કોરોના સંક્રમણના ભય વચ્ચે અમદાવાદમાં થશે ફ્લાવર શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-29 16:16:15

કોરોના સંક્રમણને કારણે અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો જેવા ફેસ્ટિવલો ઉજવવામાં આવતા ન હતા. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આ વર્ષે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવવાનું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવામાં આવશે.  


માસ્ક વગર નહીં આપવામાં આવે એન્ટ્રી 

ફ્લાવર શોને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફ્લાવર શો દરમિયાન બપોરના 2 વાગ્યા બાદ અટલ બ્રીજ બંધ કરી દેવામાં આવશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40થી 45 જેટલા ફ્લાવરના સ્ક્પચર બનાવાયા છે. હજારોની સંખ્યામાં લોકો આ ફ્લવાર શોની મુલાકાત લેશે તેવી શક્યતા છે. માસ્ક પહેર્યા વગર ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ફ્લાવર શોની મુલાકાત લેનારને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.        


કોરોના સંકટના સમયે આ આયોજન કરવું કેટલું યોગ્ય

એક તરફ કોરોના સંક્રમણ વધવાની ભીતી સેવાઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ રોકવા એક તરફ તંત્ર કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તંત્ર જ કાર્યક્રમમાં ભીડ ભેગી કોરોનાને આમંત્રણ આપવા માગતી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.                  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.