મુંબઈમાં ફેશન સ્ટ્રીટમાં ભારે આગ ફાટી નીકળી!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 13:21:50


શનિવાર આટલે 5 નવેમ્બરના દિવસે દક્ષિણ મુંબઈના ચર્ચગેટ વિસ્તારની ફેશન સ્ટ્રીટની કેટલીક દુકાનોમાં મોટી  આગ ફાટી નીકળી હતી . આગની જાણ થતાજ ફાયરબ્રિગેટની ટીમ  તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવામાં સફળ રહ્યા હતા; આ ઘટનામાં ફેશન સ્ટ્રીટ પરની કેટલીક દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.


બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈની ફેશન સ્ટ્રીટની દુકાનોમાં આગ લાગવાની માહિતી શનિવારે મળી હતી અને ત્યારબાદ ફાયર ટેન્ડરોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. મુંબઈ ટ્રાફિક પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી ફેશન સ્ટ્રીટને ટ્રાફિક માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. 



ફેશન સ્ટ્રીટમાં વધુ કપડાંની દુકાન હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને વિડીઓમાં ફેશન સ્ટ્રીટ વિસ્તારમાંથી નીકળતો ગાઢ કાળો ધુમાડો દેખાઈ રહ્યો છે અને તેમ ઘણી દુકાનોમાં નુકશાન થયું છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.