મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સર્જાશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? નદીના પ્રવાહને કારણે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-15 12:03:16

એક તરફ ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે તો બીજી તરફ જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બનવા જઈ રહી છે. નર્મદાપુરમમાં પણ જમીન ધીરે-ધીરે ધસી રહી છે. નર્મદા નદીના મોજા જ્યારે ઘાટને ભટકાય છે જેને કારણે જમની ધસી રહી છે. ઉપરાંત નર્મદાના કિનારા પર વસેલા મકાનોમાં પણ થોડી થોડી તિરાડો જોવા મળી રહી છે. 


નર્મદાપુરમમાં પણ સર્જાઈ શકે છે જોશીમઠ જેવી પરિસ્થિતિ

જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. અંદાજીત 700થી વધારે મકાનોમાં તિરાડો પડવાના સમાચાર આવ્યા છે. ઘર અસુરક્ષિત થવાને કારણે સ્થાનિકોને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈમારતોને તોડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઘર તૂટવાની પરિસ્થિતિ પર આવી ગયા છે જેને કારણે લોકો દુખી થઈ રહ્યા છે. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બની રહી છે. ત્યાં પણ ધીરે ધીરે જમીન ધસી રહી છે. 


મકાનોમાં તિરાડો પડવાની થઈ ગઈ છે શરૂઆત

મધ્યપ્રદેશમાં આવેલી નર્મદા નદી પર આવેલા ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. નદીમાં આવતી ભરતીને કારણે નદી ઘાટને સ્પર્શે છે જેને કારણે જમીન ધસતી જાય છે. વિવેકાનંદ ઘાટ, મંગલવારા ઘાટ અને નાગેશ્વર મંદિર સહિતના ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. તિરાડો પડી રહી છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તિરાડો પડવાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. જ્યારે પણ વરસાદ થાય છે તે સમય દરમિયાન ઘરમાં પાણી ટપકે છે. ઉપરાંત વિવેકાનંદ ઘાટમાં સ્થિત ઘરો ધીરે ધીરે ધસી રહ્યા છે. વરસાદના પાણીથી બચવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કોઈ અર્થ રહેતો નથી. જોશીમઠમાં આવી સ્થિતિનું નિર્માણ થયા બાદ પણ અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.