ગીર સોમનાથ જિલ્લાના ગીર ધાવા ગામની હૈયું હચમચાવી દેતી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 18:46:06

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવમાં ધોરણમાં ભણતી ધ્રુવા અકબરી નામની દીકરીની આઠમાં નોરતે બલિ ચડાવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

પિતાને હતું દિકરીને માયા છે

સગા બાપે પોતાની દીકરીની બલિ ચડાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. દિકરીના પિતાને એવું હતું કે તેની દિકરીને માયા છે. તેની દિકરી શક્તિશાળી છે. પિતાને એવું હતું કે તેની દિકરીની હત્યા કરીએ તો પણ તે મરશે નહીં. અખતરા માટે તેમણે પોતાની દિકરીને મારી નાખી હતી પણ દિકરી જીવતી ના થઈ તો ત્રણ દિવસ બાદ ચૂપચાપ અગ્નિસંસ્કાર કરી દિધા હતા. પિતાએ સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવા પ્રયાસોની કર્યાની ચર્ચા ચાલી રહી છે. સગીરા જીવિત ના થતાં આખરે સગીરાના મૃતદેહને સળગાવી દેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્રણ મહિના અગાઉ દિકરી સુરત છોડી ગામની શાળામાં એડમિશન અપાવ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર ફેલાયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .