કોરોના સંક્રમણના ભય વચ્ચે અમદાવાદમાં થશે ફ્લાવર શોનું આયોજન


  • Published By :
  • Published Date : 2022-12-29 16:16:15

કોરોના સંક્રમણને કારણે અનેક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા હતા. કાંકરિયા કાર્નિવલ, કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો જેવા ફેસ્ટિવલો ઉજવવામાં આવતા ન હતા. ત્યારે કોરોના સંક્રમણ ઘટતા આ વર્ષે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આ વર્ષે ફ્લાવર શોનું પણ આયોજન કરવામાં આવવાનું છે. 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજવામાં આવશે.  


માસ્ક વગર નહીં આપવામાં આવે એન્ટ્રી 

ફ્લાવર શોને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ફ્લાવર શો દરમિયાન બપોરના 2 વાગ્યા બાદ અટલ બ્રીજ બંધ કરી દેવામાં આવશે. ફ્લાવર શોની થીમ આઝાદી કા અમૃત મહોત્સવ પર રાખવામાં આવી છે. 40થી 45 જેટલા ફ્લાવરના સ્ક્પચર બનાવાયા છે. હજારોની સંખ્યામાં લોકો આ ફ્લવાર શોની મુલાકાત લેશે તેવી શક્યતા છે. માસ્ક પહેર્યા વગર ફ્લાવર શોમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ફ્લાવર શોની મુલાકાત લેનારને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવું પડશે.        


કોરોના સંકટના સમયે આ આયોજન કરવું કેટલું યોગ્ય

એક તરફ કોરોના સંક્રમણ વધવાની ભીતી સેવાઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણ રોકવા એક તરફ તંત્ર કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તંત્ર જ કાર્યક્રમમાં ભીડ ભેગી કોરોનાને આમંત્રણ આપવા માગતી હોય તેવું લાગી રહ્યું છે. કોરોના સંક્રમણ વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે.                  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.