અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રક ચાલકે બાળકીને કચડી, લોકોએ ડ્રાઈવરને ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2023-11-11 15:45:58

રાજ્યમાં વાહન ચાલકો નિયમોને નેવે મુકીને બેફામ ડ્રાઈવિંગ કરી રાહદારીઓ માટે જોખમી બની રહ્યા છે. દિવાળીના તહેવાર ટાણે અમદાવાદમાં એક બાળકીને ટ્રક ચાલકે અડફેટે લેતા અરેરાટી મચી ગઈ છે. આ હ્રદયદ્વાવક ઘટના અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક બની છે. બાળકીના મોતના સમાચાર સામે આવતા જ પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું છે, તેમના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો છે.


હેવાન ટ્રક ચાલકે બાળકીને કચડી નાખી


અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવરે રેલવે યાર્ડમાં ટ્રક ઘુસાડતા એક અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. બેફામ બનેલા ટ્રક દ્વારા બાળકીને કચડવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ અન્ય લોકોએ ડ્રાઈવરની મારપીટ કરી હતી. આ બાદ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી