ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજયસિંહનો જોવા મળ્યો અલગ અંદાજ


  • Published By :
  • Published Date : 2022-11-22 14:20:23

રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કન્યાકુમારીથી પ્રારંભ થયેલી આ યાત્રા કાશ્મીર જવાની છે. ત્યારે આ યાત્રામાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. આ યાત્રા ટૂંક સમયમાં મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. ત્યારે દિગ્વિજય સિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ એકદમ અલગ અને હળવા અંદાજમાં જોવા મળ્યા. 

દિગ્વિજયસિંહનો એકદમ અલગ મિજાજ આવ્યો સામે  

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ યાત્રા મહારાષ્ટ્રથી નિકળી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરવાની છે. આ યાત્રામાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. સોનિયા ગાંધીએ પણ આ યાત્રામાં ભાગ લીધો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધી પણ આ યાત્રામાં ભાગ લઈ શકે છે. ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એકદમ અલગ મિજાજમાં દેખાઈ રહ્યા છે. યે દોસ્તી હમ નહીં છોડેંગે ગીત પર તેઓ દિલ ખોલીને ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોએ બધા લોકોનું દિલ જીતી લીધું છે કારણ કે દિગ્વિજયિસિંહનો આવો અંદાજ કોઈએ પહેલા ક્યારેય નહીં જોયો હોય.

  


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.