મુંબઈમાં ફેશન સ્ટ્રીટમાં ભારે આગ ફાટી નીકળી!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 13:21:50


શનિવાર આટલે 5 નવેમ્બરના દિવસે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની ફેશન સ્ટ્રીટની કેટલીક દુકાનોમાં મોટી  આગ ફાટી નીકળી હતી . આગની જાણ થતાજ ફાયરબ્રિગેટની ટીમ  તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા; આ ઘટનામાં ફેશન સ્ટ્રીટ પરની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.


બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગવાની માહિતી શનિવારે મળી હતી અને ત્યારબાદ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ફેશન સ્ટ્રીટને ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 



ફેશન સ્ટ્રીટમાં વધુ કપડાંની દુકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને વિડીઓમાં ફેશન સ્ટ્રીટ વિસ્તારમાંથી નીકળતો ગાઢ કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે અને તેમ ઘણી દુકાનોમાં નુકશાન થયું છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.