અમદાવાદ અને કચ્છમાં આઇટીની મોટી કાર્યવાહી, સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો ઉપર તવાઈ


  • Published By :
  • Published Date : 2023-01-17 10:39:28

આઈટીની ટીમે અમદાવાદ અને કચ્છમાં મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. આઈટીની ટામે સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા ગ્રુપ પર કાર્યવાહી કરી છે. આઈટીની ટીમે એકસાથે 18 જગ્યાઓ પર દરોડા પાડી સર્વેની કામગીરી કરી હતી. અંદાજીત 100થી વધુ અધિકારીઓનો કાફલો આવી પહોંચ્યો હતો અને આ મેગા ઓપરેશનમાં તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. 


100 જેટલા અધિકારીઓ કરી રહ્યા છે તપાસ 

છેલ્લા અનેક દિવસોથી આઈટીની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે. આઈટી ટીમ વિવિધ જગ્યાઓ પર રેડ પાડી રહી છે. ત્યારે IT વિભાગે સ્ટીલ બિઝનેસ સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર કાર્યવાહી કરી છે. ટીમે એક સાથે અમદાવાદ અને કચ્છમાં રેડ કરી હતી. 18 જગ્યાઓ પર ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મેગા ઓપરેશન કરવા 100 જેટલા અધિકારીઓની ટીમ ઉતારવામાં આવી હતી. સર્વેની કાર્યવાહી કરવામાં આવતા કડકડતી ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.