અમદાવાદના એક પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 20:58:22


અમદાવાદના વસ્ત્રાલ રિંગરોડ પાસે આવેલી શ્રીજી રેસિડેન્સીમાં રહેતા પરિવારે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે હાલ ત્રણેય હાલત સ્થિર છે. રામોલ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે.


ત્રણેયની હાલત સ્થિર 

વસ્ત્રાલની શ્રીજી રેસિડેન્સી રહેતા એક પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવા સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. માતા-પિતા અને પુત્ર સહિત ત્રણેય સભ્યોએ એકસાથે ઝેર પી લીધું હતું. ત્રણેયને મણિનગરની એલજી હોસ્પિટલમા નાજુક હાલતમાં સારવાર માટે ICUમા દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારે લોનના વ્યાજના કારણે આ પગલું ભર્યું હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 


કેમ આપઘાતનો પ્રયાસ કર્યો ? 


રમૉલ પીઆઈ સી.આર રણાએ જણાવ્યું હતું કે  આપઘાત માટે પ્રયત્ન કરનાર ત્રણેય વ્યક્તિઓની હાલત અત્યારે સ્થિર છે. જેમાં પરિવારમાં પુત્રે 1.50 લાખ રૂપિયાની ઓનલાઇન લોન લીધી હતી, જેનું વ્યાજ ખૂબ વધી ગયું હોવાના કારણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .