ધુળેટીની ઉજવણી બાદ ગુજરાતના ધારાસભ્યો માટે કરાશે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, મેચમાં ધારાસભ્યો લગાડશે ચોગ્ગા અને છગ્ગા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:11:08

ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. ત્યારે આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બની હોય. વિધાનસભામાં ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનેક ધારાસભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. 20 માર્ચ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. 


20 માર્ચ બાદ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ 

વિધાનસભામાં પ્રથમ વખત ધૂળેટીનું પર્વનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ એકબીજા પર રંગ લગાવ્યો હતો. ત્યારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે ઈતિહાસમાં પ્રથમ વખત લેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર પૂર્ણ થાય તે બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ પણ રમશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્યોની 9 ટીમ બનાવાશે.         




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.