કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:12:21

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત પણ કોરોનાને કારણે થઈ ગયા હતા. થોડા સમયથી કોરોના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસોથી કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ડબલ ડિજિટમાં આંકડાઓ નોંધાઈ રહ્યા છે જેને કારણે ચિંતા વધી છે. 


કોરોનાના નોંધાયા નવા 30 કેસ 

કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસોથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સિંગલ ડિજિટમાં નોંધાતા આંકડા હવે ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધી વિતેલા 24 કલાકનો આંકડો આવ્યો હતો. કોરોના સંક્રમિતોની સંખ્યા 30 નોંધાઈ હતી. અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા, રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 દર્દીઓ નોંધાયા છે. 


વધતા કેસોને કારણે વધી ચિંતા 

હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અનેક લોકો શર્દી-ઉધરસનો શિકાર બન્યા છે. તાવ પણ આવી રહ્યો છે. વાયરલના શિકાર લોકો બની રહ્યા છે. વાયરલના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો નથી. કોરોનાનો સબ વેરિયન્ટે પણ ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ત્યારે વધતા કોરોના કેસે ચિંતા વધારી છે. દરેક લોકોએ આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની જરૂર છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.