બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર નશામાં ધૂત વ્યક્તિએ કર્યો પેશાબ, નોંધાવાઈ પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-04 17:02:48

આજકાલ ફ્લાઈટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કોઈ વખત પેસેન્જર પેસેન્જર સાથે લડતા હોય છે તો કોઈ વખત પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે લડતા હોય તેવી ઘટના સામે આવતી રહે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ તમામ હદ હટાવી દીધી છે અને બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ કરી છે.


70 વર્ષીય મહિલા પર પૂરૂષે કર્યો પેશાબ 

ફ્લાઈટમાં થતી ઘટનાઓ તેમજ બબાલોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે શર્મશાર કરે એવી છે. ન્યુયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ઘૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો છે. આ કૃત્યને કારણે બધા સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ મહિલાએ ટાટા ગૃપના ચેરમેન ચંદ્રશેખરનને પત્ર લખ્યો અને ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. 


એર ઈન્ડિયા કંપનીએ દાખલ કરાવી ફરિયાદ 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલા દ્વારા લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ આ ઘટનાનો સામનો કરવા માટે સતર્ક ન હતા. આ મામલે એર ઈન્ડિયાએ એફઆરઆઈ દાખલ કરાવી છે. ઉપરાંત કંપનીએ આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના પણ કરી છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કૃત્ય કરનાર પૂરૂષનું નામ નો-ફ્લાઈટ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. આ મામલે નાગરિક ઉડ્ડયન વિભાગે પણ એરલાઈન્સ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.    




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.