તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં થયું દંપતીનું મોત, ઠંડીથી રક્ષણ મેળવવા ઘરમાં કર્યું હતું તાપણું


  • Published By :
  • Published Date : 2023-01-23 10:11:15

રાજ્યમાં અનેક વર્ષો બાદ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડા પહેરી રહ્યા છે. તો અનેક લોકો તાપણાનો ઉપયોગ કરતા હોય છે. ખુલ્લી જગ્યા પર તાપણું કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા ઘરમાં તાપણું કરી રહ્યા છે. તાપણાના ધુમાડાને કારણે વડોદરામાં રહેતા એક દંપતિનું મોત થઈ ગયું છે.


ઠંડીથી રક્ષણ મેળવવા તાપણાનો લોકો કરે છે ઉપયોગ 

ગુજરાતમાં આ વર્ષે કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. શીતલહેર કોને કહેવાય તેનો અનુભવ આ વખતની ઠંડીમાં થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો હજી પણ નીચે જવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડીથી બચવા ગરમ કપડાનો ઉપયોગ કરી રહ્યા છે. ઉપરાંત અનેક લોકો તાપણાનો ઉપયોગ કરી ઠંડીથી રક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધુમાડાને કારણે વડોદરામાં રહેતા દંપતીનું મોત થયું છે.


તાપણાના ધુમાડાને કારણે ગયો દંપતીનો જીવ 

ઠંડીથી રક્ષણ મેળવવા વડોદરા શહેરના દશરથ વિસ્તારમાં રહેતા દંપતીનું મોત તાપણાના ધુમાડાને કારણે થયું છે. તાપણું કરીને દંપતી સૂઈ ગયા હતા. પરંતુ ધુમાડાને કારણે ગુંગળામણ થઈ જેને કારણે બંનેના મોત થઈ ગયા. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના દશરથની કૃષ્ણવિલા સોસાયટીના 88 નંબરના મકાનમાં બની હતી. જેમાં વિનોદ સોલંકી અને ઉષા સોલંકીના મોત થઈ ગયા છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.