રાજ્યમાં વધતો રખડતા પશુનો આતંક, સાત વર્ષનો બાળક બન્યો ઝઘડતા આખલાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 12:29:39

રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોર તેમજ આખલાનો શિકાર બનતા હોય છે. નાના-નાના બાળકો રખડતા પશુ તેમજ શ્વાનના હુમલાનો શિકાર બનતા હોય છે. ત્યારે લીંબડીમાં આખલાની લડાઈમાં એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્કુલે જઈ રહેલા બાળકને ઝઘડતા આખલાએ પોતાની અડફેટે લઈ લીધો હતો. ગંભીર રીતે ઈજા પહોંચતા બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું. 


આખલાના ઝઘડામાં ગયો માસુમનો જીવ 

સમગ્ર રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા પશુના શિકાર બન્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. પ્રતિદિન થતા હુમલાને કારણે લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. રખડતા પશુ દ્વારા થતા હુમલાને કારણે લોકોને ઘણી વખત જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક ઘટના સામે આવી છે જેમાં રખડતા આખલા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે શાળામાં ભણતા માસુમ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ભાવેશભાઈએ આખલાના યુદ્ધને કારણે પોતાનો સાત વર્ષનો દિકરો ગુમાવ્યો છે. 


સ્થાનિકોમાં ઘટનાને લઈ ભભૂકી ઉઠ્યો રોષ

આ ઘટનાની વાત કરીએ તો ભાવેશભાઈનો પુત્ર વિરાજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામાં રિસેસ પડતા વિરાજ ઘરે આવ્યો. રિસેસ પૂર્ણ થતા વિરાજ શાળાએ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન શાળા નજીકના રસ્તામાં આખલા લડી રહ્યા હતા. યુદ્ધે ચડેલા આખલાએ વિરાજને અડફેટે લીધો હતો. જેને કારણે વિરાજને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હચો. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. સાત વર્ષના પુત્રના મોતના સમાચાર મળતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. માસુમ બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રખડતા પશુને લઈ કોઈ નક્કર પગલા લેવાય તેવી માગ ઉઠી છે. 


અનેક લોકોએ રખડતા પશુને કારણે ગુમાવ્યો છે જીવ 

રસ્તા પર રખડતા પશુઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અનેક લોકો રખડતા પશુના તેમજ શ્વાનને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પરિવારજનો પરિવારના સભ્યોને ગુમાવી રહ્યા છે. ત્યારે ફરી એક પરિવારે રખડતા આખલાને કારણે પોતાના માસુમ બાળકને ગુમાવ્યો છે. અનેક લોકો અત્યાર સુધીમાં રખડતા પશુના આતંકનો શિકાર બની ગયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.