ઝારખંડની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આગને કારણે ગયા અનેક લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-01-28 12:57:24

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. આગ લાગવાની ઘટના ઝારખંડમાં બની છે. શુક્રવારની રાત્રે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેમાં 6 લોકોના મોત થયા છે. આ આગમાં બે ડોક્ટર સહિત 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે હોસ્પિટલના પહેલા માળને લપેટામાં લઈ લીધો હતો.

     

6 લોકોના થયા મોત 

અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે લોકો હોમાઈ રહ્યા છે. ત્યારે ઝારખંડમાં ધનબાદના જૂના બજારમાં આવેલી એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જીવતા જીવ 6 લોકો બળી મોતને ભેટ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા તેમાં ડોક્ટર દંપતી સહિત 6 લોકોના મોત થયા છે.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ

જે સમયે આ ઘટના બની તે સમયે અનેક લોકો સૂઈ રહ્યા હતા. આગને કાબુમાં લેવા પાણીનો મારો કરવામાં આવ્યો હતો પરંતુ આગે એટલું વિકરાળ રૂપ લઈ લીધું હતું કે આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે હોસ્પિટલની અંદર રહેલા અનેક લોકો ધુમાડાને કારણે મોત નિપજ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.