દિવાળીના દિવસે અમદાવાદમાં બન્યો આગનો બનાવ


  • Published By :
  • Published Date : 2022-10-25 11:19:48

હાલ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ફટાકડા ફોડવામાં આવે છે. ફટાકડાને કારણે અનેક જગ્યાઓ પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે દિવાળીના દિવસે મોડી રાત્રે અમદાવાદના સારંગપૂર વિસ્તારમાં આગ લાગી હતી. સારંગપૂર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં આવેલા લાલનું ડેહલું નામની જગ્યામાં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે મહામહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ગેસના સિલિન્ડર ફાટતા આગે વિકરાળ રૂપ ઘારણ કર્યું

કાપડ વેસ્ટેજ ગોડાઉનમાં આગ લાગતા, આગે જોતજોતામાં વિકરાળ રૂપ લઈ લીધું હતું. ગોડાઉનની સાથે સાથે અને મકાનો પણ આગની ઝપેટામાં આવી ગયા હતા. આગ લાગવાને કારણે ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયા હતા. આગ લાગવાને કારણે ત્રણ સિલિન્ડર ફાટ્યા હતા. આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો

કાપડના ગોડાઉનમાં તેમજ ઘરમાં આગ લાગતા 7 જેટલી ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંતી હતી. 11 જેટલા ઘરોમાં આગ લાગતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.  રહેણાંક મકાનો આગની ઝપેટમાં આવી જતા ઘરમાં રહેતા લોકોનું રેસ્ક્યું કરી લીધું હતું. મળતી માહિતી મુજબ 6 ઘરો સંપૂર્ણરીતે બળીને ખાખ થઈ ગયા હતા. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .