દિલ્હીની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા પહોંચી 27 ફાયર ફાયટરની ટીમ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:22:25

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ભયંકર આગ લાગી છે. મળતી માહિતી અનુસાર મોતી નગર નજીક આ આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

  

આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડી પહોંચી  

અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આગ લાગવાને કારણે નુકસાન થતું હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટના બની છે. મોતી નગર ખાતે આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી પરંતુ આગ પર કાબુ મેળવવા 27 ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આવી પહોંચી હતી. આ આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


અનેક સ્થળો પર લાગી છે આગ 

થોડા દિવસો પહેલા પૂર્વ દિલ્હી સ્થિત એક કોલોનીમાં આગ લાગી હતી. એ આગ પણ એટલી વિકરાળ હતી કે તેને શાંત કરવા 16 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. તે પહેલા કરોલબાગમાં પણ આગ લાગી હતી.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.