કોરોના સંક્રમણના ભય વચ્ચે અમદાવાદમાં થશે ફ્લાવર શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-29 16:16:15

કોરોના સંક્રમણને કારણે અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો જેવા ફેસ્ટિવલો ઉજવવામાં આવતા ન હતા. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આ વર્ષે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવવાનું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવામાં આવશે.  


માસ્ક વગર નહીં આપવામાં આવે એન્ટ્રી 

ફ્લાવર શોને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફ્લાવર શો દરમિયાન બપોરના 2 વાગ્યા બાદ અટલ બ્રીજ બંધ કરી દેવામાં આવશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40થી 45 જેટલા ફ્લાવરના સ્ક્પચર બનાવાયા છે. હજારોની સંખ્યામાં લોકો આ ફ્લવાર શોની મુલાકાત લેશે તેવી શક્યતા છે. માસ્ક પહેર્યા વગર ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ફ્લાવર શોની મુલાકાત લેનારને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.        


કોરોના સંકટના સમયે આ આયોજન કરવું કેટલું યોગ્ય

એક તરફ કોરોના સંક્રમણ વધવાની ભીતી સેવાઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ રોકવા એક તરફ તંત્ર કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તંત્ર જ કાર્યક્રમમાં ભીડ ભેગી કોરોનાને આમંત્રણ આપવા માગતી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.                  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.