બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર નશામાં ધૂત વ્યક્તિએ કર્યો પેશાબ, નોંધાવાઈ પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-04 17:02:48

આજકાલ ફ્લાઈટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કોઈ વખત પેસેન્જર પેસેન્જર સાથે લડતા હોય છે તો કોઈ વખત પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે લડતા હોય તેવી ઘટના સામે આવતી રહે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ તમામ હદ હટાવી દીધી છે અને બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ કરી છે.


70 વર્ષીય મહિલા પર પૂરૂષે કર્યો પેશાબ 

ફ્લાઈટમાં થતી ઘટનાઓ તેમજ બબાલોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે શર્મશાર કરે એવી છે. ન્યુયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ઘૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો છે. આ કૃત્યને કારણે બધા સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ મહિલાએ ટાટા ગૃપના ચેરમેન ચંદ્રશેખરનને પત્ર લખ્યો અને ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. 


એર ઈન્ડિયા કંપનીએ દાખલ કરાવી ફરિયાદ 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલા દ્વારા લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ આ ઘટનાનો સામનો કરવા માટે સતર્ક ન હતા. આ મામલે એર ઈન્ડિયાએ એફઆરઆઈ દાખલ કરાવી છે. ઉપરાંત કંપનીએ આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના પણ કરી છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કૃત્ય કરનાર પૂરૂષનું નામ નો-ફ્લાઈટ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. આ મામલે નાગરિક ઉડ્ડયન વિભાગે પણ એરલાઈન્સ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.    




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.