મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનાની ફોરેન્સીક તપાસમાં મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2022-11-02 13:13:13

મોરબી ઝુલતા પુલ અકસ્માતમાં ફોરન્સિક લેબોરટેટરીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા આવ્યા છે. આ ખુલાસા અનુસાર કેબલના જે જગ્યાએથી તૂટ્યો હતો ત્યાં ફ્રેમ અને કેબલને કાટ લાગેલા હતા. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. 


સમારકામ કરનાર કંપનીને અનુભવ જ ન હતોઃ પ્રાથમિક રિપોર્ટ

છેલ્લા સાત મહિના રિપેરિંગ અને રિનોવેશન દરમિયાન માત્ર ફેબ્રિકેશનનું જ કામ હાથ ધરાયું હતું અને એલ્યુમિનિયમની મેટલ શીટ ચાર લેયરમાં નાખવામાં આવેલી હતી પરંતુ મુખ્ય કેબલ પર કાટ લાગેલો હોવા છતાં બદલાવવામાં આવ્યો ના હતો. મેઈન ફ્રેમ પણ બદલાઈ નહોતી. જે કંપનીને પેટા કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો હતો તેના માલિકો લાયકાતવાળા એન્જિનિયરો ના હતા. આ કંપનીને કેબલ બ્રિજ સમારકામનો પણ કોઈ અનુભવ ના હતો. આ પેટા કોન્ટ્રાક્ટવાળા લોકો ધ્રાંગધ્રામાં ફેબ્રિકેશનની દુકાન ધરાવતા હતા. 


મેઈન્ટેઈનેન્સ બાદ પણ તમામ વસ્તુઓ કાટ ખાયેલી 

પ્રાથિમક તપાસમાં ફોરેન્સિક સાયન્સના તજજ્ઞોએ લીધેલા સેમ્પલમાં તેમને જાણવા મળ્યું હતું કે બ્રિજના મેટલ બોલ્ટ, મેટલની ફ્રેમ મેઈન સસ્પેન્શનવાળું દોરડું બધુ જૂનું હતું અને કાટ લાગેલા હોય તેવા હતા. બ્રિજ ખુલ્લો મૂકતા પહેલા નિયમો હોય છે કે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી ફિટનેસનું સર્ટિફિકેટ લેવું પડતું હોય છે. આ ફિટનેસ લીધું નથી કે લેતા ભૂલી ગયા હશે કે રસ નહીં પડ્યો હોય તે પૂરી તપાસ થઈ જશે તેના પછી જ ખબર પડશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.