અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, માઈનસમાં તાપમાન હોવાને કારણે બગડી તબિયત, અને પછી લીધા અંતિમ શ્વાસ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-09 14:09:50

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે છેલ્લા અનેક દિવસોથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ યાત્રા રોકી દેવામાં આવી હતી. હવામાન સારૂ થતાં યાત્રાને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે તેમજ પર્વતો હોવાને કારણે ત્યાં ભયંકર ઠંડી પડતી હોય છે. ત્યારે અસહ્ય ઠંડી પડવાને કારણે ગુજરાતથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે વડોદરાના રહેવાસી હતા. 


ખરાબ હવામાનને કારણે રોકાઈ હતી યાત્રા 

દેશના અનેક રાજ્યોમાંથી બાબા બરફાનીના દર્શન કરવા ભક્તો અમરનાથ જતા હોય છે. દર્શનાર્થીઓની સંખ્યા લાખોમાં પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાંથી પણ અનેક ભક્તો અમરનાથના દર્શને ગયા છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન થવાને કારણે હાલ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યાત્રાને ફરી શરૂ કરી દેવામાં આવી છે. બાબા અમરનાથના દર્શન માટે માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન ભક્તોને સહન કરવું પડતું હોય છે. ત્યારે ઠંડીને કારણે વડોદરાથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિ શિવધામ પહોંચ્યા છે તેમનું નામ રમણભાઈ પરમાર છે અને તે પોતાના સહકર્મી સાથે અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા. 


વધારે પડતી ઠંડી ન કરી શક્યા સહન

પહેલગામથી તેમણે અમરનાથ ચાત્રા શરૂ કરી હતી. પરંતુ ખરાબ હવામાન હોવાને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. દર્શને આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. ભક્તોને અધવચ્ચે રોકી દેવાયા હતા. ત્યારે અતિશય પડતી ઠંડી રમણભાઈ સહન ન કરી શક્યા અને તે બીમાર પડી ગયા. તબિયત વધુ બગડવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. પરિવારના મોભીના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.            



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.