મોરબી દુર્ઘટનામાં રાજકોટના રેલનગરના દંપતિ અને પુત્રનું મોત


  • Published By :
  • Published Date : 2022-10-31 17:50:42

મોરબી શહેરમાં રાજકોટથી રજાના દિવસે મજા માણવા માટે પરિવાર જાય છે પરંતુ તે રજાનો દિવસ તેમની જિંદગીનો છેલ્લો દિવસ બની જાય છે અને મોરબી પુલ દુર્ઘટનામાં રાજકોટ રેલનગરના દંપતિ અને પૂત્રના મોત થઈ જાય છે. દુર્ઘટનામાં રાજકોટના પરિવારનું નાનું બાળક બચી જાય છે.....


ત્રણ લોકોનાં મોત, એક નાનું બાળક બચી ગયું

ગઈકાલે મોરબીમાં બનેલી દુઃખદ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા હતા ત્યારે રાજકોટના પણ પાંચ લોકોએ આ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. પતિ પત્ની અને પુત્ર સહિતના ત્રણ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે આ અન્ય એક નાનું બાળક બચી ગયું હતું. મોરબીની આ ગોજારી દુર્ઘટના બાદ મૃતકના પરિવાર ઉપર જાણે આભ તૂટી પડયું હતું. 

 

રાજકોટના રેલનગરના પરિવારની ત્રણ-ત્રણ અર્થી ઉઠી

રાજકોટના પરિવારના સભ્યો હતાં ભૂપતભાઇ પરમાર, સંગીતાબેન પરમાર અને વિરાજ પરમાર, ત્રણેય આજે આપણી વચ્ચે નથી. રાજકોટના રેલનગર વિસ્તારના એક ઘરમાંથી એકસાથે ત્રણ-ત્રણ અર્થીઓ ઉઠી હતી. આ પરિવારના સભ્યોની સ્મશાન યાત્રા નીકળતા રેડ નગર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મોરબીની આ કરુણ દુર્ઘટનામાં 134 જેટલા લોકોના મોત થઈ ગયા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.