Dholka નજીક બોલેરો અને ડમ્પર વચ્ચે થઈ ટક્કર, પાંચ લોકો કાળનો કોળિયો બન્યા! જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત?


  • Published By :
  • Published Date : 2024-02-27 12:16:54

ઘરેથી આપણે નિકળીએ છીએ ત્યારે ખબર નથી હોતી કે આપણે સાજા હેમખેમ ઘરે પહોંચીશું કે નહીં કારણ કે રસ્તામાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.! અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને રોડ અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે એક ભયંકર અકસ્માત અમદાવાદના ઘોળકામાં સર્જાયો છે જેમાં પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત પાર્ક કરેલા ડમ્પર અને બોલેરો વચ્ચે સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


બોલેરો અને ડમ્પર વચ્ચે થઈ ટક્કર અને સર્જાઈ દુર્ઘટના

છેલ્લા ઘણા સમયથી અકસ્મોતની વણઝાર જોવા મળી રહી છે. પ્રતિદિન અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. કોઈ બીજાની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. ત્યારે એક ભયંકર અકસ્માત અમદાવાદના ધોળકામાં સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘણી વખત આપણે માનતા હોઈએ છીએ કે અકસ્માત સર્જાયો છે તો તેમાં મોટા વાહનની ભૂલ હોય છે. પરંતું ઘણી વખત આવું નથી હોતું કારણ કે ભૂલ કદાચ નાના વાહન ચલાવતા વ્યક્તિની પણ હોઈ શકે છે. 


ઘટનામાં પાંચ લોકોના થયા મોત!

જે અકસ્માત સર્જાયો છે તે અમદાવાદના ધોળકામાં સર્જાયો છે જેમાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો અથડાઈ ગઈ અને બોલેરોમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો કારની ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. એવી માહિતી સામે આવી છે કે બોલેરોમાં મજૂરો સવાર હતા અને પોતાના કામ અર્થે તે ધાનપુર જઈ રહ્યા હતા. જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા છે તેમાં મહિલા તેમજ  બાળકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.