કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 13:02:27

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં વધારો જોવા મળતા લોકોની ચિંતામાં વધારો થયો છે. ભારત દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1134 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ 5 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 7026 થઈ ગઈ છે. 


 1134 લોકો થયા કોરોના સંક્રમિત!    

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1134 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ કેરળમાં લોકોના મોત થયા હતા. 24 કલાકમાં કોરોનાના 1 લાખ 3 હજાર 831 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હજી સુધી 220.65 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.