દિલ્હીની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા પહોંચી 27 ફાયર ફાયટરની ટીમ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:22:25

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ભયંકર આગ લાગી છે. મળતી માહિતી અનુસાર મોતી નગર નજીક આ આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

  

આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડી પહોંચી  

અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આગ લાગવાને કારણે નુકસાન થતું હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટના બની છે. મોતી નગર ખાતે આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી પરંતુ આગ પર કાબુ મેળવવા 27 ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આવી પહોંચી હતી. આ આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


અનેક સ્થળો પર લાગી છે આગ 

થોડા દિવસો પહેલા પૂર્વ દિલ્હી સ્થિત એક કોલોનીમાં આગ લાગી હતી. એ આગ પણ એટલી વિકરાળ હતી કે તેને શાંત કરવા 16 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. તે પહેલા કરોલબાગમાં પણ આગ લાગી હતી.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.