રાજકોટમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં લાગી આગ, અનેક કિલોમીટર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા, લાખોનો સામાન બળીને ખાખ


  • Published By :
  • Published Date : 2023-06-22 16:22:34

રાજકોટમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે રાજકોટમાં આવેલી રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અચાનક આગ ફાટી નીકળતા દુકાન બહાર મૂકાયેલા વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. ફર્નિચર ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી જેને કારણે ગોડાઉનમાં રહેલો 60થી 70 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. ફાયર વિભાગની 8 જેટલી ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળ જોવા મળતી હતી.     

      

60થી 70 લાખનો સામાન બળીને થયો ખાખ!  

રાજકોટ મવડી વિસ્તારમાં આવેલા રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે અનેક કિલોમીટર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની 8 જેટલી ટીમો ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ લાગવાને કારણે ગોડાઉનમાં રહેલા 60થી70 લાખનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક તારણો અનુસાર શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી છે. બહાર ઉભેલા વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતા. 



આગને કારણે દુકાન બળીને થઈ ખાખ! 

આગ કયા કારણોસર લાગી તે અંગે ફાયર ચીફ ઓફિસરે જણાવતા કહ્યું કે આગ ગ્રાઉન્ડફ્લોરથી ટોપ ફ્લોર સુધી પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ થઈ ગઈ કે આખી બિલ્ડીંગ બળીને ખાખ થઈ ગઈ હતી. ફર્નિચર ગોડાઉનમાં વર્કરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક નાનો સ્પાર્ક થયો હતો. જેમાંથી આગ પ્રસરી હતી અને આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ફાયર વિભાગની 8 જેટલી ટીમો ત્યાં આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો.       




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.