મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ફાઈટર પ્લેન સુખોઈ-30 અને મિરાજ-2000 થયું ક્રેશ


  • Published By :
  • Published Date : 2023-01-28 11:50:06

મધ્યપ્રદેશમાં વાયુસેનાના ફાઈટર જેટ ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુખોઈ 30 અને મિરાજ 2000 એકબીજા સાથે ભટકાયા હતા જેને કારણે દુર્ઘટના સર્જાઈ છે. પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર હવામાં પ્લેનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. બંને પ્લેને ગ્વાલિયર એર બેઝથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું છે.

 

ફાઈટર જેટ આકાશમાં હતું તે દરમિયાન આગ લાગી  

વાયુસેનાનું પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા પોલીસ અને સેનાના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. આમાં કેટલા પાયલટ હાજર હતા કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આગરાથી ફાઈટર જેટે ઉડાન ભરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.