અરવલ્લીના મોડાસામાં પિતાએ દિકરીનું ગળું કાપી નાખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-09 15:45:12

અરવલ્લીના મોડાસામાં ક્રુર પિતાએ પોતાની દિકરીનું બ્લેડથી ગળું કાપી નાખવાની ઘટના ઘટી છે. ધનસુરા તાલુકામાં રહેનાર પરિવારની દિકરી પ્રેમી સાથે ભાગી ગઈ હતી. યુવક સાથે ભાગેલી દિકરી સગીર વયની હતી અને ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી. સગીરા 2 મહિનાથી ચિલ્ડ્રન હોમમાં રહેતી હતી. દિકરીના પિતા ચિલ્ડ્રન હોમમાં મળવા ગયા હતા ત્યારે તેણે દિકરીનું ગળું બ્લેડથી કાપી નાખ્યું હતું.


પિતાએ બ્લેડથી દિકરીનું ગળું કાપ્યું

પિતા જ્યારે દિકરીને મળવા માટે ચિલ્ડ્રન હોમમાં ગયા હતા ત્યારે બ્લેડ લઈને ગયા હતા. દિકરીને જોયા બાદ જ પિતાએ દિકરીનું ગળું કાપી નાખ્યું હતું. દિકરીની હાલત ગંભીર છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસે દિકરીના ક્રુર પિતાને ઝડપી લીધો છે. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.