મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર ગોઝારો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે થઈ ટક્કર


  • Published By :
  • Published Date : 2023-01-19 09:30:51

મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ગાડી અને ટ્રકની વચ્ચે ટક્કર થતા નવ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારના સમયે બની છે. આ ઘટના સવારના 4.45 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે. સામેથી આવી રેહલી ટ્રક કારમાં સવાર લોકો માટે કાળનો કોળિયો બની.


અકસ્માતને પગલે નવ લોકોના થયા મોત  

અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેલક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક ગોઝારો અકસ્માત મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર થયો છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો છે. આ અકસ્માતને કારણે નવ લોકોના મોત ઘટનાસ્થળે થયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એકબીજાના સંબંધી હતા. તે રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ અને નવ લોકોનો મોત થઈ ગયા. 

Image

ટ્રક અને ગાડી વચ્ચે થયો અકસ્માત 

ટ્રક અને કારની આમને-સામને ટક્કર થઈ જેને કારણે ગાડીના ભૂક્કા બોલાઈ ગયા હતા. કારની દુર્દશા થઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા લોકોના જીવ બચી ન શક્યા. અને ઘટના સ્થળે જ તેઓએ પ્રાણ ત્યાગી દીધા. પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી છે. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.