ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે મેળવ્યો આગ પર કાબુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 11:48:32

ગુજરાતમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આગને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગ લાગી હતી. ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળમાં આગ લાગી હતી. આ આગની ઝપેટમાં વિકાસ કમિશ્નરની કચેરી આવી ગઈ હતી. બારીમાંથી ધુમાડા નીકળતા દેખાતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઓફિસમાં આગ પ્રસરી ઉઠી હતી. આગ લાગવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.



ઓફિસ શરૂ થતા પહેલા આગ લાગતા ટળી જાનહાની  

આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની ચાર ટીમે આવી આ આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઓફિસ શરૂ થાય તે પહેલા આગ લાગતા જાનહાની ટળી હતી. પરંતુ આગ લાગવાને કારણે ઓફિસમાં રહેલા કાગળ તેમજ મહત્વના ડોક્યુમેન્ટ બળી ગયા છે. આગ કયાં કારણસર લાગી તે અંગેની તપાસ FSLની ટીમ દ્વારા કરવામાં આવશે. તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ સામે આવશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.