અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રક ચાલકે બાળકીને કચડી, લોકોએ ડ્રાઈવરને ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2023-11-11 15:45:58

રાજ્યમાં વાહન ચાલકો નિયમોને નેવે મુકીને બેફામ ડ્રાઈવિંગ કરી રાહદારીઓ માટે જોખમી બની રહ્યા છે. દિવાળીના તહેવાર ટાણે અમદાવાદમાં એક બાળકીને ટ્રક ચાલકે અડફેટે લેતા અરેરાટી મચી ગઈ છે. આ હ્રદયદ્વાવક ઘટના અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક બની છે. બાળકીના મોતના સમાચાર સામે આવતા જ પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું છે, તેમના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો છે.


હેવાન ટ્રક ચાલકે બાળકીને કચડી નાખી


અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવરે રેલવે યાર્ડમાં ટ્રક ઘુસાડતા એક અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. બેફામ બનેલા ટ્રક દ્વારા બાળકીને કચડવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ અન્ય લોકોએ ડ્રાઈવરની મારપીટ કરી હતી. આ બાદ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.