ઝારખંડના આશીર્વાદ ટાવરમાં લાગી ભીષણ આગ,પૂજા માટે કરવામાં આવેલા દિવાને કારણે સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2023-02-01 11:24:59

ઝારખંડના ધનબાદ વિસ્તારમાં આવેલા આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. મંગળવાર સવારે 6 વાગ્યાની આસપાસ 10 માળા વાળા આશીર્વાદ ટ્વીન બિલ્ડીંગના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજીત 14 લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દાઝ્યા પણ છે. તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


ત્રીજા માળે લાગેલી આગ ચોથા માળે પહોંચી  

આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે એક ભીષણ આગ ઝારખંડના ધનબાદ વિસ્તારમાં લાગી હતી. 10 માળના આશીર્વાદ ટ્વિન એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા પરિવારે ભગવાન સમક્ષ દીવો પ્રગટાવ્યો હતો. પૂજા દરમિયાન કરવામાં આવેલા દીવાને બાળકે નીચે પાડી દીધો. જેને કારણે કારપેટમાં આગ ફેલાઈ ગઈ. ગેસ સિલિન્ડરના સંપર્કમાં આવવાને કારણે આગ વધુ વિકરાળ થઈ ગઈ અને આખા ફ્લેટમાં ફેલાઈ ગઈ. 


વધી શકે છે મોતનો આંકડો 

આગ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. ચોથા માળ પર લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આગ જોતા લોકોએ બૂમો પાડવાની શરૂઆત કરી હતી. અવાજ સાંભળીને ગાર્ડ બહાર આવ્યો અને આગની ઘટનાની જાણ થઈ. અનેક લોકો બાલ્કનીની બહાર આવી ગયા. પરંતુ દરેક જગ્યા પર આગ જ આગ હતી. જેને કારણે બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો હતો. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની 20 ગાડીયો પહોંચી ગઈ હતી. આખી બિલ્ડિંગમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજીત 14 લોકોના મોત થયા છે અને આ આંકડો વધી પણ  શકે છે.           




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.