બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર નશામાં ધૂત વ્યક્તિએ કર્યો પેશાબ, નોંધાવાઈ પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-04 17:02:48

આજકાલ ફ્લાઈટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કોઈ વખત પેસેન્જર પેસેન્જર સાથે લડતા હોય છે તો કોઈ વખત પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે લડતા હોય તેવી ઘટના સામે આવતી રહે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ તમામ હદ હટાવી દીધી છે અને બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ કરી છે.


70 વર્ષીય મહિલા પર પૂરૂષે કર્યો પેશાબ 

ફ્લાઈટમાં થતી ઘટનાઓ તેમજ બબાલોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે શર્મશાર કરે એવી છે. ન્યુયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ઘૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો છે. આ કૃત્યને કારણે બધા સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ મહિલાએ ટાટા ગૃપના ચેરમેન ચંદ્રશેખરનને પત્ર લખ્યો અને ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. 


એર ઈન્ડિયા કંપનીએ દાખલ કરાવી ફરિયાદ 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલા દ્વારા લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ આ ઘટનાનો સામનો કરવા માટે સતર્ક ન હતા. આ મામલે એર ઈન્ડિયાએ એફઆરઆઈ દાખલ કરાવી છે. ઉપરાંત કંપનીએ આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના પણ કરી છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કૃત્ય કરનાર પૂરૂષનું નામ નો-ફ્લાઈટ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. આ મામલે નાગરિક ઉડ્ડયન વિભાગે પણ એરલાઈન્સ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.