અમદાવાદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના, દસમા માળેથી નવજાત બાળકને નીચે ફેંક્યો! બાળકની હત્યા અંગે પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-19 14:36:34

નવજાત બાળકની હત્યા કરવાની ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર બાળકને 10માં માળથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ ઘટના ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં બની છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે કે આ નવજાત બાળકીની હત્યા કોણે કરી તેમજ આ હત્યા કેમ કરવામાં આવી? 


નવજાત બાળકને દસમા માળેથી નીચે ફેંક્યો! 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિલને મચમચાવી દે તેવી ઘટના બની હતી. આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવાય છે. ત્યારે દસમા માળેથી બાળકને નીચે ફેંકવાની માહિતી સામે આવી છે. નવજાત બાળકો પર લોકો પ્રેમ વરસાવતા હોય છે. બાળકને પોતાથી નજીક રાખે છે. બાળકો પર જાન વરસાવતા હોય છે ત્યારે આવી ઘટના શા માટે બની તે જાણી શકાયું નથી. ત્યારે ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બાળકના હત્યારાને શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.         



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.