ચૂંટણી પૂર્વે યોજાઈ અર્બુદા સેનાની બેઠક, કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન ન આપવાની કરાઈ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-15 11:39:01

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. ચૂંટણી પહેલા અનેક સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે અર્બુદા સેનાએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. એવી અટકળો વહેતી થઈ હતી કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. પરંતુ આ અટકળોનો અંત આવ્યો છે. વિપુલ ચૌધરીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. 

Image

Image

પાઘડી રાખી યોજ્યું સંમેલન

ચૂંટણી પહેલા અનેક રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. દરેક પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માણસાના ચરાડામાં અર્બુદા સેના ગુજરાત સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરી ન વર્તાય તે માટે વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાન પર  પાઘડી રાખવામાં આવી હતી.   

અર્બુદા સેના નથી આપવાની રાજકીય પાર્ટીને સમર્થન 

ચૂંટણી પૂર્વે અર્બુદા સેનાએ કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન માત્ર સામાજીક મુદ્દાઓને લઈ યોજાઈ છે. અર્બુદા સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અર્બુદા સેના કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન નથી આપવાની. માત્ર બીન રાજકીય સંગઠન તરીકે કામ કરશે. ઉપરાંત વિપુલ ચૌધરી પણ ચૂંટણી નથી લડવાના તેવી પણ જાહેરાત કરવામાં આવી છેે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.