ગાંધીનગર ખાતે મળી હતી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-19 12:11:33

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182માંથી ભાજપે 156 સીટો પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે 17 સીટો પર તેમજ આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. વિપક્ષમાં બેસી શકે તેવી સીટો નથી આવી. વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધીત્વ કોણ કરશે તે અંગે બેઠક મળી હતી. મળતી માહિતી મુજબ તમામ ધારાસભ્યોએ નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે. 


 નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે - ગુજરાત કોંગ્રેસ 

આ વખતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182 સીટોમાંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. પરંતુ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની ફાળે બહુ ઓછી સીટો ગઈ હતી. કોંગ્રેસમાં વિધાનસભામાં કોંગ્રેસના નેતા કોણ હશે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના જીતેલા તમામ ધારાસભ્ય હાજર હતા. બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યું હતું કે તમામ ધારાસભ્યોએ એક લાઈનનો ઠરાવ કર્યો છે. જેમાં તમામ ધારાસભ્યોએ નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે. હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.