અમદાવાદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના, દસમા માળેથી નવજાત બાળકને નીચે ફેંક્યો! બાળકની હત્યા અંગે પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-19 14:36:34

નવજાત બાળકની હત્યા કરવાની ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર બાળકને 10માં માળથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ ઘટના ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં બની છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે કે આ નવજાત બાળકીની હત્યા કોણે કરી તેમજ આ હત્યા કેમ કરવામાં આવી? 


નવજાત બાળકને દસમા માળેથી નીચે ફેંક્યો! 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિલને મચમચાવી દે તેવી ઘટના બની હતી. આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવાય છે. ત્યારે દસમા માળેથી બાળકને નીચે ફેંકવાની માહિતી સામે આવી છે. નવજાત બાળકો પર લોકો પ્રેમ વરસાવતા હોય છે. બાળકને પોતાથી નજીક રાખે છે. બાળકો પર જાન વરસાવતા હોય છે ત્યારે આવી ઘટના શા માટે બની તે જાણી શકાયું નથી. ત્યારે ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બાળકના હત્યારાને શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.         



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે