દિલ્લીની કોર્ટે AAPના પૂર્વ નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 19:32:18

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સહિત અન્ય બે લોકોની દિલ્લીની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે. 

સત્યેન્દ્ર જૈનના જામીન નામંજૂર

તપાસ એજન્સીએ વર્ષ 2017માં સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન સામે કથીત રીતે ચાર કંપનીઓ મારફતે કાળા નાણાને સફેદ ધનમાં ફેરવવાનો આરોપ છે. સમગ્ર બાબતો વચ્ચે સત્યેન્દ્ર જૈને જામીન માગ્યા હતા તો કોર્ટે જામીન ફગાવી દીધા છે. 


દિલ્લીની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવાના કેસમાં એક જેલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડીએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન સાથે મીલીભગત હોવાના કારણે સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. કોર્ટેને એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો જેમાં સત્યેન્દ્ર જૈનને મસાજ પણ કરવામાં આવી રહી હતી. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .