સાંસદનું નામ લખી વેરાવળમાં ડોક્ટરે કર્યો આપઘાત, કાઢવામાં આવી અંતિમયાત્રા


  • Published By :
  • Published Date : 2023-02-13 18:13:01

રાજ્યમાં આપઘાત કરવાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. અનેક લોકો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે વેરાવળમાં જાણીતા ડોક્ટરે પોતાની હોસ્પિટલના પહેલા માળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારના 11 વાગ્યે ડોક્ટર નિયમીત રીતે નીચે આવતા હતા પરંતુ 12 ફેબ્રુઆરીના રોજ તે નીચે ન આવ્યા. જેને લઈ સ્ટાફ ઉપર ગયો ત્યાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પરિવારજનોની હાજરીમાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, 



ડોક્ટરે લખેલી 2 લીટીની સ્યુસાઈડ નોટ


સુસાઈડ નોટમાં લખ્યું વર્તમાન સાંસદનું નામ    

વેરાવળમાં ડોક્ટરના આપઘાત બાદ ચકચાર મચી ગયો હતો. એસટી રોડ પર આવેલી કાવેરી હોટલ પાછળ હોસ્પિટલ ઘરાવતા એમ.ડી ડો. અતુલભાઈ ચગે હોસ્પિટલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. શનિવારે સુસાઈડ નોટ લખી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.સુસાઈડ નોટમાં મરતા પહેલા ડોક્ટરે બે નામ લખ્યા હતા જેમાં રાજેશ ચૂડાસમા અને નારણભાઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.  જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદના છે રાજેશ ચુડાસમા છે. આ બેના નામ આવતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. આ મામલે પરિમલ નથવાણીએ પણ ટ્વિટ કરી હતી. શોક વ્યક્ત કરતા તેમણે ગૃહમંત્રીને આ અંગે તપાસ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરૂ છું.

  



નાણાંકીય લેવડ-દેવડને કારણે આત્મહત્યા કરી હોવાનું અનુમાન 

આત્મહત્યા કરવાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે આપઘાત મામલે આકસ્મિત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ સ્યુસાઈડ નોટ ડોક્ટરે જ લખી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ કેસને લઈ પોલીસ તપાસ કરી રહી છે અને નાણાંકીય લેવડ-દેવડની કોઈ ચિંતાને કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.



ડોક્ટરની અંતિમયાત્રા



પરિવારજનોની હાજરીમાં કઢાઈ અંતિમયાત્રા 

ડોક્ટરના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. ત્યારે આજે વેરાવળમાં ડોક્ટરની અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરિવારની સાથે સાથે આ અંતિમ યાત્રામાં સમાજના લોકો પણ જોડાયા હતા.      




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.