અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, પરિવાર થયું શોકમગ્ન, આ કારણથી ગયો મૃતકનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-17 14:28:37

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને બંધ પણ રાખવામાં આવી હતી. ગુજરાતથી પણ અનેક ભક્તો અમરનાથની યાત્રાએ ગયા હતા. થોડા સમય પહેલા એક ગુજરાતીનું મોત યાત્રા દરમિયાન થયું હતું ત્યારે ફરી એક ગુજરાતીનું મોત અમરનાથ યાત્રા દરમિયાન થયું છે. બાબા બર્ફાનીના દર્શન કરે તે પહેલા જ પહેલગામની હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવ્યા જેને કારણે અંતે તેમનું મોત થઈ ગયું છે. પરિવારના સભ્યની આકસ્મિક વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

ગણેશ કદમના ઘરે શોકનો માહોલ.

સતત ત્રણ એટેક આવવાને કારણે થયું મોત

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તે અમરનાથની યાત્રા કરવા ગયા હતા. બાબાના દર્શન કરે તે પહેલા જ તેઓ હાર્ટ એટેકના શિકાર બની ગયા. પહેલગામના રૂટથી અમરનાથના દર્શન કરવા પહોંચવાના હતા. પહેલગામમાં અચાનક તેમને ઉલ્ટીઓ શરૂ થઈ જેને લઈ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા પરંતુ ત્રીજો હાર્ટ એટેકે તેમનો જીવ લઈ લીધો. ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. જે વ્યક્તિનું મોત થયું છે તે વડોદરાના રહેવાસી હતા. તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. ગણેશ કદમ પોતાના મિત્ર સાથે અમરનાથની યાત્રા કરવા ગયા હતા.   



ઓક્સિજન ઘટવાને કારણે થયું હતું ગુજરાતીનું મોત   

થોડા દિવસો પહેલા પણ ગુજરાતથી અમરનાથ યાત્રા કરવા પહોંચેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અમરનાથના દર્શન કરવા માટે ભક્તો અનેક વખત કષ્ટ સહન કરવા પડતા હોય છે. અનેક વખત ખરાબ હવામાનને કારણે યાત્રાને રોકી દેવાતી હોય છે. ભારે વરસાદને કારણે તેમજ માઈનસમાં અનેક વખત તાપમાન પહોંચી જતું હોય છે, ત્યારે માઈનસમાં તાપમાન પહોંચવાને તેમજ ઓક્સિજન લેવલ ઘટવાને કારણે એક ગુજરાતીનું મોત ત્યાં થયું હતું. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, યોગા કરતી વખતે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.