મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ટાયર ફાટતા બેકાબૂ ટ્રકે મારી 3 બસોને ટક્કર, અનેક લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-02-25 13:39:22

શુક્રવાર રાત્રે મધ્યપ્રદેશમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો જેમાં 14 જેટલા લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ચુરહટ રીવા નેશનલ હાઈવે પર સર્જાઈ હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની હતી અને રસ્તામાં ઉભેલી ત્રણ બસોને અડફેટે લીધી હતી. આ બસોમાં સવાર લોકો કોલ સમાજના મહાકુંભ કાર્યક્રમમાં સામેલ થયા બાદ સીધી પાછા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનામાં 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 60 જેટલા લોકો ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા.

   


નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ત્યારે વધુ એક અકસ્માત મધ્યપ્રદેશમાં સર્જાયો છે. આ અકસ્માતને કારણે 14 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સીધીના ચુરહટ-રીવા નેશનલ હાઈવે પર શુક્રવાર રાતે અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટયું જેને કારણે ટ્રક બેકાબૂ બની ગઈ હતી. બેકાબૂ બનેલા ટ્રકે 3 બસોને અડફેટે લીધી હતી. 


બેકાબૂ બનેલી ટ્રકે મારી ત્રણ બસોને ટક્કર 

મળતી માહિતી અનુસાર સતનામાં આયોજીત કોલ મહાકુંભમાં લોકોને લાવવા લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિંધ્ય ક્ષેત્રના જિલ્લાઓથી લોકોને કાર્યક્રમમાં લાવવા બસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયોજિત કોલ સમાજના મહાકુંભમાં હાજરી આપીને સીધી પરત ફરી રહી હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તામાં યાત્રિકો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ટ્રકનું ટાયર ફાટતા ટ્રક બેકાબૂ બની અને પાછળથી આવેલી ટ્રકે બસને ટક્કર મારી જેને કારણે 8 લોકોના મોત ઘટનાસ્થળ પર થયા જ્યારે સારવાર દરમિયાન અન્ય લોકોના મોત થયા. 


મુખ્યમંત્રીએ મૃતકોને સહાય આપવાની કરી ઘોષણા  

 ઘટનાની જાણ થતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2 લાખ તેમજ ઘાયલ થયેલા લોકોને 1 લાખ આપવાની જાહેરાત કરી છે. 




Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.