ધુળેટીની ઉજવણી બાદ ગુજરાતના ધારાસભ્યો માટે કરાશે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, મેચમાં ધારાસભ્યો લગાડશે ચોગ્ગા અને છગ્ગા


  • Published By :
  • Published Date : 2023-03-15 16:11:08

ગુજરાતમાં આ વખતે ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. ત્યારે આ વખતે વિધાનસભામાં એવી અનેક ઘટનાઓ ઘટી છે જે ઈતિહાસમાં પ્રથમ વખત બની હોય. વિધાનસભામાં ધામધૂમથી ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અનેક ધારાસભ્યોએ ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે ઈતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો વચ્ચે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. 20 માર્ચ બાદ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. 


20 માર્ચ બાદ યોજાશે ક્રિકેટ ટુર્નામેન્ટ 

વિધાનસભામાં પ્રથમ વખત ધૂળેટીનું પર્વનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોએ એકબીજા પર રંગ લગાવ્યો હતો. ત્યારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે ઈતિહાસમાં પ્રથમ વખત લેવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર પૂર્ણ થાય તે બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યોની ટીમમાં વિધાનસભાના અધિકારી તેમજ કર્મચારીઓ પણ રમશે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્યોની 9 ટીમ બનાવાશે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.