દિલ્હીની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા પહોંચી 27 ફાયર ફાયટરની ટીમ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:22:25

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ભયંકર આગ લાગી છે. મળતી માહિતી અનુસાર મોતી નગર નજીક આ આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

  

આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડી પહોંચી  

અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આગ લાગવાને કારણે નુકસાન થતું હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટના બની છે. મોતી નગર ખાતે આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી પરંતુ આગ પર કાબુ મેળવવા 27 ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આવી પહોંચી હતી. આ આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


અનેક સ્થળો પર લાગી છે આગ 

થોડા દિવસો પહેલા પૂર્વ દિલ્હી સ્થિત એક કોલોનીમાં આગ લાગી હતી. એ આગ પણ એટલી વિકરાળ હતી કે તેને શાંત કરવા 16 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. તે પહેલા કરોલબાગમાં પણ આગ લાગી હતી.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.