કોરોના સંક્રમણના ભય વચ્ચે અમદાવાદમાં થશે ફ્લાવર શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-29 16:16:15

કોરોના સંક્રમણને કારણે અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો જેવા ફેસ્ટિવલો ઉજવવામાં આવતા ન હતા. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આ વર્ષે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવવાનું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવામાં આવશે.  


માસ્ક વગર નહીં આપવામાં આવે એન્ટ્રી 

ફ્લાવર શોને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફ્લાવર શો દરમિયાન બપોરના 2 વાગ્યા બાદ અટલ બ્રીજ બંધ કરી દેવામાં આવશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40થી 45 જેટલા ફ્લાવરના સ્ક્પચર બનાવાયા છે. હજારોની સંખ્યામાં લોકો આ ફ્લવાર શોની મુલાકાત લેશે તેવી શક્યતા છે. માસ્ક પહેર્યા વગર ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ફ્લાવર શોની મુલાકાત લેનારને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.        


કોરોના સંકટના સમયે આ આયોજન કરવું કેટલું યોગ્ય

એક તરફ કોરોના સંક્રમણ વધવાની ભીતી સેવાઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ રોકવા એક તરફ તંત્ર કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તંત્ર જ કાર્યક્રમમાં ભીડ ભેગી કોરોનાને આમંત્રણ આપવા માગતી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.                  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.