ઝારખંડના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,પૂજા માટે કરવામાં આવેલા દિવાને કારણે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-01 11:24:59

ઝારખંડના ધનબાદ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. મંગળવાર સવારે 6 વાગ્યાની આસપાસ 10 માળા વાળા આશીર્વાદ ટ્વીન બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજીત 14 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા પણ છે. તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળે પહોંચી  

આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એક ભીષણ આગ ઝારખંડના ધનબાદ વિસ્તારમાં લાગી હતી. 10 માળના આશીર્વાદ ટ્વિન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરિવારે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવ્યો હતો. પૂજા દરમિયાન કરવામાં આવેલા દીવાને બાળકે નીચે પાડી દીધો. જેને કારણે કારપેટમાં આગ ફેલાઈ ગઈ. ગેસ સિલિન્ડરના સંપર્કમાં આવવાને કારણે આગ વધુ વિકરાળ થઈ ગઈ અને આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ. 


વધી શકે છે મોતનો આંકડો 

આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ચોથા માળ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આગ જોતા લોકોએ બૂમો પાડવાની શરૂઆત કરી હતી. અવાજ સાંભળીને ગાર્ડ બહાર આવ્યો અને આગની ઘટનાની જાણ થઈ. અનેક લોકો બાલ્કનીની બહાર આવી ગયા. પરંતુ દરેક જગ્યા પર આગ જ આગ હતી. જેને કારણે બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 20 ગાડીયો પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજીત 14 લોકોના મોત થયા છે અને આ આંકડો વધી પણ  શકે છે.           




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.