ભરૂચ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ, અનેક કિલોમીટર દૂર સુધી દેખાયા હતા ધૂમાડા!


  • Published By :
  • Published Date : 2023-03-22 10:43:37

આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આગ લાગવાને કારણે અનેક વખત મોટા પાયે નુકસાન થતું હોય છે. ત્યારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે વહેલી સવારે નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ લાગી હતી જેને કારણે અફરા તફરી ભર્યો માહોલ સર્જાયો હતો. વેરહાઉસમાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક કિલોમીટર દૂરથી ધૂમાડા દેખાતા હતા. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની અનેક ટીમો આવી પહોંચી હતી.

 


પ્લાસ્ટિકની કંપનીમાં લાગી ભીષણ આગ 

આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગના કિસ્સાઓ છે જેને કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ઉપરાંત જાનહાની પણ થાય છે. ત્યારે બુધવારે વહેલી સવારે ભરૂચ જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી હતી. નર્મદા પ્લાસ્ટિક કંપનીના વેરહાઉસમાં ભીષણ આગ લાગતા  ફાયર વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચાલુ રખાયો હતો. મળતી માહિતી અનુસાર વેરહાઉસમાં રહેલા પ્લાસ્ટિક મેટ્રોકેમ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી રહી હતી જેને કારણે આગ પર કાબુ મેળવવો એક પડકાર સ્વરૂપ હતું. મળતી માહિતી અનુસાર આગ લાગવાને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.   


સતત બીજા દિવસે જીઆઈડીસીમાં બન્યો આગ લાગવાનો બનાવ  

મહત્વનું છે કે મંગળવારે પણ જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની હતી. ત્યારે બુધવારે પણ જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. પ્લાસ્ટિકની કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની પાંચ જેટલી ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. વિકરાળ આગ હોવાને કારણે વેરહાઉસ નજીક રહેલા વાહનો પણ આગના લપેટામાં આવી ગયા હતા.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે