ભરૂચ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર સુધી દેખાયા હતા ધૂમાડા!


  • Published By :
  • Published Date : 2023-03-22 10:43:37

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટા પાયે નુકસાન થતું હોય છે. ત્યારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કિલોમીટર દૂરથી ધૂમાડા દેખાતા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની અનેક ટીમો આવી પહોંચી હતી.

 


પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગના કિસ્સાઓ છે જેને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ઉપરાંત જાનહાની પણ થાય છે. ત્યારે બુધવારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી. નર્મદા પ્લાસ્ટિક કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા  ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચાલુ રખાયો હતો. મળતી માહિતી અનુસાર વેરહાઉસમાં રહેલા પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને કારણે આગ પર કાબુ મેળવવો એક પડકાર સ્વરૂપ હતું. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.   


સતત બીજા દિવસે જીઆઈડીસીમાં બન્યો આગ લાગવાનો બનાવ  

મહત્વનું છે કે મંગળવારે પણ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે બુધવારે પણ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્લાસ્ટિકની કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાને કારણે વેરહાઉસ નજીક રહેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા હતા.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.