મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સર્જાશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? નદીના પ્રવાહને કારણે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-15 12:03:16

એક તરફ ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે તો બીજી તરફ જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બનવા જઈ રહી છે. નર્મદાપુરમમાં પણ જમીન ધીરે-ધીરે ધસી રહી છે. નર્મદા નદીના મોજા જ્યારે ઘાટને ભટકાય છે જેને કારણે જમની ધસી રહી છે. ઉપરાંત નર્મદાના કિનારા પર વસેલા મકાનોમાં પણ થોડી થોડી તિરાડો જોવા મળી રહી છે. 


નર્મદાપુરમમાં પણ સર્જાઈ શકે છે જોશીમઠ જેવી પરિસ્થિતિ

જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. અંદાજીત 700થી વધારે મકાનોમાં તિરાડો પડવાના સમાચાર આવ્યા છે. ઘર અસુરક્ષિત થવાને કારણે સ્થાનિકોને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈમારતોને તોડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઘર તૂટવાની પરિસ્થિતિ પર આવી ગયા છે જેને કારણે લોકો દુખી થઈ રહ્યા છે. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બની રહી છે. ત્યાં પણ ધીરે ધીરે જમીન ધસી રહી છે. 


મકાનોમાં તિરાડો પડવાની થઈ ગઈ છે શરૂઆત

મધ્યપ્રદેશમાં આવેલી નર્મદા નદી પર આવેલા ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. નદીમાં આવતી ભરતીને કારણે નદી ઘાટને સ્પર્શે છે જેને કારણે જમીન ધસતી જાય છે. વિવેકાનંદ ઘાટ, મંગલવારા ઘાટ અને નાગેશ્વર મંદિર સહિતના ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. તિરાડો પડી રહી છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તિરાડો પડવાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. જ્યારે પણ વરસાદ થાય છે તે સમય દરમિયાન ઘરમાં પાણી ટપકે છે. ઉપરાંત વિવેકાનંદ ઘાટમાં સ્થિત ઘરો ધીરે ધીરે ધસી રહ્યા છે. વરસાદના પાણીથી બચવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કોઈ અર્થ રહેતો નથી. જોશીમઠમાં આવી સ્થિતિનું નિર્માણ થયા બાદ પણ અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.