મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર ગોઝારો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે થઈ ટક્કર


  • Published By :
  • Published Date : 2023-01-19 09:30:51

મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ગાડી અને ટ્રકની વચ્ચે ટક્કર થતા નવ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારના સમયે બની છે. આ ઘટના સવારના 4.45 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે. સામેથી આવી રેહલી ટ્રક કારમાં સવાર લોકો માટે કાળનો કોળિયો બની.


અકસ્માતને પગલે નવ લોકોના થયા મોત  

અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેલક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક ગોઝારો અકસ્માત મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર થયો છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો છે. આ અકસ્માતને કારણે નવ લોકોના મોત ઘટનાસ્થળે થયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એકબીજાના સંબંધી હતા. તે રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ અને નવ લોકોનો મોત થઈ ગયા. 

Image

ટ્રક અને ગાડી વચ્ચે થયો અકસ્માત 

ટ્રક અને કારની આમને-સામને ટક્કર થઈ જેને કારણે ગાડીના ભૂક્કા બોલાઈ ગયા હતા. કારની દુર્દશા થઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા લોકોના જીવ બચી ન શક્યા. અને ઘટના સ્થળે જ તેઓએ પ્રાણ ત્યાગી દીધા. પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી છે. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે.   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી