માતા પિતાની ભૂલે લીધો બાળકનો જીવ! Bhavnagarમાં બે મહિના બાળકને કરડ્યું હતું કૂતરૂ પરંતુ વેક્સિન ન અપાતા ગયો બાળકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-08-26 18:55:19

રખડતા શ્વાનનો હુમલો સતત વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક બાળક રખડતા કુતરાનો ભોગ બન્યું હતું, ભાવનગરમાં બે મહિના પહેલા શ્વાન કરડ્યું હતું પરંતુ વેક્સિન આપવામાં પરિવાર સભ્યોએ બેદરકારી રાખી હતી. આઠ વર્ષના બાળકને બુધવારે હડકવાની અસર શરૂ થઈ ગઈ હતી. સારવાર માટે બાળકને હોસ્પિચલ ખસડેવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.  


હકડવાની અસર થતા જ અમુક કલાકોની અંદર થયું બાળકનું મોત 

અનેક વખત પરિવાર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. બાળકોનું જે ધ્યાન રાખવું જોઈએ તે ધ્યાન ન રાખવામાં આવતા કોઈ વખત બાળક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. ત્યારે આવો જ કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. રખડતા શ્વાનની સાથે સાથે રખડતા ઢોરનો આતંક પણ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક બાળક ભોગ બન્યો છે રખડતા શ્વાનનો. બે મહિના પહેલા આઠ વર્ષના બાળકને કૂતરૂ કરડ્યું હતું. તે સમયે બાળકના માતા પિતાએ એન્ટિરેબિજ વેક્સિન સમયસર આપી ન હતી જેને કારણે બાળકને હડકવાની અસર શરૂ થઈ. હડકવાની અસર શરૂ થતાં જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું.


જો કૂતરૂં કરડે છે તો શું કરવું જોઈએ?

મહત્વનું છે કે જો કૂતરૂં કરડ્યું હોય તો વેક્સિન લેવી અનિવાર્ય છે. જો કૂતરૂ કરડ્યું છે તો એન્ટિરેબિઝ ઈન્ઝેક્શન લેવાનું હોય છે. જો વેક્સિન સમયસર નહીં લેવામાં આવે તો જીવનું જોખમ પણ રહેતું હોય છે. હડકવાની અસર શરૂ થઈ જાય છે અને પછી જીવલેણ સાબિત થતો હોય છે. હડકવાની સીધી અસર મગજ પર પડે છે. જો કૂતરૂ કરડે છે તો તાત્કાલિક હડકવા વિરોધી રસી લેવી જોઈએ. જો કૂતરૂ કરડી જાય છે તો સૌથી પહેલા સાફ પાણીથી તે જગ્યાને સાફ કરો જ્યાં કૂતરૂં કરડ્યું છે. ઘાવને સાફ કરી ચોખ્ખા કપડાથી તેને લૂછી લો. અને તે બાદ નજીકના ડોક્ટર અથવા તો હોસ્પિટલમાં જઈ સારવાર કરાવો.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.