મહારાષ્ટ્રના થાણેમાં 2 હજારની નકલી નોટ ઝડપાઈ, બેની ધરપકડ


  • Published By :
  • Published Date : 2022-11-12 14:15:32

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના પાલઘરમાં મોટી સંખ્યામાં 2 હજારની નકલી નોટ મળી આવી હતી. નકલી નોટ ગણવામાં આવી ત્યારે આંકડો 8 કરોડે પહોંચ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે નકલી નોટ સાથે 2 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પોલીસ મોટી માછલીની શોધમાં

મહારાષ્ટ્ર પોલીસે 8 કરોડ રૂપિયાની નકલી નોટ સાથે પાલઘરના બે લોકોની ધરપકડ કરી છે. પોલીસ આ પ્રકરણમાં જોડાયેલા ઉપરના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. અગાઉ પણ જાન્યુઆરી માસમાં પોલીસે 7 કરોડ રૂપિયાની નકલી નોટ ઝડપી પાડી હતી. નકલી નોટનો ઉપયોગ કેવી રીતે અને શાના માટે કરવામાં આવે છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ નોટ ક્યાંથી છપાઈ હતી અને ક્યાં મોકલવામાં આવી રહી હતી તેની તપાસ કરવામાં આવશે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.