રાજ્યમાં વધતો રખડતા પશુનો આતંક, સાત વર્ષનો બાળક બન્યો ઝઘડતા આખલાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 12:29:39

રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોર તેમજ આખલાનો શિકાર બનતા હોય છે. નાના-નાના બાળકો રખડતા પશુ તેમજ શ્વાનના હુમલાનો શિકાર બનતા હોય છે. ત્યારે લીંબડીમાં આખલાની લડાઈમાં એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્કુલે જઈ રહેલા બાળકને ઝઘડતા આખલાએ પોતાની અડફેટે લઈ લીધો હતો. ગંભીર રીતે ઈજા પહોંચતા બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું. 


આખલાના ઝઘડામાં ગયો માસુમનો જીવ 

સમગ્ર રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા પશુના શિકાર બન્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. પ્રતિદિન થતા હુમલાને કારણે લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. રખડતા પશુ દ્વારા થતા હુમલાને કારણે લોકોને ઘણી વખત જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક ઘટના સામે આવી છે જેમાં રખડતા આખલા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે શાળામાં ભણતા માસુમ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ભાવેશભાઈએ આખલાના યુદ્ધને કારણે પોતાનો સાત વર્ષનો દિકરો ગુમાવ્યો છે. 


સ્થાનિકોમાં ઘટનાને લઈ ભભૂકી ઉઠ્યો રોષ

આ ઘટનાની વાત કરીએ તો ભાવેશભાઈનો પુત્ર વિરાજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામાં રિસેસ પડતા વિરાજ ઘરે આવ્યો. રિસેસ પૂર્ણ થતા વિરાજ શાળાએ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન શાળા નજીકના રસ્તામાં આખલા લડી રહ્યા હતા. યુદ્ધે ચડેલા આખલાએ વિરાજને અડફેટે લીધો હતો. જેને કારણે વિરાજને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હચો. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. સાત વર્ષના પુત્રના મોતના સમાચાર મળતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. માસુમ બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રખડતા પશુને લઈ કોઈ નક્કર પગલા લેવાય તેવી માગ ઉઠી છે. 


અનેક લોકોએ રખડતા પશુને કારણે ગુમાવ્યો છે જીવ 

રસ્તા પર રખડતા પશુઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અનેક લોકો રખડતા પશુના તેમજ શ્વાનને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પરિવારજનો પરિવારના સભ્યોને ગુમાવી રહ્યા છે. ત્યારે ફરી એક પરિવારે રખડતા આખલાને કારણે પોતાના માસુમ બાળકને ગુમાવ્યો છે. અનેક લોકો અત્યાર સુધીમાં રખડતા પશુના આતંકનો શિકાર બની ગયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.