અમદાવાદના શાહપુરમાં રહેતો પરિવાર બન્યો કાળનો કોળિયો, માતા-પિતા સાથે 8 વર્ષના બાળકનું પણ થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 10:49:29

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગ લાગી છે જેમાં 3 લોકોના મોત થયા છે જેમાં પતિ-પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. વહેલી સવારે ઘરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. પરિવાર સૂતો હતો તે દરમિયાન આગ લાગી હતી. આગ લાગતા ઘરમાંથી ધૂમાડો નિકળતા આગ લાગવાની જાણકારી આસપાસના લોકોને થઈ. 




એક જ પરિવારના 3 સભ્યોના થયા મોત 

આગની ઘટનામાં અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે વહેલી સવારે અમદાવાદના શાહપુરમાં આવેલી ન્યૂ.એચ.કોલોનીમાં આવેલા એક ઘરમાં આગ લાગી હતી. પરિવાર સૂતો હતો તે સમયે આગ લાગી હતી જેમાં પતિ-પત્ની અને 8 વર્ષનો બાળક આગમાં હોમાઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની જાણકારી નથી મળી. 





ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબૂ

આગને કારણે ધૂમાડા નીકળતા પડોશી દોડી આવ્યા હતા. અને આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાંથી પતિ-પત્ની અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા નારણપૂરાની આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.