મધ્યપ્રદેશમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ફાઈટર પ્લેન સુખોઈ-30 અને મિરાજ-2000 થયું ક્રેશ


  • Published By :
  • Published Date : 2023-01-28 11:50:06

મધ્યપ્રદેશમાં વાયુસેનાના ફાઈટર જેટ ક્રેશ થયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સુખોઈ 30 અને મિરાજ 2000 એકબીજા સાથે ભટકાયા હતા જેને કારણે દુર્ઘટના સર્જાઈ છે. પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર હવામાં પ્લેનમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. બંને પ્લેને ગ્વાલિયર એર બેઝથી ઉડાન ભરી હતી. પ્રેક્ટિસ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી તેવું માનવામાં આવી રહ્યું છે.

 

ફાઈટર જેટ આકાશમાં હતું તે દરમિયાન આગ લાગી  

વાયુસેનાનું પ્લેન ક્રેશ થવાની જાણકારી મળતા પોલીસ અને સેનાના અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી. આમાં કેટલા પાયલટ હાજર હતા કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. મળતી માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આગરાથી ફાઈટર જેટે ઉડાન ભરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.    



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.