દિલ્લીની કોર્ટે AAPના પૂર્વ નેતા સત્યેન્દ્ર જૈનની જામીન અરજી ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-17 19:32:18

આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈન સહિત અન્ય બે લોકોની દિલ્લીની કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં કરેલી જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું હતું કે ત્રણેયની અરજી ફગાવી દેવામાં આવી છે. 

સત્યેન્દ્ર જૈનના જામીન નામંજૂર

તપાસ એજન્સીએ વર્ષ 2017માં સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સત્યેન્દ્ર જૈન સામે કથીત રીતે ચાર કંપનીઓ મારફતે કાળા નાણાને સફેદ ધનમાં ફેરવવાનો આરોપ છે. સમગ્ર બાબતો વચ્ચે સત્યેન્દ્ર જૈને જામીન માગ્યા હતા તો કોર્ટે જામીન ફગાવી દીધા છે. 


દિલ્લીની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવાના કેસમાં એક જેલ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઈડીએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન સાથે મીલીભગત હોવાના કારણે સત્યેન્દ્ર જૈનને વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે. કોર્ટેને એક વીડિયો પણ દેખાડવામાં આવ્યો હતો જેમાં સત્યેન્દ્ર જૈનને મસાજ પણ કરવામાં આવી રહી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.