મોરબી દુર્ઘટનામાં રાજકોટના રેલનગરના દંપતિ અને પુત્રનું મોત


  • Published By :
  • Published Date : 2022-10-31 17:50:42

મોરબી શહેરમાં રાજકોટથી રજાના દિવસે મજા માણવા માટે પરિવાર જાય છે પરંતુ તે રજાનો દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની જાય છે અને મોરબી પુલ દુર્ઘટનામાં રાજકોટ રેલનગરના દંપતિ અને પૂત્રના મોત થઈ જાય છે. દુર્ઘટનામાં રાજકોટના પરિવારનું નાનું બાળક બચી જાય છે.....


ત્રણ લોકોનાં મોત, એક નાનું બાળક બચી ગયું

ગઈકાલે મોરબીમાં બનેલી દુઃખદ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે રાજકોટના પણ પાંચ લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. પતિ પત્ની અને પુત્ર સહિતના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે આ અન્ય એક નાનું બાળક બચી ગયું હતું. મોરબીની આ ગોજારી દુર્ઘટના બાદ મૃતકના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હતું. 

 

રાજકોટના રેલનગરના પરિવારની ત્રણ-ત્રણ અર્થી ઉઠી

રાજકોટના પરિવારના સભ્યો હતાં ભૂપતભાઇ પરમાર, સંગીતાબેન પરમાર અને વિરાજ પરમાર, ત્રણેય આજે આપણી વચ્ચે નથી. રાજકોટના રેલનગર વિસ્તારના એક ઘરમાંથી એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠી હતી. આ પરિવારના સભ્યોની સ્મશાન યાત્રા નીકળતા રેડ નગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મોરબીની આ કરુણ દુર્ઘટનામાં 134 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.