મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર ગોઝારો અકસ્માત, ગાડી અને ટ્રક વચ્ચે થઈ ટક્કર


  • Published By :
  • Published Date : 2023-01-19 09:30:51

મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે જેમાં ગાડી અને ટ્રકની વચ્ચે ટક્કર થતા નવ લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના સવારના સમયે બની છે. આ ઘટના સવારના 4.45 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે. સામેથી આવી રેહલી ટ્રક કારમાં સવાર લોકો માટે કાળનો કોળિયો બની.


અકસ્માતને પગલે નવ લોકોના થયા મોત  

અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. અનેલક લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અકસ્માતને કારણે અનેક પરિવાર વિખેરાઈ જતા હોય છે. ત્યારે એક ગોઝારો અકસ્માત મહારાષ્ટ્રના મુંબઈ ગોવા હાઈવે પર થયો છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો છે. આ અકસ્માતને કારણે નવ લોકોના મોત ઘટનાસ્થળે થયા છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર એકબીજાના સંબંધી હતા. તે રત્નાગિરીના ગુહાગર જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ અને નવ લોકોનો મોત થઈ ગયા. 

Image

ટ્રક અને ગાડી વચ્ચે થયો અકસ્માત 

ટ્રક અને કારની આમને-સામને ટક્કર થઈ જેને કારણે ગાડીના ભૂક્કા બોલાઈ ગયા હતા. કારની દુર્દશા થઈ ગઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં બેઠેલા લોકોના જીવ બચી ન શક્યા. અને ઘટના સ્થળે જ તેઓએ પ્રાણ ત્યાગી દીધા. પોલીસે ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી છે. તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં એક નાની બાળકી, ત્રણ મહિલાઓ તેમજ પાંચ પૂરુષોનો સમાવેશ થાય છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.