તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં થયું દંપતીનું મોત, ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કર્યું હતું તાપણું


  • Published By :
  • Published Date : 2023-01-23 10:11:15

રાજ્યમાં અનેક વર્ષો બાદ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. તો અનેક લોકો તાપણાનો ઉપયોગ કરતા હોય છે. ખુલ્લી જગ્યા પર તાપણું કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા ઘરમાં તાપણું કરી રહ્યા છે. તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં રહેતા એક દંપતિનું મોત થઈ ગયું છે.


ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો લોકો કરે છે ઉપયોગ 

ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. શીતલહેર કોને કહેવાય તેનો અનુભવ આ વખતની ઠંડીમાં થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી બચવા ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત અનેક લોકો તાપણાનો ઉપયોગ કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધુમાડાને કારણે વડોદરામાં રહેતા દંપતીનું મોત થયું છે.


તાપણાના ધુમાડાને કારણે ગયો દંપતીનો જીવ 

ઠંડીથી રક્ષણ મેળવવા વડોદરા શહેરના દશરથ વિસ્તારમાં રહેતા દંપતીનું મોત તાપણાના ધુમાડાને કારણે થયું છે. તાપણું કરીને દંપતી સૂઈ ગયા હતા. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામણ થઈ જેને કારણે બંનેના મોત થઈ ગયા. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં બની હતી. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીના મોત થઈ ગયા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.