મુંબઈમાં ફેશન સ્ટ્રીટમાં ભારે આગ ફાટી નીકળી!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 13:21:50


શનિવાર આટલે 5 નવેમ્બરના દિવસે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની ફેશન સ્ટ્રીટની કેટલીક દુકાનોમાં મોટી  આગ ફાટી નીકળી હતી . આગની જાણ થતાજ ફાયરબ્રિગેટની ટીમ  તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા; આ ઘટનામાં ફેશન સ્ટ્રીટ પરની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.


બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગવાની માહિતી શનિવારે મળી હતી અને ત્યારબાદ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ફેશન સ્ટ્રીટને ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 



ફેશન સ્ટ્રીટમાં વધુ કપડાંની દુકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને વિડીઓમાં ફેશન સ્ટ્રીટ વિસ્તારમાંથી નીકળતો ગાઢ કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે અને તેમ ઘણી દુકાનોમાં નુકશાન થયું છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.