ઝારખંડની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આગને કારણે ગયા અનેક લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-01-28 12:57:24

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. આગ લાગવાની ઘટના ઝારખંડમાં બની છે. શુક્રવારની રાત્રે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેમાં 6 લોકોના મોત થયા છે. આ આગમાં બે ડોક્ટર સહિત 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે હોસ્પિટલના પહેલા માળને લપેટામાં લઈ લીધો હતો.

     

6 લોકોના થયા મોત 

અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે લોકો હોમાઈ રહ્યા છે. ત્યારે ઝારખંડમાં ધનબાદના જૂના બજારમાં આવેલી એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જીવતા જીવ 6 લોકો બળી મોતને ભેટ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા તેમાં ડોક્ટર દંપતી સહિત 6 લોકોના મોત થયા છે.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ

જે સમયે આ ઘટના બની તે સમયે અનેક લોકો સૂઈ રહ્યા હતા. આગને કાબુમાં લેવા પાણીનો મારો કરવામાં આવ્યો હતો પરંતુ આગે એટલું વિકરાળ રૂપ લઈ લીધું હતું કે આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે હોસ્પિટલની અંદર રહેલા અનેક લોકો ધુમાડાને કારણે મોત નિપજ્યા છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.