અમદાવાદના શાહપુરમાં રહેતો પરિવાર બન્યો કાળનો કોળિયો, માતા-પિતા સાથે 8 વર્ષના બાળકનું પણ થયું મોત


  • Published By :
  • Published Date : 2023-01-02 10:49:29

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આગ લાગી છે જેમાં 3 લોકોના મોત થયા છે જેમાં પતિ-પત્ની અને બાળકનો સમાવેશ થાય છે. વહેલી સવારે ઘરમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. પરિવાર સૂતો હતો તે દરમિયાન આગ લાગી હતી. આગ લાગતા ઘરમાંથી ધૂમાડો નિકળતા આગ લાગવાની જાણકારી આસપાસના લોકોને થઈ. 




એક જ પરિવારના 3 સભ્યોના થયા મોત 

આગની ઘટનામાં અનેક લોકોના મોત નિપજતા હોય છે. ત્યારે વહેલી સવારે અમદાવાદના શાહપુરમાં આવેલી ન્યૂ.એચ.કોલોનીમાં આવેલા એક ઘરમાં આગ લાગી હતી. પરિવાર સૂતો હતો તે સમયે આગ લાગી હતી જેમાં પતિ-પત્ની અને 8 વર્ષનો બાળક આગમાં હોમાઈ ગયો છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની જાણકારી નથી મળી. 





ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મેળવ્યો આગ પર કાબૂ

આગને કારણે ધૂમાડા નીકળતા પડોશી દોડી આવ્યા હતા. અને આગ લાગવાની ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘરમાંથી પતિ-પત્ની અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા નારણપૂરાની આઈ કેર હોસ્પિટલમાં આગ લાગી હતી જેમાં 2 લોકોના મોત થયા હતા.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.