મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે મારી 3 બસોને ટક્કર, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-25 13:39:22

શુક્રવાર રાત્રે મધ્યપ્રદેશમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો જેમાં 14 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચુરહટ રીવા નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી અને રસ્તામાં ઉભેલી ત્રણ બસોને અડફેટે લીધી હતી. આ બસોમાં સવાર લોકો કોલ સમાજના મહાકુંભ કાર્યક્રમમાં સામેલ થયા બાદ સીધી પાછા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

   


નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે વધુ એક અકસ્માત મધ્યપ્રદેશમાં સર્જાયો છે. આ અકસ્માતને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સીધીના ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર શુક્રવાર રાતે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટયું જેને કારણે ટ્રક બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ બનેલા ટ્રકે 3 બસોને અડફેટે લીધી હતી. 


બેકાબૂ બનેલી ટ્રકે મારી ત્રણ બસોને ટક્કર 

મળતી માહિતી અનુસાર સતનામાં આયોજીત કોલ મહાકુંભમાં લોકોને લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિંધ્ય ક્ષેત્રના જિલ્લાઓથી લોકોને કાર્યક્રમમાં લાવવા બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તામાં યાત્રિકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની અને પાછળથી આવેલી ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે 8 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા જ્યારે સારવાર દરમિયાન અન્ય લોકોના મોત થયા. 


મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની કરી ઘોષણા  

 ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ તેમજ ઘાયલ થયેલા લોકોને 1 લાખ આપવાની જાહેરાત કરી છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.