અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, પરિવાર થયું શોકમગ્ન, આ કારણથી ગયો મૃતકનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-17 14:28:37

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને બંધ પણ રાખવામાં આવી હતી. ગુજરાતથી પણ અનેક ભક્તો અમરનાથની યાત્રાએ ગયા હતા. થોડા સમય પહેલા એક ગુજરાતીનું મોત યાત્રા દરમિયાન થયું હતું ત્યારે ફરી એક ગુજરાતીનું મોત અમરનાથ યાત્રા દરમિયાન થયું છે. બાબા બર્ફાનીના દર્શન કરે તે પહેલા જ પહેલગામની હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવ્યા જેને કારણે અંતે તેમનું મોત થઈ ગયું છે. પરિવારના સભ્યની આકસ્મિક વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

ગણેશ કદમના ઘરે શોકનો માહોલ.

સતત ત્રણ એટેક આવવાને કારણે થયું મોત

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તે અમરનાથની યાત્રા કરવા ગયા હતા. બાબાના દર્શન કરે તે પહેલા જ તેઓ હાર્ટ એટેકના શિકાર બની ગયા. પહેલગામના રૂટથી અમરનાથના દર્શન કરવા પહોંચવાના હતા. પહેલગામમાં અચાનક તેમને ઉલ્ટીઓ શરૂ થઈ જેને લઈ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા પરંતુ ત્રીજો હાર્ટ એટેકે તેમનો જીવ લઈ લીધો. ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. જે વ્યક્તિનું મોત થયું છે તે વડોદરાના રહેવાસી હતા. તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. ગણેશ કદમ પોતાના મિત્ર સાથે અમરનાથની યાત્રા કરવા ગયા હતા.   



ઓક્સિજન ઘટવાને કારણે થયું હતું ગુજરાતીનું મોત   

થોડા દિવસો પહેલા પણ ગુજરાતથી અમરનાથ યાત્રા કરવા પહોંચેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અમરનાથના દર્શન કરવા માટે ભક્તો અનેક વખત કષ્ટ સહન કરવા પડતા હોય છે. અનેક વખત ખરાબ હવામાનને કારણે યાત્રાને રોકી દેવાતી હોય છે. ભારે વરસાદને કારણે તેમજ માઈનસમાં અનેક વખત તાપમાન પહોંચી જતું હોય છે, ત્યારે માઈનસમાં તાપમાન પહોંચવાને તેમજ ઓક્સિજન લેવલ ઘટવાને કારણે એક ગુજરાતીનું મોત ત્યાં થયું હતું. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, યોગા કરતી વખતે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.