વડોદરામાં જોવા મળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ખામી! મંજૂરી વગર વ્યક્તિએ ઉડાવ્યું ડ્રોન


  • Published By :
  • Published Date : 2023-01-27 13:13:30

થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની તેમજ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક સામે આવી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક જોવા મળી હતી. વડોદરા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી તે સમયે ડ્રોન ઉડાવનાર શખ્સ સ્ટેજ સુધી પહોંચી ગયો હતો. આ ઘટના વડોદરાના કમાટીબાગ વિસ્તારમાં બની છે.



સીએમની સુરક્ષામાં થઈ ચૂક 

દેશમાં ટોચના નેતાઓની સુરક્ષા પાછળ અનેક એજન્સીઓ કામ કરતી હોય છે. એજન્સી પર તેમની સુરક્ષાની જવાબદારી રહેલી હોય છે. તેમની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડોદરાની મુલાકાતે હતા. કમાટીબાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. ત્યારે તેમની સુરક્ષામાં ચૂક સામે આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ જ્યારે સ્ટેજ પાસે હતા તે દરમિયાન ડ્રોન ઉડાવનાર એક વ્યક્તિ ત્યાં આવી પહોંચ્યો હતો. સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બાદ ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આ મામલે તાત્કાલિક જરૂર કાર્યવાહી કરી છે.       



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.