Dholka નજીક બોલેરો અને ડમ્પર વચ્ચે થઈ ટક્કર, પાંચ લોકો કાળનો કોળિયો બન્યા! જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત?


  • Published By :
  • Published Date : 2024-02-27 12:16:54

ઘરેથી આપણે નિકળીએ છીએ ત્યારે ખબર નથી હોતી કે આપણે સાજા હેમખેમ ઘરે પહોંચીશું કે નહીં કારણ કે રસ્તામાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે.! અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક પરિવારોએ પોતાના સદસ્યોને રોડ અકસ્માતમાં ગુમાવ્યા હશે. ત્યારે એક ભયંકર અકસ્માત અમદાવાદના ઘોળકામાં સર્જાયો છે જેમાં પાંચ જેટલા લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. આ અકસ્માત પાર્ક કરેલા ડમ્પર અને બોલેરો વચ્ચે સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


બોલેરો અને ડમ્પર વચ્ચે થઈ ટક્કર અને સર્જાઈ દુર્ઘટના

છેલ્લા ઘણા સમયથી અકસ્મોતની વણઝાર જોવા મળી રહી છે. પ્રતિદિન અકસ્માતની ઘટના સામે આવી રહી છે જેમાં અનેક લોકો કાળનો કોળિયો બનતા હોય છે. કોઈ બીજાની સજા અનેક લોકોને ભોગવવી પડતી હોય છે. ત્યારે એક ભયંકર અકસ્માત અમદાવાદના ધોળકામાં સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત થઈ ગયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘણી વખત આપણે માનતા હોઈએ છીએ કે અકસ્માત સર્જાયો છે તો તેમાં મોટા વાહનની ભૂલ હોય છે. પરંતું ઘણી વખત આવું નથી હોતું કારણ કે ભૂલ કદાચ નાના વાહન ચલાવતા વ્યક્તિની પણ હોઈ શકે છે. 


ઘટનામાં પાંચ લોકોના થયા મોત!

જે અકસ્માત સર્જાયો છે તે અમદાવાદના ધોળકામાં સર્જાયો છે જેમાં પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો અથડાઈ ગઈ અને બોલેરોમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા. મળતી માહિતી અનુસાર આ ઘટના સવારે ચાર વાગ્યાની આસપાસ બની હતી. ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો કારની ટક્કર થઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી. એવી માહિતી સામે આવી છે કે બોલેરોમાં મજૂરો સવાર હતા અને પોતાના કામ અર્થે તે ધાનપુર જઈ રહ્યા હતા. જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા છે તેમાં મહિલા તેમજ  બાળકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે કે અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.