ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી, ફાયર વિભાગની ટીમે મેળવ્યો આગ પર કાબુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 11:48:32

ગુજરાતમાં અવાર-નવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. આગને કારણે અનેક લોકોના મોત પણ થઈ જતા હોય છે. ત્યારે ગાંધીનગર ખાતે આવેલા જૂના સચિવાલયમાં આગ લાગી હતી. ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળમાં આગ લાગી હતી. આ આગની ઝપેટમાં વિકાસ કમિશ્નરની કચેરી આવી ગઈ હતી. બારીમાંથી ધુમાડા નીકળતા દેખાતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઓફિસમાં આગ પ્રસરી ઉઠી હતી. આગ લાગવાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ હતી અને તેમના દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો.



ઓફિસ શરૂ થતા પહેલા આગ લાગતા ટળી જાનહાની  

આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમને જાણ કરી દેવામાં આવી હતી. ફાયર વિભાગની ચાર ટીમે આવી આ આગને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. ઓફિસ શરૂ થાય તે પહેલા આગ લાગતા જાનહાની ટળી હતી. પરંતુ આગ લાગવાને કારણે ઓફિસમાં રહેલા કાગળ તેમજ મહત્વના ડોક્યુમેન્ટ બળી ગયા છે. આગ કયાં કારણસર લાગી તે અંગેની તપાસ FSLની ટીમ દ્વારા કરવામાં આવશે. તપાસ થયા બાદ આગ લાગવાનું કારણ સામે આવશે.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .