મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ફાઈટર પ્લેન સુખોઈ-30 અને મિરાજ-2000 થયું ક્રેશ


  • Published By :
  • Published Date : 2023-01-28 11:50:06

મધ્યપ્રદેશમાં વાયુસેનાના ફાઈટર જેટ ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુખોઈ 30 અને મિરાજ 2000 એકબીજા સાથે ભટકાયા હતા જેને કારણે દુર્ઘટના સર્જાઈ છે. પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર હવામાં પ્લેનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. બંને પ્લેને ગ્વાલિયર એર બેઝથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું છે.

 

ફાઈટર જેટ આકાશમાં હતું તે દરમિયાન આગ લાગી  

વાયુસેનાનું પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા પોલીસ અને સેનાના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. આમાં કેટલા પાયલટ હાજર હતા કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આગરાથી ફાઈટર જેટે ઉડાન ભરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.