અમદાવાદના ગાંધી બ્રિજ નજીક આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ


  • Published By :
  • Published Date : 2023-01-25 18:16:39

અમદાવાદમાં આગની ઘટનામાં વધારો થયો છે. આગ લાગવાની ઘટના ફરી એક વખત ગાંધીબ્રિજના છેડા પર આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી હતી. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોતજોતમાં દુકાન આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.



ફર્નિચરની દુકાનમાં લાગી આગ 

અમદાવાદમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરના ગાંધી બ્રિજના છેડે આવેલી ફર્નિચરની દુકાનમાં એકાએક આગ લાગી હતી. ફર્નિચરની દુકાન હોવાને કારણે આગે થોડાક જ સમયમાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. 


આગ લાગવાની ઘટનામાં થયો છે વધારો 

થોડા સમય પહેલા શાહીબાગની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગી હતી. તે પહેલા પણ અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. આ ઘટનામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.        



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.