અરવલ્લીમાં રાત્રીના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતનું થયું મોત! પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:19:26

રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. આપણે રાત્રે સુતા હોઈએ છીએ. ત્યારે અનેક ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા હોય છે. અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે પાણી વાળવા ગયા હતા તે દરમિયાન સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે ઠંડીને કારણે તેમનું મૃત્યુ થયું છે. 


થોડા સમય પહેલા થયું હતું ખેડૂતનું મોત 

અનેક વર્ષો બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કાતિલ ઠંડીથી બચવા અનેક લોકો ગરમ કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીને કારણે એક ખેડૂતનું મોત થઈ ગયું હતું ત્યારે ફરી એક ખેડૂતનું મોત ઠંડીને કારણે થયું છે. ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે. 


સવારે વીજળી આપવામાં આવે તેવી કરાઈ માગ 

અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતર વાળવા ગયા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે તેવા આક્ષેપ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્ર સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતનું મોત થતા આસપાસના લોકોમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આસપાસના વિસ્તારના ખેડૂતો સવારે વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.