દિવાળીના દિવસે અમદાવાદમાં બન્યો આગનો બનાવ


  • Published By :
  • Published Date : 2022-10-25 11:19:48

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે દિવાળીના દિવસે મોડી રાત્રે અમદાવાદના સારંગપૂર વિસ્તારમાં આગ લાગી હતી. સારંગપૂર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં આવેલા લાલનું ડેહલું નામની જગ્યામાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ગેસના સિલિન્ડર ફાટતા આગે વિકરાળ રૂપ ઘારણ કર્યું

કાપડ વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા, આગે જોતજોતામાં વિકરાળ રૂપ લઈ લીધું હતું. ગોડાઉનની સાથે સાથે અને મકાનો પણ આગની ઝપેટામાં આવી ગયા હતા. આગ લાગવાને કારણે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. આગ લાગવાને કારણે ત્રણ સિલિન્ડર ફાટ્યા હતા. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

કાપડના ગોડાઉનમાં તેમજ ઘરમાં આગ લાગતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંતી હતી. 11 જેટલા ઘરોમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.  રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવી જતા ઘરમાં રહેતા લોકોનું રેસ્ક્યું કરી લીધું હતું. મળતી માહિતી મુજબ 6 ઘરો સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.