અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ટ્રક ચાલકે બાળકીને કચડી, લોકોએ ડ્રાઈવરને ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2023-11-11 15:45:58

રાજ્યમાં વાહન ચાલકો નિયમોને નેવે મુકીને બેફામ ડ્રાઈવિંગ કરી રાહદારીઓ માટે જોખમી બની રહ્યા છે. દિવાળીના તહેવાર ટાણે અમદાવાદમાં એક બાળકીને ટ્રક ચાલકે અડફેટે લેતા અરેરાટી મચી ગઈ છે. આ હ્રદયદ્વાવક ઘટના અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક બની છે. બાળકીના મોતના સમાચાર સામે આવતા જ પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું છે, તેમના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બની ગયો છે.


હેવાન ટ્રક ચાલકે બાળકીને કચડી નાખી


અમદાવાદના કાંકરિયા રેલવે યાર્ડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ડ્રાઈવરે રેલવે યાર્ડમાં ટ્રક ઘુસાડતા એક અઢી વર્ષની બાળકીને અડફેટે લીધી હતી. બેફામ બનેલા ટ્રક દ્વારા બાળકીને કચડવાની ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેના કારણે ઘટના સ્થળે જ અન્ય લોકોએ ડ્રાઈવરની મારપીટ કરી હતી. આ બાદ, ઇજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખેસડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.