સુરતમાં રત્નકલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ! ચાર સભ્યોમાંથી બે સભ્યોએ દુનિયાને કહ્યું અલવિદા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-08 12:06:53

સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે પરંતુ ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે આ પગલું લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઝેરી દવા પીધા બાદ રત્નકલાકારે પિતારાઈને ફોન કર્યો અને તેમના સંતાનને સાચવી લેવા કીધું.


પિતા અને પુત્રની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જીવનથી હારીને લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે સુરતમાં એક પરિવારે જીવન ટૂંકાવ્યું છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે મળતી માહિતી અનુસાર પત્ની અને પુત્રીનું મોત થઈ ગયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત નાજુક છે તેવા સમાચાર મળી રહ્યા છે.      


પરિવારમાં ફરી વળી શોકની લાગણી!

કામની શોધમાં અનેક પરિવારો સ્થાળાંતર કરતા હોય છે. કામની અપેક્ષા સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકોની હાલત ગંભીર છે. પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પરિવારના બે સભ્યો બહાર હોવાથી તે બચી ગયા છે. પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર પણ છે અને તે બહારગામ ગયા હતા. ચાર સભ્યો દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે.  




થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?