સુરતમાં રત્નકલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ! ચાર સભ્યોમાંથી બે સભ્યોએ દુનિયાને કહ્યું અલવિદા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-08 12:06:53

સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે પરંતુ ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે આ પગલું લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઝેરી દવા પીધા બાદ રત્નકલાકારે પિતારાઈને ફોન કર્યો અને તેમના સંતાનને સાચવી લેવા કીધું.


પિતા અને પુત્રની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જીવનથી હારીને લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે સુરતમાં એક પરિવારે જીવન ટૂંકાવ્યું છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે મળતી માહિતી અનુસાર પત્ની અને પુત્રીનું મોત થઈ ગયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત નાજુક છે તેવા સમાચાર મળી રહ્યા છે.      


પરિવારમાં ફરી વળી શોકની લાગણી!

કામની શોધમાં અનેક પરિવારો સ્થાળાંતર કરતા હોય છે. કામની અપેક્ષા સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકોની હાલત ગંભીર છે. પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પરિવારના બે સભ્યો બહાર હોવાથી તે બચી ગયા છે. પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર પણ છે અને તે બહારગામ ગયા હતા. ચાર સભ્યો દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.