મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સર્જાશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? નદીના પ્રવાહને કારણે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-15 12:03:16

એક તરફ ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે તો બીજી તરફ જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બનવા જઈ રહી છે. નર્મદાપુરમમાં પણ જમીન ધીરે-ધીરે ધસી રહી છે. નર્મદા નદીના મોજા જ્યારે ઘાટને ભટકાય છે જેને કારણે જમની ધસી રહી છે. ઉપરાંત નર્મદાના કિનારા પર વસેલા મકાનોમાં પણ થોડી થોડી તિરાડો જોવા મળી રહી છે. 


નર્મદાપુરમમાં પણ સર્જાઈ શકે છે જોશીમઠ જેવી પરિસ્થિતિ

જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. અંદાજીત 700થી વધારે મકાનોમાં તિરાડો પડવાના સમાચાર આવ્યા છે. ઘર અસુરક્ષિત થવાને કારણે સ્થાનિકોને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈમારતોને તોડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઘર તૂટવાની પરિસ્થિતિ પર આવી ગયા છે જેને કારણે લોકો દુખી થઈ રહ્યા છે. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બની રહી છે. ત્યાં પણ ધીરે ધીરે જમીન ધસી રહી છે. 


મકાનોમાં તિરાડો પડવાની થઈ ગઈ છે શરૂઆત

મધ્યપ્રદેશમાં આવેલી નર્મદા નદી પર આવેલા ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. નદીમાં આવતી ભરતીને કારણે નદી ઘાટને સ્પર્શે છે જેને કારણે જમીન ધસતી જાય છે. વિવેકાનંદ ઘાટ, મંગલવારા ઘાટ અને નાગેશ્વર મંદિર સહિતના ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. તિરાડો પડી રહી છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તિરાડો પડવાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. જ્યારે પણ વરસાદ થાય છે તે સમય દરમિયાન ઘરમાં પાણી ટપકે છે. ઉપરાંત વિવેકાનંદ ઘાટમાં સ્થિત ઘરો ધીરે ધીરે ધસી રહ્યા છે. વરસાદના પાણીથી બચવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કોઈ અર્થ રહેતો નથી. જોશીમઠમાં આવી સ્થિતિનું નિર્માણ થયા બાદ પણ અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.