મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાની ફોરેન્સીક તપાસમાં મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-02 13:13:13

મોરબી ઝુલતા પુલ અકસ્માતમાં ફોરન્સિક લેબોરટેટરીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા છે. આ ખુલાસા અનુસાર કેબલના જે જગ્યાએથી તૂટ્યો હતો ત્યાં ફ્રેમ અને કેબલને કાટ લાગેલા હતા. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. 


સમારકામ કરનાર કંપનીને અનુભવ જ ન હતોઃ પ્રાથમિક રિપોર્ટ

છેલ્લા સાત મહિના રિપેરિંગ અને રિનોવેશન દરમિયાન માત્ર ફેબ્રિકેશનનું જ કામ હાથ ધરાયું હતું અને એલ્યુમિનિયમની મેટલ શીટ ચાર લેયરમાં નાખવામાં આવેલી હતી પરંતુ મુખ્ય કેબલ પર કાટ લાગેલો હોવા છતાં બદલાવવામાં આવ્યો ના હતો. મેઈન ફ્રેમ પણ બદલાઈ નહોતી. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. આ પેટા કોન્ટ્રાક્ટવાળા લોકો ધ્રાંગધ્રામાં ફેબ્રિકેશનની દુકાન ધરાવતા હતા. 


મેઈન્ટેઈનેન્સ બાદ પણ તમામ વસ્તુઓ કાટ ખાયેલી 

પ્રાથિમક તપાસમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોએ લીધેલા સેમ્પલમાં તેમને જાણવા મળ્યું હતું કે બ્રિજના મેટલ બોલ્ટ, મેટલની ફ્રેમ મેઈન સસ્પેન્શનવાળું દોરડું બધુ જૂનું હતું અને કાટ લાગેલા હોય તેવા હતા. બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા નિયમો હોય છે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી ફિટનેસનું સર્ટિફિકેટ લેવું પડતું હોય છે. આ ફિટનેસ લીધું નથી કે લેતા ભૂલી ગયા હશે કે રસ નહીં પડ્યો હોય તે પૂરી તપાસ થઈ જશે તેના પછી જ ખબર પડશે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.