સુરતમાં રત્નકલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ! ચાર સભ્યોમાંથી બે સભ્યોએ દુનિયાને કહ્યું અલવિદા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-08 12:06:53

સુરતમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. સારવાર માટે હોસ્પિટલ તેમને ખસેડવામાં આવ્યા છે પરંતુ ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત થયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આર્થિક સંકડામણને કારણે પરિવારે આ પગલું લીધું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઝેરી દવા પીધા બાદ રત્નકલાકારે પિતારાઈને ફોન કર્યો અને તેમના સંતાનને સાચવી લેવા કીધું.


પિતા અને પુત્રની હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર!

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જીવનથી હારીને લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે આર્થિક સંકડામણને કારણે સુરતમાં એક પરિવારે જીવન ટૂંકાવ્યું છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે મળતી માહિતી અનુસાર પત્ની અને પુત્રીનું મોત થઈ ગયું છે જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિના મોત થઈ ચૂક્યા છે જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે. બંનેની તબિયત નાજુક છે તેવા સમાચાર મળી રહ્યા છે.      


પરિવારમાં ફરી વળી શોકની લાગણી!

કામની શોધમાં અનેક પરિવારો સ્થાળાંતર કરતા હોય છે. કામની અપેક્ષા સાથે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની સુરત આવ્યા હતા. સુરતમાં પરિવાર સાથે સરથાણા વિસ્તારમાં રહેતા હતા અને રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા. પરંતુ બજારમાં મંદી હોવાને અને આર્થિક સંકડામણને કારણે રત્ન કલાકારના પરિવારે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી બે લોકોના મોત થઈ ગયા છે અને બે લોકોની હાલત ગંભીર છે. પિતા અને પુત્રની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર પરિવારના બે સભ્યો બહાર હોવાથી તે બચી ગયા છે. પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર પણ છે અને તે બહારગામ ગયા હતા. ચાર સભ્યો દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.