Ahmedabadમાં સર્જાઈ મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગના 13માં માળેથી શ્રમિકો પટકાયા, ઉડ્યું પ્રાણ પંખેરૂ


  • Published By :
  • Published Date : 2023-09-30 12:39:22

કન્ટ્રક્શન સાઈટમાં અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. જીવના જોખમે મજૂરો આપણા સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાલક તૂટી પડતા નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર 3 શ્રમિકોના મોત નિપજ્યાં છે. 12માં માળથી મજૂરો પટકાયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ દુર્ઘટના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. મોડી રાત્રે મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે કે મોડી રાત્રે કેવી રીતે કન્ટ્રક્શન સાઈટ પર કામ કરવાની પરમિશન મળી?   

Ahmedabad/ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના,12માં માળથી  પટકાતા 3 શ્રમિકોના મોત - KalTak 24 News

કન્ટ્રક્શન સાઈટ પર સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત નિર્માણાધિન બિલ્ડીંગો તૂટી પડવાની ઘટના સામે આવતી હોય છે. દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકોના મોત થતા હોય છે. મજૂરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા પર ધ્યાન વધારે આપવામાં નથી આવતું. સુરક્ષાની તકેદારી રાખવામાં નથી આવતી જેનો ભોગ શ્રમિકોને બનવું પડતું હોય છે. અનેક શ્રમિકોના જીવ આને કારણે ગયા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે.   

અમદાવાદમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતાં 7 મજૂરોના મોત – Tv9 Gujarati

12માં માળેથી પટકાતા શ્રમિકોના થયા મોત

જે દુર્ઘટના સર્જાઈ છે તે ઘુમા વિસ્તારમાં બની છે. વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અનેક શ્રમિકોએ પોતાના જીવ બીજાની બેદરકારીને કારણે જતા હોય છે.  ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.