અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, પરિવાર થયું શોકમગ્ન, આ કારણથી ગયો મૃતકનો જીવ!


  • Published By :
  • Published Date : 2023-07-17 14:28:37

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. ખરાબ હવામાનને કારણે અનેક વખત યાત્રાને બંધ પણ રાખવામાં આવી હતી. ગુજરાતથી પણ અનેક ભક્તો અમરનાથની યાત્રાએ ગયા હતા. થોડા સમય પહેલા એક ગુજરાતીનું મોત યાત્રા દરમિયાન થયું હતું ત્યારે ફરી એક ગુજરાતીનું મોત અમરનાથ યાત્રા દરમિયાન થયું છે. બાબા બર્ફાનીના દર્શન કરે તે પહેલા જ પહેલગામની હોસ્પિટલમાં ત્રણ હાર્ટ એટેક આવ્યા જેને કારણે અંતે તેમનું મોત થઈ ગયું છે. પરિવારના સભ્યની આકસ્મિક વિદાયને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

ગણેશ કદમના ઘરે શોકનો માહોલ.

સતત ત્રણ એટેક આવવાને કારણે થયું મોત

કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ત્યારે વધુ એક યુવાનનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તે અમરનાથની યાત્રા કરવા ગયા હતા. બાબાના દર્શન કરે તે પહેલા જ તેઓ હાર્ટ એટેકના શિકાર બની ગયા. પહેલગામના રૂટથી અમરનાથના દર્શન કરવા પહોંચવાના હતા. પહેલગામમાં અચાનક તેમને ઉલ્ટીઓ શરૂ થઈ જેને લઈ તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા પરંતુ ત્રીજો હાર્ટ એટેકે તેમનો જીવ લઈ લીધો. ત્રીજો હાર્ટ એટેક આવતા તેમનું મોત થઈ ગયું. જે વ્યક્તિનું મોત થયું છે તે વડોદરાના રહેવાસી હતા. તેમના મૃતદેહને વડોદરા લાવવામાં આવશે. ગણેશ કદમ પોતાના મિત્ર સાથે અમરનાથની યાત્રા કરવા ગયા હતા.   



ઓક્સિજન ઘટવાને કારણે થયું હતું ગુજરાતીનું મોત   

થોડા દિવસો પહેલા પણ ગુજરાતથી અમરનાથ યાત્રા કરવા પહોંચેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અમરનાથના દર્શન કરવા માટે ભક્તો અનેક વખત કષ્ટ સહન કરવા પડતા હોય છે. અનેક વખત ખરાબ હવામાનને કારણે યાત્રાને રોકી દેવાતી હોય છે. ભારે વરસાદને કારણે તેમજ માઈનસમાં અનેક વખત તાપમાન પહોંચી જતું હોય છે, ત્યારે માઈનસમાં તાપમાન પહોંચવાને તેમજ ઓક્સિજન લેવલ ઘટવાને કારણે એક ગુજરાતીનું મોત ત્યાં થયું હતું. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, યોગા કરતી વખતે લોકો કાળનો કોળિયો બની રહ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.