કેરળમાં બની હૃદય હચમચાવી દે તેવી ઘટના, સામાન્ય બાબતને લઈ એક પેસેન્જરે ત્રણ લોકોને જીવતા ફૂંક્યા!


  • Published By :
  • Published Date : 2023-04-03 12:25:37

કેરળથી એક સમાચાર સામે આવ્યા છે તમને હચમચાવી દે તેવા છે. ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિએ પાસે રહેલા યાત્રીઓને પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં એક મા-દીકરીના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 8 જેટલા લોકો ઘાયલ થયા છે. બંને લોકોના મૃતદેહ અલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાસેથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી.

             

ત્રણ જેટલા લોકોના થયા મોત 

ટ્રેનમાં મુસાફરી દરમિયાન અનેક વખત નાની વાતને લઈ બાજુમાં બેઠેલા પેસેન્જર સાથે બોલાચાલી થતી હોય છે. ત્યારે આવી જ નાની વાતને કારણે કેરળમાં 3 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેનમાં ચઢવાની બાબતને લઈ પેસેન્જરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતને ધ્યાનને લઈ એક પેસેન્જરે બીજા પેસેન્જરો પર પેટ્રોલ નાખી દીધું અને આગ ચાપી દીધી હતી. જ્યારે અન્ય લોકો પેસેન્જરને બચાવવા ગયા તે દરમિયાન અન્ય પેસેન્જરો પણ દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 9 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. મરનારમાં એક મહિલા, છોકરી અને પૂરૂષનો સમાવેશ થાય છે. અન્ય લોકોને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.    


આરોપીની શોધખોળમાં લાગી પોલીસ 

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવાર રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેને જેમ  જ કોઝિકોડ ક્રોસ કર્યો, તો બંને લોકો વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડો એટલો ભયંકર થયો કે એક પેસેન્જરે બીજા પેસેન્જરને મારવાની કોશિશ કરી દીધી હતી. આ ઘટનામાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના બાદ ટ્રેનના અન્ય મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી. પોલીસે વધુ જાણકારી આપતા જણવ્યું કે મહિલા અને બાળક ટ્રેનથી લાપતા થઈ ગયા છે. મૃતકોના મૃતદેહ પોલીસને રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. ત્યારે સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.   


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.