મહારાષ્ટ્રના થાણેમાં 2 હજારની નકલી નોટ ઝડપાઈ, બેની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:15:32

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના પાલઘરમાં મોટી સંખ્યામાં 2 હજારની નકલી નોટ મળી આવી હતી. નકલી નોટ ગણવામાં આવી ત્યારે આંકડો 8 કરોડે પહોંચ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પોલીસ મોટી માછલીની શોધમાં

મહારાષ્ટ્ર પોલીસે 8 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે પાલઘરના બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ પ્રકરણમાં જોડાયેલા ઉપરના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ પણ જાન્યુઆરી માસમાં પોલીસે 7 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી પાડી હતી. નકલી નોટનો ઉપયોગ કેવી રીતે અને શાના માટે કરવામાં આવે છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ નોટ ક્યાંથી છપાઈ હતી અને ક્યાં મોકલવામાં આવી રહી હતી તેની તપાસ કરવામાં આવશે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.