મધ્યપ્રદેશના નર્મદાપુરમમાં સર્જાશે જોશીમઠ જેવી પરિસ્થિતિ? નદીના પ્રવાહને કારણે ધસી રહી છે જમીન


  • Published By :
  • Published Date : 2023-01-15 12:03:16

એક તરફ ઉત્તરાખંડના જોશીમઠની પરિસ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે તો બીજી તરફ જોશીમઠ જેવી પરિસ્થિતિનું નિર્માણ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બનવા જઈ રહી છે. નર્મદાપુરમમાં પણ જમીન ધીરે-ધીરે ધસી રહી છે. નર્મદા નદીના મોજા જ્યારે ઘાટને ભટકાય છે જેને કારણે જમની ધસી રહી છે. ઉપરાંત નર્મદાના કિનારા પર વસેલા મકાનોમાં પણ થોડી થોડી તિરાડો જોવા મળી રહી છે. 


નર્મદાપુરમમાં પણ સર્જાઈ શકે છે જોશીમઠ જેવી પરિસ્થિતિ

જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. અંદાજીત 700થી વધારે મકાનોમાં તિરાડો પડવાના સમાચાર આવ્યા છે. ઘર અસુરક્ષિત થવાને કારણે સ્થાનિકોને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત ઈમારતોને તોડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ઘર તૂટવાની પરિસ્થિતિ પર આવી ગયા છે જેને કારણે લોકો દુખી થઈ રહ્યા છે. ત્યારે જોશીમઠ જેવી પરિસ્થિતિ મધ્યપ્રદેશના નર્મદાપુરમાં બની રહી છે. ત્યાં પણ ધીરે ધીરે જમીન ધસી રહી છે. 


મકાનોમાં તિરાડો પડવાની થઈ ગઈ છે શરૂઆત

મધ્યપ્રદેશમાં આવેલી નર્મદા નદી પર આવેલા ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. નદીમાં આવતી ભરતીને કારણે નદી ઘાટને સ્પર્શે છે જેને કારણે જમીન ધસતી જાય છે. વિવેકાનંદ ઘાટ, મંગલવારા ઘાટ અને નાગેશ્વર મંદિર સહિતના ઘાટોને નુકસાન પહોંચી રહ્યું છે. તિરાડો પડી રહી છે. અનેક ઘરોમાં તિરાડો પડવાની શરૂઆત થઈ ગઈ છે. તિરાડો પડવાને કારણે લોકોમાં ભય વ્યાપી ગયો છે. જ્યારે પણ વરસાદ થાય છે તે સમય દરમિયાન ઘરમાં પાણી ટપકે છે. ઉપરાંત વિવેકાનંદ ઘાટમાં સ્થિત ઘરો ધીરે ધીરે ધસી રહ્યા છે. વરસાદના પાણીથી બચવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કોઈ અર્થ રહેતો નથી. જોશીમઠમાં આવી સ્થિતિનું નિર્માણ થયા બાદ પણ અધિકારીઓ આ વાતને ગંભીરતાથી લે તે જરૂરી બન્યું છે. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .