અમદાવાદમાં બની દિલને હચમચાવી દે તેવી ઘટના, દસમા માળેથી નવજાત બાળકને નીચે ફેંક્યો! બાળકની હત્યા અંગે પોલીસ કરી રહી છે તપાસ


  • Published By :
  • Published Date : 2023-04-19 14:36:34

નવજાત બાળકની હત્યા કરવાની ઘટના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બની છે. મળતી માહિતી અનુસાર બાળકને 10માં માળથી નીચે ફેંકી દેવામાં આવ્યું છે. આ ઘટના ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટમાં બની છે. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈ પોલીસ તપાસ કરી રહી છે કે આ નવજાત બાળકીની હત્યા કોણે કરી તેમજ આ હત્યા કેમ કરવામાં આવી? 


નવજાત બાળકને દસમા માળેથી નીચે ફેંક્યો! 

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં દિલને મચમચાવી દે તેવી ઘટના બની હતી. આપણી સામે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવાય છે. ત્યારે દસમા માળેથી બાળકને નીચે ફેંકવાની માહિતી સામે આવી છે. નવજાત બાળકો પર લોકો પ્રેમ વરસાવતા હોય છે. બાળકને પોતાથી નજીક રાખે છે. બાળકો પર જાન વરસાવતા હોય છે ત્યારે આવી ઘટના શા માટે બની તે જાણી શકાયું નથી. ત્યારે ચાંદખેડાના સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના બની છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. બાળકના હત્યારાને શોધવા પોલીસ પ્રયાસ કરી રહી છે.         



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.