અરવલ્લીમાં રાત્રીના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતનું થયું મોત! પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:19:26

રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. આપણે રાત્રે સુતા હોઈએ છીએ. ત્યારે અનેક ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા હોય છે. અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે પાણી વાળવા ગયા હતા તે દરમિયાન સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે ઠંડીને કારણે તેમનું મૃત્યુ થયું છે. 


થોડા સમય પહેલા થયું હતું ખેડૂતનું મોત 

અનેક વર્ષો બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કાતિલ ઠંડીથી બચવા અનેક લોકો ગરમ કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીને કારણે એક ખેડૂતનું મોત થઈ ગયું હતું ત્યારે ફરી એક ખેડૂતનું મોત ઠંડીને કારણે થયું છે. ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે. 


સવારે વીજળી આપવામાં આવે તેવી કરાઈ માગ 

અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતર વાળવા ગયા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે તેવા આક્ષેપ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્ર સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતનું મોત થતા આસપાસના લોકોમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આસપાસના વિસ્તારના ખેડૂતો સવારે વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.