રાજકોટમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં લાગી આગ, અનેક કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-06-22 16:22:34

રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે રાજકોટમાં આવેલી રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અચાનક આગ ફાટી નીકળતા દુકાન બહાર મૂકાયેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફર્નિચર ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જેને કારણે ગોડાઉનમાં રહેલો 60થી 70 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની 8 જેટલી ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળ જોવા મળતી હતી.     

      

60થી 70 લાખનો સામાન બળીને થયો ખાખ!  

રાજકોટ મવડી વિસ્તારમાં આવેલા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 8 જેટલી ટીમો ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાને કારણે ગોડાઉનમાં રહેલા 60થી70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી છે. બહાર ઉભેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. 



આગને કારણે દુકાન બળીને થઈ ખાખ! 

આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર ચીફ ઓફિસરે જણાવતા કહ્યું કે આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આખી બિલ્ડીંગ બળીને ખાખ થઈ ગઈ હતી. ફર્નિચર ગોડાઉનમાં વર્કરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની 8 જેટલી ટીમો ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.       




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.