બિઝનેસ ક્લાસમાં બેઠેલી મહિલા પર નશામાં ધૂત વ્યક્તિએ કર્યો પેશાબ, નોંધાવાઈ પોલીસ ફરિયાદ


  • Published By :
  • Published Date : 2023-01-04 17:02:48

આજકાલ ફ્લાઈટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કોઈ વખત પેસેન્જર પેસેન્જર સાથે લડતા હોય છે તો કોઈ વખત પેસેન્જર ક્રૂ મેમ્બર સાથે લડતા હોય તેવી ઘટના સામે આવતી રહે છે. ત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં નશામાં ઘૂત વ્યક્તિએ તમામ હદ હટાવી દીધી છે અને બાજુમાં બેઠેલી મહિલા પેસેન્જર પર પેશાબ કરી લીધો. આ ઘટના બાદ મહિલાએ ફરિયાદ કરી છે.


70 વર્ષીય મહિલા પર પૂરૂષે કર્યો પેશાબ 

ફ્લાઈટમાં થતી ઘટનાઓ તેમજ બબાલોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે જે શર્મશાર કરે એવી છે. ન્યુયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં નશામાં ઘૂત વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષીય મહિલા પર પેશાબ કર્યો છે. આ કૃત્યને કારણે બધા સ્તબ્ધ થઈ ગયા. આ ઘટના બાદ મહિલાએ ટાટા ગૃપના ચેરમેન ચંદ્રશેખરનને પત્ર લખ્યો અને ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ થઈ હતી. 


એર ઈન્ડિયા કંપનીએ દાખલ કરાવી ફરિયાદ 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના 26 નવેમ્બર 2022ની છે. મહિલા દ્વારા લખવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું હતું કે પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ આ ઘટનાનો સામનો કરવા માટે સતર્ક ન હતા. આ મામલે એર ઈન્ડિયાએ એફઆરઆઈ દાખલ કરાવી છે. ઉપરાંત કંપનીએ આ ઘટના અંગે તપાસ કરવા કમિટીની રચના પણ કરી છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ કૃત્ય કરનાર પૂરૂષનું નામ નો-ફ્લાઈટ લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. આ મામલે નાગરિક ઉડ્ડયન વિભાગે પણ એરલાઈન્સ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.