અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, માઈનસમાં તાપમાન હોવાને કારણે બગડી તબિયત, અને પછી લીધા અંતિમ શ્વાસ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-09 14:09:50

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે છેલ્લા અનેક દિવસોથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ યાત્રા રોકી દેવામાં આવી હતી. હવામાન સારૂ થતાં યાત્રાને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે તેમજ પર્વતો હોવાને કારણે ત્યાં ભયંકર ઠંડી પડતી હોય છે. ત્યારે અસહ્ય ઠંડી પડવાને કારણે ગુજરાતથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે વડોદરાના રહેવાસી હતા. 


ખરાબ હવામાનને કારણે રોકાઈ હતી યાત્રા 

દેશના અનેક રાજ્યોમાંથી બાબા બરફાનીના દર્શન કરવા ભક્તો અમરનાથ જતા હોય છે. દર્શનાર્થીઓની સંખ્યા લાખોમાં પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાંથી પણ અનેક ભક્તો અમરનાથના દર્શને ગયા છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન થવાને કારણે હાલ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યાત્રાને ફરી શરૂ કરી દેવામાં આવી છે. બાબા અમરનાથના દર્શન માટે માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન ભક્તોને સહન કરવું પડતું હોય છે. ત્યારે ઠંડીને કારણે વડોદરાથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિ શિવધામ પહોંચ્યા છે તેમનું નામ રમણભાઈ પરમાર છે અને તે પોતાના સહકર્મી સાથે અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા. 


વધારે પડતી ઠંડી ન કરી શક્યા સહન

પહેલગામથી તેમણે અમરનાથ ચાત્રા શરૂ કરી હતી. પરંતુ ખરાબ હવામાન હોવાને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. દર્શને આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. ભક્તોને અધવચ્ચે રોકી દેવાયા હતા. ત્યારે અતિશય પડતી ઠંડી રમણભાઈ સહન ન કરી શક્યા અને તે બીમાર પડી ગયા. તબિયત વધુ બગડવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. પરિવારના મોભીના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.            



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.