કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:12:21

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત પણ કોરોનાને કારણે થઈ ગયા હતા. થોડા સમયથી કોરોના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસોથી કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ડબલ ડિજિટમાં આંકડાઓ નોંધાઈ રહ્યા છે જેને કારણે ચિંતા વધી છે. 


કોરોનાના નોંધાયા નવા 30 કેસ 

કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસોથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સિંગલ ડિજિટમાં નોંધાતા આંકડા હવે ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધી વિતેલા 24 કલાકનો આંકડો આવ્યો હતો. કોરોના સંક્રમિતોની સંખ્યા 30 નોંધાઈ હતી. અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા, રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 દર્દીઓ નોંધાયા છે. 


વધતા કેસોને કારણે વધી ચિંતા 

હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અનેક લોકો શર્દી-ઉધરસનો શિકાર બન્યા છે. તાવ પણ આવી રહ્યો છે. વાયરલના શિકાર લોકો બની રહ્યા છે. વાયરલના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો નથી. કોરોનાનો સબ વેરિયન્ટે પણ ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ત્યારે વધતા કોરોના કેસે ચિંતા વધારી છે. દરેક લોકોએ આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની જરૂર છે.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.