સુરતમાં રત્નકલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ! ચાર સભ્યોમાંથી બે સભ્યોએ દુનિયાને કહ્યું અલવિદા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-08 12:06:53

સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે પરંતુ ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે આ પગલું લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઝેરી દવા પીધા બાદ રત્નકલાકારે પિતારાઈને ફોન કર્યો અને તેમના સંતાનને સાચવી લેવા કીધું.


પિતા અને પુત્રની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જીવનથી હારીને લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે સુરતમાં એક પરિવારે જીવન ટૂંકાવ્યું છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે મળતી માહિતી અનુસાર પત્ની અને પુત્રીનું મોત થઈ ગયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત નાજુક છે તેવા સમાચાર મળી રહ્યા છે.      


પરિવારમાં ફરી વળી શોકની લાગણી!

કામની શોધમાં અનેક પરિવારો સ્થાળાંતર કરતા હોય છે. કામની અપેક્ષા સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકોની હાલત ગંભીર છે. પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પરિવારના બે સભ્યો બહાર હોવાથી તે બચી ગયા છે. પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર પણ છે અને તે બહારગામ ગયા હતા. ચાર સભ્યો દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.