સાંસદનું નામ લખી વેરાવળમાં ડોક્ટરે કર્યો આપઘાત, કાઢવામાં આવી અંતિમયાત્રા


  • Published By :
  • Published Date : 2023-02-13 18:13:01

રાજ્યમાં આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વેરાવળમાં જાણીતા ડોક્ટરે પોતાની હોસ્પિટલના પહેલા માળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારના 11 વાગ્યે ડોક્ટર નિયમીત રીતે નીચે આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ તે નીચે ન આવ્યા. જેને લઈ સ્ટાફ ઉપર ગયો ત્યાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનોની હાજરીમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, 



ડોક્ટરે લખેલી 2 લીટીની સ્યુસાઈડ નોટ


સુસાઈડ નોટમાં લખ્યું વર્તમાન સાંસદનું નામ    

વેરાવળમાં ડોક્ટરના આપઘાત બાદ ચકચાર મચી ગયો હતો. એસટી રોડ પર આવેલી કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ઘરાવતા એમ.ડી ડો. અતુલભાઈ ચગે હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. શનિવારે સુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.સુસાઈડ નોટમાં મરતા પહેલા ડોક્ટરે બે નામ લખ્યા હતા જેમાં રાજેશ ચૂડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદના છે રાજેશ ચુડાસમા છે. આ બેના નામ આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરી હતી. શોક વ્યક્ત કરતા તેમણે ગૃહમંત્રીને આ અંગે તપાસ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરૂ છું.

  



નાણાંકીય લેવડ-દેવડને કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન 

આત્મહત્યા કરવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આપઘાત મામલે આકસ્મિત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સ્યુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે અને નાણાંકીય લેવડ-દેવડની કોઈ ચિંતાને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.



ડોક્ટરની અંતિમયાત્રા



પરિવારજનોની હાજરીમાં કઢાઈ અંતિમયાત્રા 

ડોક્ટરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે આજે વેરાવળમાં ડોક્ટરની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરિવારની સાથે સાથે આ અંતિમ યાત્રામાં સમાજના લોકો પણ જોડાયા હતા.      




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .