અમદાવાદના ગાંધી બ્રિજ નજીક આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી આગ, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ


  • Published By :
  • Published Date : 2023-01-25 18:16:39

અમદાવાદમાં આગની ઘટનામાં વધારો થયો છે. આગ લાગવાની ઘટના ફરી એક વખત ગાંધીબ્રિજના છેડા પર આવેલી ફર્નિચરની દુકાનમાં લાગી હતી. આગની ઘટના બનતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોતજોતમાં દુકાન આગની જ્વાળામાં લપેટાઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.



ફર્નિચરની દુકાનમાં લાગી આગ 

અમદાવાદમાં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. શહેરના ગાંધી બ્રિજના છેડે આવેલી ફર્નિચરની દુકાનમાં એકાએક આગ લાગી હતી. ફર્નિચરની દુકાન હોવાને કારણે આગે થોડાક જ સમયમાં વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. 


આગ લાગવાની ઘટનામાં થયો છે વધારો 

થોડા સમય પહેલા શાહીબાગની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આગ લાગી હતી. તે પહેલા પણ અનેક જગ્યાઓ પર આગ લાગવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. આગને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. આ ઘટનામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.