ચૂંટણી પૂર્વે યોજાઈ અર્બુદા સેનાની બેઠક, કોઈ પણ રાજકીય પક્ષને સમર્થન ન આપવાની કરાઈ જાહેરાત


  • Published By :
  • Published Date : 2022-11-15 11:39:01

ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી નજીક આવતા અનેક નેતાઓ પક્ષપલટો કરી લેતા હોય છે. પોતાની પાર્ટીને છોડી બીજી પાર્ટીમાં જતા હોય છે. ચૂંટણી પહેલા અનેક સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે અર્બુદા સેનાએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. એવી અટકળો વહેતી થઈ હતી કે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. પરંતુ આ અટકળોનો અંત આવ્યો છે. વિપુલ ચૌધરીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. 

Image

Image

પાઘડી રાખી યોજ્યું સંમેલન

ચૂંટણી પહેલા અનેક રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. દરેક પાર્ટી રણનીતિ સાથે આગળ વધી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે માણસાના ચરાડામાં અર્બુદા સેના ગુજરાત સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરીની ગેરહાજરી ન વર્તાય તે માટે વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાન પર  પાઘડી રાખવામાં આવી હતી.   

અર્બુદા સેના નથી આપવાની રાજકીય પાર્ટીને સમર્થન 

ચૂંટણી પૂર્વે અર્બુદા સેનાએ કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંમેલન માત્ર સામાજીક મુદ્દાઓને લઈ યોજાઈ છે. અર્બુદા સેના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અર્બુદા સેના કોઈ પણ રાજકીય પાર્ટીને સમર્થન નથી આપવાની. માત્ર બીન રાજકીય સંગઠન તરીકે કામ કરશે. ઉપરાંત વિપુલ ચૌધરી પણ ચૂંટણી નથી લડવાના તેવી પણ જાહેરાત કરવામાં આવી છેે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.