ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજયસિંહનો જોવા મળ્યો અલગ અંદાજ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:20:23

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી આ યાત્રા કાશ્મીર જવાની છે. ત્યારે આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. આ યાત્રા ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. ત્યારે દિગ્વિજય સિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એકદમ અલગ અને હળવા અંદાજમાં જોવા મળ્યા. 

દિગ્વિજયસિંહનો એકદમ અલગ મિજાજ આવ્યો સામે  

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ યાત્રા મહારાષ્ટ્રથી નિકળી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લઈ શકે છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એકદમ અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે. યે દોસ્તી હમ નહીં છોડેંગે ગીત પર તેઓ દિલ ખોલીને ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોએ બધા લોકોનું દિલ જીતી લીધું છે કારણ કે દિગ્વિજયિસિંહનો આવો અંદાજ કોઈએ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

  


અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.