Ahmedabadમાં સર્જાઈ મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગના 13માં માળેથી શ્રમિકો પટકાયા, ઉડ્યું પ્રાણ પંખેરૂ


  • Published By :
  • Published Date : 2023-09-30 12:39:22

કન્ટ્રક્શન સાઈટમાં અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. જીવના જોખમે મજૂરો આપણા સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાલક તૂટી પડતા નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર 3 શ્રમિકોના મોત નિપજ્યાં છે. 12માં માળથી મજૂરો પટકાયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ દુર્ઘટના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. મોડી રાત્રે મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે કે મોડી રાત્રે કેવી રીતે કન્ટ્રક્શન સાઈટ પર કામ કરવાની પરમિશન મળી?   

Ahmedabad/ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના,12માં માળથી  પટકાતા 3 શ્રમિકોના મોત - KalTak 24 News

કન્ટ્રક્શન સાઈટ પર સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત નિર્માણાધિન બિલ્ડીંગો તૂટી પડવાની ઘટના સામે આવતી હોય છે. દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકોના મોત થતા હોય છે. મજૂરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા પર ધ્યાન વધારે આપવામાં નથી આવતું. સુરક્ષાની તકેદારી રાખવામાં નથી આવતી જેનો ભોગ શ્રમિકોને બનવું પડતું હોય છે. અનેક શ્રમિકોના જીવ આને કારણે ગયા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે.   

અમદાવાદમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતાં 7 મજૂરોના મોત – Tv9 Gujarati

12માં માળેથી પટકાતા શ્રમિકોના થયા મોત

જે દુર્ઘટના સર્જાઈ છે તે ઘુમા વિસ્તારમાં બની છે. વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અનેક શ્રમિકોએ પોતાના જીવ બીજાની બેદરકારીને કારણે જતા હોય છે.  ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.