ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે મેળવ્યો આગ પર કાબુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 11:48:32

ગુજરાતમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આગને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગ લાગી હતી. ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળમાં આગ લાગી હતી. આ આગની ઝપેટમાં વિકાસ કમિશ્નરની કચેરી આવી ગઈ હતી. બારીમાંથી ધુમાડા નીકળતા દેખાતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઓફિસમાં આગ પ્રસરી ઉઠી હતી. આગ લાગવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.



ઓફિસ શરૂ થતા પહેલા આગ લાગતા ટળી જાનહાની  

આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની ચાર ટીમે આવી આ આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઓફિસ શરૂ થાય તે પહેલા આગ લાગતા જાનહાની ટળી હતી. પરંતુ આગ લાગવાને કારણે ઓફિસમાં રહેલા કાગળ તેમજ મહત્વના ડોક્યુમેન્ટ બળી ગયા છે. આગ કયાં કારણસર લાગી તે અંગેની તપાસ FSLની ટીમ દ્વારા કરવામાં આવશે. તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ સામે આવશે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે