ભરૂચ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર સુધી દેખાયા હતા ધૂમાડા!


  • Published By :
  • Published Date : 2023-03-22 10:43:37

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટા પાયે નુકસાન થતું હોય છે. ત્યારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કિલોમીટર દૂરથી ધૂમાડા દેખાતા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની અનેક ટીમો આવી પહોંચી હતી.

 


પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગના કિસ્સાઓ છે જેને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ઉપરાંત જાનહાની પણ થાય છે. ત્યારે બુધવારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી. નર્મદા પ્લાસ્ટિક કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા  ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચાલુ રખાયો હતો. મળતી માહિતી અનુસાર વેરહાઉસમાં રહેલા પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને કારણે આગ પર કાબુ મેળવવો એક પડકાર સ્વરૂપ હતું. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.   


સતત બીજા દિવસે જીઆઈડીસીમાં બન્યો આગ લાગવાનો બનાવ  

મહત્વનું છે કે મંગળવારે પણ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે બુધવારે પણ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્લાસ્ટિકની કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાને કારણે વેરહાઉસ નજીક રહેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા હતા.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.