રાજ્યમાં વધતો રખડતા પશુનો આતંક, સાત વર્ષનો બાળક બન્યો ઝઘડતા આખલાનો શિકાર


  • Published By :
  • Published Date : 2023-03-02 12:29:39

રાજ્યમાં રખડતાં ઢોર તેમજ રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોર તેમજ આખલાનો શિકાર બનતા હોય છે. નાના-નાના બાળકો રખડતા પશુ તેમજ શ્વાનના હુમલાનો શિકાર બનતા હોય છે. ત્યારે લીંબડીમાં આખલાની લડાઈમાં એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સ્કુલે જઈ રહેલા બાળકને ઝઘડતા આખલાએ પોતાની અડફેટે લઈ લીધો હતો. ગંભીર રીતે ઈજા પહોંચતા બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ બાળકનું મોત થઈ ગયું હતું. 


આખલાના ઝઘડામાં ગયો માસુમનો જીવ 

સમગ્ર રાજ્યમાં રખડતા પશુનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા પશુના શિકાર બન્યા છે. રખડતા પશુ તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. પ્રતિદિન થતા હુમલાને કારણે લોકોમાં રોષ વ્યાપી ઉઠ્યો છે. રખડતા પશુ દ્વારા થતા હુમલાને કારણે લોકોને ઘણી વખત જીવ ગુમાવાનો વારો આવે છે. ત્યારે સુરેન્દ્રનગરથી એક ઘટના સામે આવી છે જેમાં રખડતા આખલા વચ્ચે ચાલતા યુદ્ધને કારણે શાળામાં ભણતા માસુમ વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે રહેતા ભાવેશભાઈએ આખલાના યુદ્ધને કારણે પોતાનો સાત વર્ષનો દિકરો ગુમાવ્યો છે. 


સ્થાનિકોમાં ઘટનાને લઈ ભભૂકી ઉઠ્યો રોષ

આ ઘટનાની વાત કરીએ તો ભાવેશભાઈનો પુત્ર વિરાજ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો. શાળામાં રિસેસ પડતા વિરાજ ઘરે આવ્યો. રિસેસ પૂર્ણ થતા વિરાજ શાળાએ પરત જઈ રહ્યો હતો તે દરમિયાન શાળા નજીકના રસ્તામાં આખલા લડી રહ્યા હતા. યુદ્ધે ચડેલા આખલાએ વિરાજને અડફેટે લીધો હતો. જેને કારણે વિરાજને માથા અને છાતીના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હચો. ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો. સાત વર્ષના પુત્રના મોતના સમાચાર મળતા માતા-પિતા પર આભ તૂટી પડ્યું હતું. માસુમ બાળકનું મોત થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. રખડતા પશુને લઈ કોઈ નક્કર પગલા લેવાય તેવી માગ ઉઠી છે. 


અનેક લોકોએ રખડતા પશુને કારણે ગુમાવ્યો છે જીવ 

રસ્તા પર રખડતા પશુઓ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અનેક લોકો રખડતા પશુના તેમજ શ્વાનને કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પરિવારજનો પરિવારના સભ્યોને ગુમાવી રહ્યા છે. ત્યારે ફરી એક પરિવારે રખડતા આખલાને કારણે પોતાના માસુમ બાળકને ગુમાવ્યો છે. અનેક લોકો અત્યાર સુધીમાં રખડતા પશુના આતંકનો શિકાર બની ગયા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.