અમદાવાદના ગાંધી બ્રિજ નજીક આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ


  • Published By :
  • Published Date : 2023-01-25 18:16:39

અમદાવાદમાં આગની ઘટનામાં વધારો થયો છે. આગ લાગવાની ઘટના ફરી એક વખત ગાંધીબ્રિજના છેડા પર આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી હતી. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોતજોતમાં દુકાન આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.



ફર્નિચરની દુકાનમાં લાગી આગ 

અમદાવાદમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરના ગાંધી બ્રિજના છેડે આવેલી ફર્નિચરની દુકાનમાં એકાએક આગ લાગી હતી. ફર્નિચરની દુકાન હોવાને કારણે આગે થોડાક જ સમયમાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. 


આગ લાગવાની ઘટનામાં થયો છે વધારો 

થોડા સમય પહેલા શાહીબાગની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગી હતી. તે પહેલા પણ અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. આ ઘટનામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.