કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-10 09:12:21

થોડા વર્ષો પહેલા કોરોનાએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. અનેક લોકો કોરોના સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત પણ કોરોનાને કારણે થઈ ગયા હતા. થોડા સમયથી કોરોના કેસમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ ધીરે ધીરે કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે-ત્રણ દિવસોથી કોરોના દર્દીઓનો આંકડો વધી રહ્યો છે. ડબલ ડિજિટમાં આંકડાઓ નોંધાઈ રહ્યા છે જેને કારણે ચિંતા વધી છે. 


કોરોનાના નોંધાયા નવા 30 કેસ 

કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઊંચકી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. થોડા દિવસોથી કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એક સમયે સિંગલ ડિજિટમાં નોંધાતા આંકડા હવે ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સાંજના પાંચ વાગ્યા સુધી વિતેલા 24 કલાકનો આંકડો આવ્યો હતો. કોરોના સંક્રમિતોની સંખ્યા 30 નોંધાઈ હતી. અમદાવાદમાં 12 કેસ નોંધાયા હતા, રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 2-2 દર્દીઓ નોંધાયા છે. 


વધતા કેસોને કારણે વધી ચિંતા 

હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અનેક લોકો શર્દી-ઉધરસનો શિકાર બન્યા છે. તાવ પણ આવી રહ્યો છે. વાયરલના શિકાર લોકો બની રહ્યા છે. વાયરલના કેસ સતત વધી રહ્યા છે. કોરોના કેસમાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાથી સંપૂર્ણ છૂટકારો મળ્યો નથી. કોરોનાનો સબ વેરિયન્ટે પણ ચિંતા વધારી છે. રાજ્યમાં કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. ત્યારે વધતા કોરોના કેસે ચિંતા વધારી છે. દરેક લોકોએ આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવાની જરૂર છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.