાં દોરી ભરાઈ ગઈ હતી જેને કારણે તેને ઈજા પહોંચી છે. ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાંય અનેક જગ્યાઓ પર જીવલેણ ચાઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. આ દોરીને કારણે વાહનચાલકોને જીવ ગુમાવાનો વારો આવે છે. 



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'