અમદાવાદ અને કચ્છમાં આઇટીની મોટી કાર્યવાહી, સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ઉપર તવાઈ


  • Published By :
  • Published Date : 2023-01-17 10:39:28

આઈટીની ટીમે અમદાવાદ અને કચ્છમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આઈટીની ટામે સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપ પર કાર્યવાહી કરી છે. આઈટીની ટીમે એકસાથે 18 જગ્યાઓ પર દરોડા પાડી સર્વેની કામગીરી કરી હતી. અંદાજીત 100થી વધુ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો અને આ મેગા ઓપરેશનમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. 


100 જેટલા અધિકારીઓ કરી રહ્યા છે તપાસ 

છેલ્લા અનેક દિવસોથી આઈટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. આઈટી ટીમ વિવિધ જગ્યાઓ પર રેડ પાડી રહી છે. ત્યારે IT વિભાગે સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર કાર્યવાહી કરી છે. ટીમે એક સાથે અમદાવાદ અને કચ્છમાં રેડ કરી હતી. 18 જગ્યાઓ પર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મેગા ઓપરેશન કરવા 100 જેટલા અધિકારીઓની ટીમ ઉતારવામાં આવી હતી. સર્વેની કાર્યવાહી કરવામાં આવતા કડકડતી ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.