કેરળમાં બની હૃદય હચમચાવી દે તેવી ઘટના, સામાન્ય બાબતને લઈ એક પેસેન્જરે ત્રણ લોકોને જીવતા ફૂંક્યા!


  • Published By :
  • Published Date : 2023-04-03 12:25:37

કેરળથી એક સમાચાર સામે આવ્યા છે તમને હચમચાવી દે તેવા છે. ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિએ પાસે રહેલા યાત્રીઓને પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં એક મા-દીકરીના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 8 જેટલા લોકો ઘાયલ થયા છે. બંને લોકોના મૃતદેહ અલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાસેથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી.

             

ત્રણ જેટલા લોકોના થયા મોત 

ટ્રેનમાં મુસાફરી દરમિયાન અનેક વખત નાની વાતને લઈ બાજુમાં બેઠેલા પેસેન્જર સાથે બોલાચાલી થતી હોય છે. ત્યારે આવી જ નાની વાતને કારણે કેરળમાં 3 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેનમાં ચઢવાની બાબતને લઈ પેસેન્જરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતને ધ્યાનને લઈ એક પેસેન્જરે બીજા પેસેન્જરો પર પેટ્રોલ નાખી દીધું અને આગ ચાપી દીધી હતી. જ્યારે અન્ય લોકો પેસેન્જરને બચાવવા ગયા તે દરમિયાન અન્ય પેસેન્જરો પણ દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 9 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. મરનારમાં એક મહિલા, છોકરી અને પૂરૂષનો સમાવેશ થાય છે. અન્ય લોકોને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.    


આરોપીની શોધખોળમાં લાગી પોલીસ 

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવાર રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેને જેમ  જ કોઝિકોડ ક્રોસ કર્યો, તો બંને લોકો વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડો એટલો ભયંકર થયો કે એક પેસેન્જરે બીજા પેસેન્જરને મારવાની કોશિશ કરી દીધી હતી. આ ઘટનામાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના બાદ ટ્રેનના અન્ય મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી. પોલીસે વધુ જાણકારી આપતા જણવ્યું કે મહિલા અને બાળક ટ્રેનથી લાપતા થઈ ગયા છે. મૃતકોના મૃતદેહ પોલીસને રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. ત્યારે સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.   


હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.