Ahmedabadમાં સર્જાઈ મોટી દુર્ઘટના, નિર્માણાધીન બિલ્ડિંગના 13માં માળેથી શ્રમિકો પટકાયા, ઉડ્યું પ્રાણ પંખેરૂ


  • Published By :
  • Published Date : 2023-09-30 12:39:22

કન્ટ્રક્શન સાઈટમાં અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે. જીવના જોખમે મજૂરો આપણા સપનાનું ઘર બનાવતા હોય છે. ત્યારે અમદાવાદમાં ફરી એક વખત મોટી દુર્ઘટના સર્જાઈ છે. પાલક તૂટી પડતા નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર 3 શ્રમિકોના મોત નિપજ્યાં છે. 12માં માળથી મજૂરો પટકાયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. આ દુર્ઘટના ઘુમા વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ છે. મોડી રાત્રે મજૂરો સાઈટ પર કામ કરી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે કે મોડી રાત્રે કેવી રીતે કન્ટ્રક્શન સાઈટ પર કામ કરવાની પરમિશન મળી?   

Ahmedabad/ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના,12માં માળથી  પટકાતા 3 શ્રમિકોના મોત - KalTak 24 News

કન્ટ્રક્શન સાઈટ પર સર્જાઈ દુર્ઘટના 

અનેક વખત નિર્માણાધિન બિલ્ડીંગો તૂટી પડવાની ઘટના સામે આવતી હોય છે. દુર્ઘટના સર્જાતા અનેક શ્રમિકોના મોત થતા હોય છે. મજૂરો જ્યારે કામ કરતા હોય છે ત્યારે તેમની સુરક્ષા પર ધ્યાન વધારે આપવામાં નથી આવતું. સુરક્ષાની તકેદારી રાખવામાં નથી આવતી જેનો ભોગ શ્રમિકોને બનવું પડતું હોય છે. અનેક શ્રમિકોના જીવ આને કારણે ગયા છે. ત્યારે અમદાવાદમાં વધુ એક કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના સર્જાઈ છે.   

અમદાવાદમાં મોટી દુર્ઘટના, લિફ્ટ તૂટતાં 7 મજૂરોના મોત – Tv9 Gujarati

12માં માળેથી પટકાતા શ્રમિકોના થયા મોત

જે દુર્ઘટના સર્જાઈ છે તે ઘુમા વિસ્તારમાં બની છે. વિસ્તારમાં આવેલી ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના બની હતી. આ નિર્માણાધિન બિલ્ડિંગના 12માં માળે પાલક તૂટતા ત્રણ શ્રમિકો નીચે પટકાયા હતા. દુર્ઘટના સર્જાતા શ્રમિકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મળે તે પહેલા જ શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. હોસ્પિટલ જ્યારે તેમને ખસેડવામાં આવ્યા ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અનેક શ્રમિકોએ પોતાના જીવ બીજાની બેદરકારીને કારણે જતા હોય છે.  ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ આરંભી હતી. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી