મહારાષ્ટ્રના થાણેમાં 2 હજારની નકલી નોટ ઝડપાઈ, બેની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:15:32

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના પાલઘરમાં મોટી સંખ્યામાં 2 હજારની નકલી નોટ મળી આવી હતી. નકલી નોટ ગણવામાં આવી ત્યારે આંકડો 8 કરોડે પહોંચ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પોલીસ મોટી માછલીની શોધમાં

મહારાષ્ટ્ર પોલીસે 8 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે પાલઘરના બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ પ્રકરણમાં જોડાયેલા ઉપરના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ પણ જાન્યુઆરી માસમાં પોલીસે 7 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી પાડી હતી. નકલી નોટનો ઉપયોગ કેવી રીતે અને શાના માટે કરવામાં આવે છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ નોટ ક્યાંથી છપાઈ હતી અને ક્યાં મોકલવામાં આવી રહી હતી તેની તપાસ કરવામાં આવશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.