નાનકડી બાળકીએ બતાવી દેશભક્તિની ઝલક, પોલીસકર્મીને સેલ્યુટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, શું તમે જોયો વીડિયો?


  • Published By :
  • Published Date : 2023-03-22 16:59:04

સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો સામે આવતા હોય છે જે આપણા દિલને સ્પર્શી જતા હોય છે. એમાં પણ જો નાના બાળકનો ક્યુટ વીડિયો હોય તો તે ધૂમ વાયરલ થતો હોય છે. ત્યારે હાલ એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં નાની છોકરી દેશની રક્ષા કરતા જવાનાને સલામ કરી રહી છે. દેશની રક્ષા કરતા જવાનોને સન્માન આપતો વીડિયો સામે આવ્યો છે.

  

કેરળ પોલીસે શેર કર્યો બાળકીનો વીડિયો  

દરેક દેશવાસીઓમાં દેશનું સન્માન કરવાની ભાવના હોતી હોય છે. ઉપરાંત દરેકે દેશની રક્ષા કરતા જવાનોને પણ માન આપવું જોઈએ. આ ટેવ બાળકો નાના હોય ત્યારથી બાળકોમાં આવી ભાવના કેળવાય તે માટે નાનપણથી જ આવી વસ્તુઓ તેમને શીખવાડવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાનકડી બાળકીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરી પોલીસને સેલ્યુટ કરતી નજરે પડે છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જ જોવાઈ રહ્યો છે. નાની બાળકીમાં પોલીસ પ્રત્યે આટલું સન્માન જોવા મળતા લોકો ખૂશ થઈ રહ્યા છે. કેરલ પોલીસે પોતાના સોશિયલ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. સાથે જ લખ્યું કે છોટીસી બચ્ચીને પ્યારસે ગ્રીટ કિયા. 


લોકોને પસંદ આવી રહ્યો છે નાની બાળકીનો વીડિયો 

નાની ઉંમરે આવી દેશભક્તિને જોતા લોકો પણ ખુશ થઈ રહ્યા છે. બાળકીની દેશભક્તિના લોકો વખાણ કરી રહ્યા છે. લખી રહ્યા છે કે છોકરીની દેશ ભક્તિ જોવા લાયક છે. તો કોઈકે કેરળ પોલીસનો આ વીડિયો પોસ્ટ કરવા બદલ આભાર માન્યો હતો. તો કોઈએ લખ્યું બચ્ચે મન કે સચે. ત્યારે આ બાળકીમાંથી દેશવાસીઓએ દેશભક્તિ તેમજ સુરક્ષા બળોનું સન્માન કરવું જોઈએ તેવી શીખ લેવી જોઈએ.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.