ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજયસિંહનો જોવા મળ્યો અલગ અંદાજ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:20:23

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી આ યાત્રા કાશ્મીર જવાની છે. ત્યારે આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. આ યાત્રા ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. ત્યારે દિગ્વિજય સિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એકદમ અલગ અને હળવા અંદાજમાં જોવા મળ્યા. 

દિગ્વિજયસિંહનો એકદમ અલગ મિજાજ આવ્યો સામે  

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ યાત્રા મહારાષ્ટ્રથી નિકળી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લઈ શકે છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એકદમ અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે. યે દોસ્તી હમ નહીં છોડેંગે ગીત પર તેઓ દિલ ખોલીને ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોએ બધા લોકોનું દિલ જીતી લીધું છે કારણ કે દિગ્વિજયિસિંહનો આવો અંદાજ કોઈએ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

  


અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.