કેરળમાં બની હૃદય હચમચાવી દે તેવી ઘટના, સામાન્ય બાબતને લઈ એક પેસેન્જરે ત્રણ લોકોને જીવતા ફૂંક્યા!


  • Published By :
  • Published Date : 2023-04-03 12:25:37

કેરળથી એક સમાચાર સામે આવ્યા છે તમને હચમચાવી દે તેવા છે. ચાલતી ટ્રેનમાં એક વ્યક્તિએ પાસે રહેલા યાત્રીઓને પેટ્રોલ નાખી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોના મોત થઈ ગયા છે જેમાં એક મા-દીકરીના મોત થયા છે. આ ઘટનામાં લગભગ 8 જેટલા લોકો ઘાયલ થયા છે. બંને લોકોના મૃતદેહ અલાથુર રેલ્વે સ્ટેશન નજીક પાસેથી મળી આવ્યા હતા. આ ઘટના બાદ અફરા-તફરી મચી ગઈ હતી.

             

ત્રણ જેટલા લોકોના થયા મોત 

ટ્રેનમાં મુસાફરી દરમિયાન અનેક વખત નાની વાતને લઈ બાજુમાં બેઠેલા પેસેન્જર સાથે બોલાચાલી થતી હોય છે. ત્યારે આવી જ નાની વાતને કારણે કેરળમાં 3 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ટ્રેનમાં ચઢવાની બાબતને લઈ પેસેન્જરો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતને ધ્યાનને લઈ એક પેસેન્જરે બીજા પેસેન્જરો પર પેટ્રોલ નાખી દીધું અને આગ ચાપી દીધી હતી. જ્યારે અન્ય લોકો પેસેન્જરને બચાવવા ગયા તે દરમિયાન અન્ય પેસેન્જરો પણ દાઝી ગયા હતા. મળતી માહિતી અનુસાર આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં 9 જેટલા લોકો ઘાયલ પણ થયા છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. મરનારમાં એક મહિલા, છોકરી અને પૂરૂષનો સમાવેશ થાય છે. અન્ય લોકોને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.    


આરોપીની શોધખોળમાં લાગી પોલીસ 

પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવાર રાત્રે પોણા દસ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેને જેમ  જ કોઝિકોડ ક્રોસ કર્યો, તો બંને લોકો વચ્ચે કોઈ વાતને લઈ ઝઘડો શરૂ થઈ ગયો. ઝઘડો એટલો ભયંકર થયો કે એક પેસેન્જરે બીજા પેસેન્જરને મારવાની કોશિશ કરી દીધી હતી. આ ઘટનામાં 3 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ ઘટના બાદ ટ્રેનના અન્ય મુસાફરોએ ટ્રેનની ચેઈન ખેંચી. પોલીસે વધુ જાણકારી આપતા જણવ્યું કે મહિલા અને બાળક ટ્રેનથી લાપતા થઈ ગયા છે. મૃતકોના મૃતદેહ પોલીસને રેલવે ટ્રેક પર મળી આવ્યા હતા. ત્યારે સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.   


પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.