દિલ્હીની એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા પહોંચી 27 ફાયર ફાયટરની ટીમ


  • Published By :
  • Published Date : 2023-02-13 12:22:25

આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ભયંકર આગ લાગી છે. મળતી માહિતી અનુસાર મોતી નગર નજીક આ આગની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો.

  

આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની ગાડી પહોંચી  

અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આગ લાગવાને કારણે નુકસાન થતું હોય છે તો અનેક લોકોના મોત પણ થતા હોય છે. ત્યારે રાજધાની દિલ્હીમાં આગ લાગવાની ઘટના બની છે. મોતી નગર ખાતે આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે જાણી શકાયું નથી પરંતુ આગ પર કાબુ મેળવવા 27 ફાયર બ્રિગેડની 27 ગાડીઓ આવી પહોંચી હતી. આ આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આગની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. 


અનેક સ્થળો પર લાગી છે આગ 

થોડા દિવસો પહેલા પૂર્વ દિલ્હી સ્થિત એક કોલોનીમાં આગ લાગી હતી. એ આગ પણ એટલી વિકરાળ હતી કે તેને શાંત કરવા 16 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. તે પહેલા કરોલબાગમાં પણ આગ લાગી હતી.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.