ગાંધીનગર ખાતે મળી હતી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-19 12:11:33

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182માંથી ભાજપે 156 સીટો પર કબજો કર્યો છે. જ્યારે કોંગ્રેસે 17 સીટો પર તેમજ આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી છે. વિપક્ષમાં બેસી શકે તેવી સીટો નથી આવી. વિધાનસભામાં કોંગ્રેસનું પ્રતિનિધીત્વ કોણ કરશે તે અંગે બેઠક મળી હતી. મળતી માહિતી મુજબ તમામ ધારાસભ્યોએ નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે. 


 નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે - ગુજરાત કોંગ્રેસ 

આ વખતની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. 182 સીટોમાંથી 156 સીટો ભાજપના ફાળે ગઈ છે. પરંતુ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીની ફાળે બહુ ઓછી સીટો ગઈ હતી. કોંગ્રેસમાં વિધાનસભામાં કોંગ્રેસના નેતા કોણ હશે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસના જીતેલા તમામ ધારાસભ્ય હાજર હતા. બેઠક બાદ નિવેદન આપવામાં આવ્યું હતું કે તમામ ધારાસભ્યોએ એક લાઈનનો ઠરાવ કર્યો છે. જેમાં તમામ ધારાસભ્યોએ નેતા નક્કી કરવાની સત્તા દિલ્હી હાઈકમાન્ડને સોંપી છે. હાઈકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.