ધુળેટીની ઉજવણી બાદ ગુજરાતના ધારાસભ્યો માટે કરાશે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, મેચમાં ધારાસભ્યો લગાડશે ચોગ્ગા અને છગ્ગા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:11:08

ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. ત્યારે આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બની હોય. વિધાનસભામાં ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનેક ધારાસભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. 20 માર્ચ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. 


20 માર્ચ બાદ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ 

વિધાનસભામાં પ્રથમ વખત ધૂળેટીનું પર્વનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ એકબીજા પર રંગ લગાવ્યો હતો. ત્યારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે ઈતિહાસમાં પ્રથમ વખત લેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર પૂર્ણ થાય તે બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ પણ રમશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્યોની 9 ટીમ બનાવાશે.         




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.