ગીર સોમનાથ જિલ્લાના ગીર ધાવા ગામની હૈયું હચમચાવી દેતી ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 18:46:06

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ગીર ધાવા ગામે નવમાં ધોરણમાં ભણતી ધ્રુવા અકબરી નામની દીકરીની આઠમાં નોરતે બલિ ચડાવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

પિતાને હતું દિકરીને માયા છે

સગા બાપે પોતાની દીકરીની બલિ ચડાવી હોવાની ચર્ચા ચાલી રહી છે. દિકરીના પિતાને એવું હતું કે તેની દિકરીને માયા છે. તેની દિકરી શક્તિશાળી છે. પિતાને એવું હતું કે તેની દિકરીની હત્યા કરીએ તો પણ તે મરશે નહીં. અખતરા માટે તેમણે પોતાની દિકરીને મારી નાખી હતી પણ દિકરી જીવતી ના થઈ તો ત્રણ દિવસ બાદ ચૂપચાપ અગ્નિસંસ્કાર કરી દિધા હતા. પિતાએ સગીરાને મંત્ર વિદ્યાથી જીવિત કરવા પ્રયાસોની કર્યાની ચર્ચા ચાલી રહી છે. સગીરા જીવિત ના થતાં આખરે સગીરાના મૃતદેહને સળગાવી દેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ત્રણ મહિના અગાઉ દિકરી સુરત છોડી ગામની શાળામાં એડમિશન અપાવ્યું હતું. ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર ફેલાયો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .