અમરનાથના દર્શને ગયેલા ગુજરાતીનું થયું નિધન, માઈનસમાં તાપમાન હોવાને કારણે બગડી તબિયત, અને પછી લીધા અંતિમ શ્વાસ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-09 14:09:50

અમરનાથ યાત્રાને હિંદુ ધર્મમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અનેક શિવભક્તો અમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે હાલ પણ અમરનાથ યાત્રા ચાલી રહી છે. પરંતુ ખરાબ હવામાનને કારણે છેલ્લા અનેક દિવસોથી અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ યાત્રા રોકી દેવામાં આવી હતી. હવામાન સારૂ થતાં યાત્રાને ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. ત્યારે વરસાદને કારણે તેમજ પર્વતો હોવાને કારણે ત્યાં ભયંકર ઠંડી પડતી હોય છે. ત્યારે અસહ્ય ઠંડી પડવાને કારણે ગુજરાતથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિનું મોત થયું છે વડોદરાના રહેવાસી હતા. 


ખરાબ હવામાનને કારણે રોકાઈ હતી યાત્રા 

દેશના અનેક રાજ્યોમાંથી બાબા બરફાનીના દર્શન કરવા ભક્તો અમરનાથ જતા હોય છે. દર્શનાર્થીઓની સંખ્યા લાખોમાં પહોંચતી હોય છે. ત્યારે ગુજરાતમાંથી પણ અનેક ભક્તો અમરનાથના દર્શને ગયા છે. ભારે વરસાદ તેમજ ભૂસ્ખલન થવાને કારણે હાલ યાત્રાને રોકી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર યાત્રાને ફરી શરૂ કરી દેવામાં આવી છે. બાબા અમરનાથના દર્શન માટે માઈનસ ત્રણ ડિગ્રી તાપમાન ભક્તોને સહન કરવું પડતું હોય છે. ત્યારે ઠંડીને કારણે વડોદરાથી ગયેલા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. જે વ્યક્તિ શિવધામ પહોંચ્યા છે તેમનું નામ રમણભાઈ પરમાર છે અને તે પોતાના સહકર્મી સાથે અમરનાથ યાત્રાએ નીકળ્યા હતા. 


વધારે પડતી ઠંડી ન કરી શક્યા સહન

પહેલગામથી તેમણે અમરનાથ ચાત્રા શરૂ કરી હતી. પરંતુ ખરાબ હવામાન હોવાને કારણે અમરનાથ યાત્રાને સ્થગિત કરવામાં આવી હતી. દર્શને આવતા ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો હતો. ભક્તોને અધવચ્ચે રોકી દેવાયા હતા. ત્યારે અતિશય પડતી ઠંડી રમણભાઈ સહન ન કરી શક્યા અને તે બીમાર પડી ગયા. તબિયત વધુ બગડવાને કારણે તેમનું મોત નિપજ્યું છે. પરિવારના મોભીના મોતના સમાચાર સાંભળી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો.            



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.