કોરોના કેસમાં જોવા મળ્યો ઉછાળો, જાણો 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત અને કેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-03-22 13:02:27

દેશમાં ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં વધારો જોવા મળતા લોકોની ચિંતામાં વધારો થયો છે. ભારત દેશમાં કોરોના સંક્રમણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1134 કેસ નોંધાયા છે. કોરોનાને કારણે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ 5 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યામાં 7026 થઈ ગઈ છે. 


 1134 લોકો થયા કોરોના સંક્રમિત!    

ધીમે ધીમે કોરોના ફરી દેશમાં પગ પેસારો કરી રહ્યો છે. એક સમય આવ્યો હતો જ્યારે કોરોના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઓછા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા હતા પરંતુ ફરી એક વખત કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1134 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાને કારણે 5 લોકોના મોત થઈ ગયા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર તેમજ કેરળમાં લોકોના મોત થયા હતા. 24 કલાકમાં કોરોનાના 1 લાખ 3 હજાર 831 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત હજી સુધી 220.65 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.