દિલ્લીની કોર્ટે AAPના પૂર્વ નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 19:32:18

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સહિત અન્ય બે લોકોની દિલ્લીની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે. 

સત્યેન્દ્ર જૈનના જામીન નામંજૂર

તપાસ એજન્સીએ વર્ષ 2017માં સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન સામે કથીત રીતે ચાર કંપનીઓ મારફતે કાળા નાણાને સફેદ ધનમાં ફેરવવાનો આરોપ છે. સમગ્ર બાબતો વચ્ચે સત્યેન્દ્ર જૈને જામીન માગ્યા હતા તો કોર્ટે જામીન ફગાવી દીધા છે. 


દિલ્લીની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવાના કેસમાં એક જેલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડીએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન સાથે મીલીભગત હોવાના કારણે સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. કોર્ટેને એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો જેમાં સત્યેન્દ્ર જૈનને મસાજ પણ કરવામાં આવી રહી હતી. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.