સાંસદનું નામ લખી વેરાવળમાં ડોક્ટરે કર્યો આપઘાત, કાઢવામાં આવી અંતિમયાત્રા


  • Published By :
  • Published Date : 2023-02-13 18:13:01

રાજ્યમાં આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વેરાવળમાં જાણીતા ડોક્ટરે પોતાની હોસ્પિટલના પહેલા માળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારના 11 વાગ્યે ડોક્ટર નિયમીત રીતે નીચે આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ તે નીચે ન આવ્યા. જેને લઈ સ્ટાફ ઉપર ગયો ત્યાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનોની હાજરીમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, 



ડોક્ટરે લખેલી 2 લીટીની સ્યુસાઈડ નોટ


સુસાઈડ નોટમાં લખ્યું વર્તમાન સાંસદનું નામ    

વેરાવળમાં ડોક્ટરના આપઘાત બાદ ચકચાર મચી ગયો હતો. એસટી રોડ પર આવેલી કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ઘરાવતા એમ.ડી ડો. અતુલભાઈ ચગે હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. શનિવારે સુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.સુસાઈડ નોટમાં મરતા પહેલા ડોક્ટરે બે નામ લખ્યા હતા જેમાં રાજેશ ચૂડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદના છે રાજેશ ચુડાસમા છે. આ બેના નામ આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરી હતી. શોક વ્યક્ત કરતા તેમણે ગૃહમંત્રીને આ અંગે તપાસ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરૂ છું.

  



નાણાંકીય લેવડ-દેવડને કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન 

આત્મહત્યા કરવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આપઘાત મામલે આકસ્મિત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સ્યુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે અને નાણાંકીય લેવડ-દેવડની કોઈ ચિંતાને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.



ડોક્ટરની અંતિમયાત્રા



પરિવારજનોની હાજરીમાં કઢાઈ અંતિમયાત્રા 

ડોક્ટરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે આજે વેરાવળમાં ડોક્ટરની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરિવારની સાથે સાથે આ અંતિમ યાત્રામાં સમાજના લોકો પણ જોડાયા હતા.      




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.