અરવલ્લીમાં રાત્રીના સમયે પાણી વાળવા ગયેલા ખેડૂતનું થયું મોત! પરિવારમાં શોકનો માહોલ


  • Published By :
  • Published Date : 2023-01-28 17:19:26

રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે. આપણે રાત્રે સુતા હોઈએ છીએ. ત્યારે અનેક ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા હોય છે. અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે પાણી વાળવા ગયા હતા તે દરમિયાન સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પત્નીનો આક્ષેપ છે કે ઠંડીને કારણે તેમનું મૃત્યુ થયું છે. 


થોડા સમય પહેલા થયું હતું ખેડૂતનું મોત 

અનેક વર્ષો બાદ ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. કાતિલ ઠંડીથી બચવા અનેક લોકો ગરમ કપડા સહિતની વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ થોડા દિવસો પહેલા કડકડતી ઠંડીને કારણે એક ખેડૂતનું મોત થઈ ગયું હતું ત્યારે ફરી એક ખેડૂતનું મોત ઠંડીને કારણે થયું છે. ત્યારે આવી જ એક ઘટના ફરી બની છે. 


સવારે વીજળી આપવામાં આવે તેવી કરાઈ માગ 

અરવલ્લીમાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતર વાળવા ગયા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે તેવા આક્ષેપ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી રહ્યા છે. તંત્ર સામે સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતનું મોત થતા આસપાસના લોકોમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. આસપાસના વિસ્તારના ખેડૂતો સવારે વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.