દિલ્લીની કોર્ટે AAPના પૂર્વ નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 19:32:18

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સહિત અન્ય બે લોકોની દિલ્લીની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે. 

સત્યેન્દ્ર જૈનના જામીન નામંજૂર

તપાસ એજન્સીએ વર્ષ 2017માં સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન સામે કથીત રીતે ચાર કંપનીઓ મારફતે કાળા નાણાને સફેદ ધનમાં ફેરવવાનો આરોપ છે. સમગ્ર બાબતો વચ્ચે સત્યેન્દ્ર જૈને જામીન માગ્યા હતા તો કોર્ટે જામીન ફગાવી દીધા છે. 


દિલ્લીની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવાના કેસમાં એક જેલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડીએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન સાથે મીલીભગત હોવાના કારણે સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. કોર્ટેને એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો જેમાં સત્યેન્દ્ર જૈનને મસાજ પણ કરવામાં આવી રહી હતી. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.