ઝારખંડની હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, આગને કારણે ગયા અનેક લોકોના મોત!


  • Published By :
  • Published Date : 2023-01-28 12:57:24

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. આગ લાગવાની ઘટના ઝારખંડમાં બની છે. શુક્રવારની રાત્રે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એકાએક ભીષણ આગ લાગી હતી જેમાં 6 લોકોના મોત થયા છે. આ આગમાં બે ડોક્ટર સહિત 6 લોકોના મોત થયા છે. મળતી માહિતી અનુસાર આ શોર્ટ સર્કિટના કારણે બીજા માળે આગ લાગી હતી અને ધીમે ધીમે હોસ્પિટલના પહેલા માળને લપેટામાં લઈ લીધો હતો.

     

6 લોકોના થયા મોત 

અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે લોકો હોમાઈ રહ્યા છે. ત્યારે ઝારખંડમાં ધનબાદના જૂના બજારમાં આવેલી એક હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જીવતા જીવ 6 લોકો બળી મોતને ભેટ્યા છે. જે લોકો મૃત્યુ પામ્યા તેમાં ડોક્ટર દંપતી સહિત 6 લોકોના મોત થયા છે.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા કર્યો પ્રયાસ

જે સમયે આ ઘટના બની તે સમયે અનેક લોકો સૂઈ રહ્યા હતા. આગને કાબુમાં લેવા પાણીનો મારો કરવામાં આવ્યો હતો પરંતુ આગે એટલું વિકરાળ રૂપ લઈ લીધું હતું કે આગ પર કાબુ મેળવી શકાયો ન હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ એટલી વિકરાળ હતી કે હોસ્પિટલની અંદર રહેલા અનેક લોકો ધુમાડાને કારણે મોત નિપજ્યા છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.