માતા પિતાની ભૂલે લીધો બાળકનો જીવ! Bhavnagarમાં બે મહિના બાળકને કરડ્યું હતું કૂતરૂ પરંતુ વેક્સિન ન અપાતા ગયો બાળકનો જીવ


  • Published By :
  • Published Date : 2023-08-26 18:55:19

રખડતા શ્વાનનો હુમલો સતત વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. ત્યારે વધુ એક બાળક રખડતા કુતરાનો ભોગ બન્યું હતું, ભાવનગરમાં બે મહિના પહેલા શ્વાન કરડ્યું હતું પરંતુ વેક્સિન આપવામાં પરિવાર સભ્યોએ બેદરકારી રાખી હતી. આઠ વર્ષના બાળકને બુધવારે હડકવાની અસર શરૂ થઈ ગઈ હતી. સારવાર માટે બાળકને હોસ્પિચલ ખસડેવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું હતું. બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે.  


હકડવાની અસર થતા જ અમુક કલાકોની અંદર થયું બાળકનું મોત 

અનેક વખત પરિવાર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી બાળકોને ભારે પડી શકે છે. બાળકોનું જે ધ્યાન રાખવું જોઈએ તે ધ્યાન ન રાખવામાં આવતા કોઈ વખત બાળક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. ત્યારે આવો જ કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. રખડતા શ્વાનનો આતંક પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. રખડતા શ્વાનની સાથે સાથે રખડતા ઢોરનો આતંક પણ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે વધુ એક બાળક ભોગ બન્યો છે રખડતા શ્વાનનો. બે મહિના પહેલા આઠ વર્ષના બાળકને કૂતરૂ કરડ્યું હતું. તે સમયે બાળકના માતા પિતાએ એન્ટિરેબિજ વેક્સિન સમયસર આપી ન હતી જેને કારણે બાળકને હડકવાની અસર શરૂ થઈ. હડકવાની અસર શરૂ થતાં જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઈ ગયું.


જો કૂતરૂં કરડે છે તો શું કરવું જોઈએ?

મહત્વનું છે કે જો કૂતરૂં કરડ્યું હોય તો વેક્સિન લેવી અનિવાર્ય છે. જો કૂતરૂ કરડ્યું છે તો એન્ટિરેબિઝ ઈન્ઝેક્શન લેવાનું હોય છે. જો વેક્સિન સમયસર નહીં લેવામાં આવે તો જીવનું જોખમ પણ રહેતું હોય છે. હડકવાની અસર શરૂ થઈ જાય છે અને પછી જીવલેણ સાબિત થતો હોય છે. હડકવાની સીધી અસર મગજ પર પડે છે. જો કૂતરૂ કરડે છે તો તાત્કાલિક હડકવા વિરોધી રસી લેવી જોઈએ. જો કૂતરૂ કરડી જાય છે તો સૌથી પહેલા સાફ પાણીથી તે જગ્યાને સાફ કરો જ્યાં કૂતરૂં કરડ્યું છે. ઘાવને સાફ કરી ચોખ્ખા કપડાથી તેને લૂછી લો. અને તે બાદ નજીકના ડોક્ટર અથવા તો હોસ્પિટલમાં જઈ સારવાર કરાવો.     



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.