માતા પિતાની ભૂલે લીધો બાળકનો જીવ! Bhavnagarમાં બે મહિના બાળકને કરડ્યું હતું કૂતરૂ પરંતુ વેક્સિન ન અપાતા ગયો બાળકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-08-26 18:55:19

રખડતા શ્વાનનો હુમલો સતત વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક બાળક રખડતા કુતરાનો ભોગ બન્યું હતું, ભાવનગરમાં બે મહિના પહેલા શ્વાન કરડ્યું હતું પરંતુ વેક્સિન આપવામાં પરિવાર સભ્યોએ બેદરકારી રાખી હતી. આઠ વર્ષના બાળકને બુધવારે હડકવાની અસર શરૂ થઈ ગઈ હતી. સારવાર માટે બાળકને હોસ્પિચલ ખસડેવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.  


હકડવાની અસર થતા જ અમુક કલાકોની અંદર થયું બાળકનું મોત 

અનેક વખત પરિવાર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. બાળકોનું જે ધ્યાન રાખવું જોઈએ તે ધ્યાન ન રાખવામાં આવતા કોઈ વખત બાળક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. ત્યારે આવો જ કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. રખડતા શ્વાનની સાથે સાથે રખડતા ઢોરનો આતંક પણ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક બાળક ભોગ બન્યો છે રખડતા શ્વાનનો. બે મહિના પહેલા આઠ વર્ષના બાળકને કૂતરૂ કરડ્યું હતું. તે સમયે બાળકના માતા પિતાએ એન્ટિરેબિજ વેક્સિન સમયસર આપી ન હતી જેને કારણે બાળકને હડકવાની અસર શરૂ થઈ. હડકવાની અસર શરૂ થતાં જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું.


જો કૂતરૂં કરડે છે તો શું કરવું જોઈએ?

મહત્વનું છે કે જો કૂતરૂં કરડ્યું હોય તો વેક્સિન લેવી અનિવાર્ય છે. જો કૂતરૂ કરડ્યું છે તો એન્ટિરેબિઝ ઈન્ઝેક્શન લેવાનું હોય છે. જો વેક્સિન સમયસર નહીં લેવામાં આવે તો જીવનું જોખમ પણ રહેતું હોય છે. હડકવાની અસર શરૂ થઈ જાય છે અને પછી જીવલેણ સાબિત થતો હોય છે. હડકવાની સીધી અસર મગજ પર પડે છે. જો કૂતરૂ કરડે છે તો તાત્કાલિક હડકવા વિરોધી રસી લેવી જોઈએ. જો કૂતરૂ કરડી જાય છે તો સૌથી પહેલા સાફ પાણીથી તે જગ્યાને સાફ કરો જ્યાં કૂતરૂં કરડ્યું છે. ઘાવને સાફ કરી ચોખ્ખા કપડાથી તેને લૂછી લો. અને તે બાદ નજીકના ડોક્ટર અથવા તો હોસ્પિટલમાં જઈ સારવાર કરાવો.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.